અંકલેશ્વરના ભડકોદ્રામાં કેદારનાથ મહાદેવની દાનપેટી તસ્કરો ઉઠાવી ગયા
મંદિરમાં ત્રાટકેલા તસ્કરો ભગવાનને પગે લાગી આખે આખી દાનપેટી ચોરી ગયા
WatchGujarat. પવિત્ર શ્રાવણ માસમાં હવે ભગવાન પણ સુરક્ષિત નહિ રહ્યા હોવાનો કિસ્સો અંકલેશ્વરના ભડકોદ્રા ગામેથી બહાર આવ્યો છે. રાતે કેદારનાથ મહાદેવ મંદિરે ત્રાટકેલા 2 તસ્કરોએ ભગવાનને પગે લાગી આખે આખી દાનપેટીની ચોરી કરી લીધી છે. ભગવાનના ચઢાવાની ચોરીની ઘટના CCTV માં કેદ થઈ ગઈ છે.
પવિત્ર શ્રાવણ માસમાં ભોળાશંભુની ભક્તિનો નિરંતર પ્રવાહ વહી રહ્યો છે. લોકો જપ, તપ, દાન, ઉપવાસ કરી મહાદેવની પૂજા કરી પુણ્ય મેળવવા પ્રભુ કામના કરી રહ્યાં છે.
https://youtu.be/9gl-4-wy3J4
આવા સમયે ભગવાનને દાન રૂપે ચઢવાતો ચઢાવો અને તેમનું મંદિર પણ સુરક્ષિત રહ્યાં નથી. કોરોના મહામારી અને દુકાળની પરિસ્થિતિ વચ્ચે ભરૂચ જિલ્લામાં પણ આર્થિક ગુનાખોરી વધે તેવી શકયતા છે.
આવા સમયે તસ્કરો હવે ભગવાનને જ નિશાન બનાવી રહ્યા હોવાનો કિસ્સો અંકલેશ્વરના ભડકોદ્રા ગામેથી સામે આવ્યો છે. બુધવારે રાતે ગામના કેદારનાથ મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટકયા હતા.
મન્દિર પરિસરમાં ચોરી કરવા પ્રવેશેલા બે તસ્કરો મંદિરમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગયા હતા. ભગવાન ભોલેનાથને પગે લાગી 2 તસ્કરો આખે આખી દાનપેટી જ ઉઠાવી ગયા હતા.
સવારે ચોરીની જાણ ટ્રસ્ટીઓને થતા પોલીસને જાણ કરવામાં આવી હતી. મંદિરે પોલીસે દોડી આવી CCTV કબ્જે લઈ તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે. જોકે શ્રાવણ માસમાં મંદિરે શ્રદ્ધાળુઓએ દાન પેટીમાં કેટલા રૂપિયાનું દાન કર્યું હતું અને અંદર કેટલા નાણાં હતા તેની વિગતો બહાર આવી નથી.
- અંકલેશ્વરના ભડકોદ્રામાં કેદારનાથ મહાદેવની દાનપેટી તસ્કરો ઉઠાવી ગયા
- મંદિરમાં ત્રાટકેલા તસ્કરો ભગવાનને પગે લાગી આખે આખી દાનપેટી ચોરી ગયા
WatchGujarat. પવિત્ર શ્રાવણ માસમાં હવે ભગવાન પણ સુરક્ષિત નહિ રહ્યા હોવાનો કિસ્સો અંકલેશ્વરના ભડકોદ્રા ગામેથી બહાર આવ્યો છે. રાતે કેદારનાથ મહાદેવ મંદિરે ત્રાટકેલા 2 તસ્કરોએ ભગવાનને પગે લાગી આખે આખી દાનપેટીની ચોરી કરી લીધી છે. ભગવાનના ચઢાવાની ચોરીની ઘટના CCTV માં કેદ થઈ ગઈ છે.
પવિત્ર શ્રાવણ માસમાં ભોળાશંભુની ભક્તિનો નિરંતર પ્રવાહ વહી રહ્યો છે. લોકો જપ, તપ, દાન, ઉપવાસ કરી મહાદેવની પૂજા કરી પુણ્ય મેળવવા પ્રભુ કામના કરી રહ્યાં છે.
આવા સમયે ભગવાનને દાન રૂપે ચઢવાતો ચઢાવો અને તેમનું મંદિર પણ સુરક્ષિત રહ્યાં નથી. કોરોના મહામારી અને દુકાળની પરિસ્થિતિ વચ્ચે ભરૂચ જિલ્લામાં પણ આર્થિક ગુનાખોરી વધે તેવી શકયતા છે.
આવા સમયે તસ્કરો હવે ભગવાનને જ નિશાન બનાવી રહ્યા હોવાનો કિસ્સો અંકલેશ્વરના ભડકોદ્રા ગામેથી સામે આવ્યો છે. બુધવારે રાતે ગામના કેદારનાથ મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટકયા હતા.
મન્દિર પરિસરમાં ચોરી કરવા પ્રવેશેલા બે તસ્કરો મંદિરમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગયા હતા. ભગવાન ભોલેનાથને પગે લાગી 2 તસ્કરો આખે આખી દાનપેટી જ ઉઠાવી ગયા હતા.
સવારે ચોરીની જાણ ટ્રસ્ટીઓને થતા પોલીસને જાણ કરવામાં આવી હતી. મંદિરે પોલીસે દોડી આવી CCTV કબ્જે લઈ તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે. જોકે શ્રાવણ માસમાં મંદિરે શ્રદ્ધાળુઓએ દાન પેટીમાં કેટલા રૂપિયાનું દાન કર્યું હતું અને અંદર કેટલા નાણાં હતા તેની વિગતો બહાર આવી નથી.