શનિવારે સાંજે સુરત એરપોર્ટ પર આગમન અને રાત્રી રોકાણ
રવિવારે છોટુ વસાવા, મહેશ વસાવા અને ઈમ્તિયાઝ જલીલ સાથે જાહેરસભા સંબોધશે
સોમવારે અમદાવાદ રિવરફ્રન્ટ પર કાર્યક્રમ બાદ હૈદરાબાદ રવાના થશે
WatchGujarat. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે AAP, અન્ય અપક્ષ પક્ષો સહિત AIMIM ના BTP સાથે ના જોડાણથી રસાકસીનો માહોલ અત્યારથી જ છવાઈ ગયો છે. ગુજરાતના રાજકારણમાં સત્તાવાર રીતે AIMIM ના અસુદ્દીન ઔવેસી 7 ફેબ્રુઆરી રવિવારે એન્ટ્રી કરી ભરૂચમાં જાહેરસભા ગજવવા આવી રહ્યા છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. મુખ્ય રાજકીય પક્ષોએ ઉમેદવારોના નામ માટે કવાયત શરૂ કરી છે તો બીજી તરફ AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીની ગુજરાતનાં રાજકારણમાં સત્તાવાર એન્ટ્રી થઈ રહી છે. AIMIM અને BTPના ગઠબંધન બાદ પ્રથમ જાહેરસભા તારીખ 7 ફેબ્રુઆરી રવિવારે સવારે 11 કલાકે ભરૂચના મનુબર વિસ્તારમાં યોજાશે.
BTP-AIMIM દ્વારા મહાસભાના કરાયેલા એલાનમાં અસદુદ્દીન ઓવૈસી સંબોધન કરશે. જેમાં ઝઘડીયાના ધારાસભ્ય છોટુ વસાવા પણ ઉપસ્થિત રહેશે અને જાહેરસભા સંબોધશે.
AIMIMની એન્ટ્રીથી ગુજરાતમાં રાજકારણના રંગ બદલાઈ રહ્યા છે. AIMIM અને BTP પહેલા જ જાહેર કરી ચૂક્યું છે કે બન્ને પાર્ટી ભરૂચ ઉપરાંત અમદાવાદ સાહિના જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી લડશે ત્યારે અસૂદ્દીન ઓવૈસીના ગુજરાત પ્રવાસથી બન્ને પક્ષને કેટલો ફાયદો થાય છે એ તો આવનાર સમય જ બતાવશે. ભરૂચમાં કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
શનિવારે ઔવેસી સાંજે સુરત એરપોર્ટ પર આવશે
AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીના ગુજરાત પ્રવાસના કાર્યક્રમ પર એક નજર કરીયે તો તારીખ 6 ફેબ્રુઆરીના રોજ સાંજે 6 કલાકે સુરત એરપોર્ટ પર આગમન થશે. સુરતમાં રાત્રિ રોકાણ બાદ 7 ફેબ્રુઆરીએ સવારે 11 કલાકે ભરૂચમાં જાહેર સભા ત્યાર બાદ અમદાવાદ જવા રવાના થશે અને સાંજે 6 વાગ્યે અમદાવાદ રિવરફ્રન્ટ પર તેમનો કાર્યક્રમ યોજાયા બાદ હૈદરાબાદ જવા રવાના થશે.
ભરૂચના મનુબરમાં મહાસમેલન પર નજર
ભરૂચના મનુબર ખાતે AIMIM અને BTP ના મહા સંમેલન પર સૌ કોઈની નજર કેન્દ્રિત થઈ છે. મંચ પરથી ઔવેસી-છોટુ વસાવા શુ સંબોધન અને જાહેરાત કરે છે તેમજ આ કાર્યક્રમમાં ક્યાં પક્ષમાંથી કેટલા લોકો BTP કે AIMIM માં જોડાય છે તેને લઈ ભરૂચ જિલ્લાના રાજકારણમાં નવો વળાંક આવવાની અટકળો તેજ બની ગઈ છે.
શનિવારે સાંજે સુરત એરપોર્ટ પર આગમન અને રાત્રી રોકાણ
રવિવારે છોટુ વસાવા, મહેશ વસાવા અને ઈમ્તિયાઝ જલીલ સાથે જાહેરસભા સંબોધશે
સોમવારે અમદાવાદ રિવરફ્રન્ટ પર કાર્યક્રમ બાદ હૈદરાબાદ રવાના થશે
WatchGujarat. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે AAP, અન્ય અપક્ષ પક્ષો સહિત AIMIM ના BTP સાથે ના જોડાણથી રસાકસીનો માહોલ અત્યારથી જ છવાઈ ગયો છે. ગુજરાતના રાજકારણમાં સત્તાવાર રીતે AIMIM ના અસુદ્દીન ઔવેસી 7 ફેબ્રુઆરી રવિવારે એન્ટ્રી કરી ભરૂચમાં જાહેરસભા ગજવવા આવી રહ્યા છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. મુખ્ય રાજકીય પક્ષોએ ઉમેદવારોના નામ માટે કવાયત શરૂ કરી છે તો બીજી તરફ AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીની ગુજરાતનાં રાજકારણમાં સત્તાવાર એન્ટ્રી થઈ રહી છે. AIMIM અને BTPના ગઠબંધન બાદ પ્રથમ જાહેરસભા તારીખ 7 ફેબ્રુઆરી રવિવારે સવારે 11 કલાકે ભરૂચના મનુબર વિસ્તારમાં યોજાશે.
BTP-AIMIM દ્વારા મહાસભાના કરાયેલા એલાનમાં અસદુદ્દીન ઓવૈસી સંબોધન કરશે. જેમાં ઝઘડીયાના ધારાસભ્ય છોટુ વસાવા પણ ઉપસ્થિત રહેશે અને જાહેરસભા સંબોધશે.
AIMIMની એન્ટ્રીથી ગુજરાતમાં રાજકારણના રંગ બદલાઈ રહ્યા છે. AIMIM અને BTP પહેલા જ જાહેર કરી ચૂક્યું છે કે બન્ને પાર્ટી ભરૂચ ઉપરાંત અમદાવાદ સાહિના જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી લડશે ત્યારે અસૂદ્દીન ઓવૈસીના ગુજરાત પ્રવાસથી બન્ને પક્ષને કેટલો ફાયદો થાય છે એ તો આવનાર સમય જ બતાવશે. ભરૂચમાં કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
શનિવારે ઔવેસી સાંજે સુરત એરપોર્ટ પર આવશે
AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીના ગુજરાત પ્રવાસના કાર્યક્રમ પર એક નજર કરીયે તો તારીખ 6 ફેબ્રુઆરીના રોજ સાંજે 6 કલાકે સુરત એરપોર્ટ પર આગમન થશે. સુરતમાં રાત્રિ રોકાણ બાદ 7 ફેબ્રુઆરીએ સવારે 11 કલાકે ભરૂચમાં જાહેર સભા ત્યાર બાદ અમદાવાદ જવા રવાના થશે અને સાંજે 6 વાગ્યે અમદાવાદ રિવરફ્રન્ટ પર તેમનો કાર્યક્રમ યોજાયા બાદ હૈદરાબાદ જવા રવાના થશે.
ભરૂચના મનુબરમાં મહાસમેલન પર નજર
ભરૂચના મનુબર ખાતે AIMIM અને BTP ના મહા સંમેલન પર સૌ કોઈની નજર કેન્દ્રિત થઈ છે. મંચ પરથી ઔવેસી-છોટુ વસાવા શુ સંબોધન અને જાહેરાત કરે છે તેમજ આ કાર્યક્રમમાં ક્યાં પક્ષમાંથી કેટલા લોકો BTP કે AIMIM માં જોડાય છે તેને લઈ ભરૂચ જિલ્લાના રાજકારણમાં નવો વળાંક આવવાની અટકળો તેજ બની ગઈ છે.