આદિવાસી વિસ્તારને જોડાતા ભરૂચ નર્મદા જિલ્લાના ગરીબ પરિજનો માટેની આ ટ્રેન બંધ થતા લોકોને હાલાકી
વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ માટે રાહત રૂપ અંકલેશ્વર-રાજપીપલા ટ્રેન ફરી શરૂ કરવા માંગ
રાજપીપલા- અંકલેશ્વર વચ્ચે દોડતી બે ડબ્બાની ટ્રેનનો રેલવેને રોજ 20 હજાર રૂપિયાનો ખર્ચ સામે આવક માત્ર રૂ. 2 હજાર
WatchGujarat. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીને દેશભરના રેલવે સ્ટેશનો સાથે જોડીને વિવિધ વિસ્તારોમાંથી આઠ ટ્રેનો તાજેતરમાં શરૂ કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા 15 વર્ષથી ભરૂચ અને નર્મદા જિલ્લાને જોડતી એકમાત્ર ટ્રેન સેવા બંધ કરી દેતાં દિવા તળે અંધારું જેવો ઘાટ સર્જાયો છે. જેને લઈને સ્થાનિકોમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે.
ભરૂચ જિલ્લા સાથે વેસ્ટર્ન રેલ્વેએ ફરી અન્યાય કર્યો હોય તેવી ઘટના સામે આવી છે. કોરોના કાળમાં બંધ થયેલી બ્રોડગેજ લાઈનો હવે ચાલુ કરવા ઇન્કાર કર્યો છે. જેમા રાજ્યસભા સાંસદ મર્હૂમ અહમદભાઈ પટેલના પ્રયાસો થી અંકલેશ્વર- રાજપીપલા વચ્ચે દોડતી ટ્રેન સેવાનું 15 વર્ષ પૂર્વે રૂ. 800 કરોડના ખર્ચે બ્રોડગેજ લાઈન પરિવર્તિત કરી શરૂ કરાવામાં હતી. કોરોના મહામારી વચ્ચે આ ટ્રેન બંધ કરી દીધી હતી. આદિવાસી વિસ્તારને જોડાતા ભરૂચ નર્મદા જિલ્લાના ગરીબ પરિજનો માટેની આ ટ્રેન બંધ થતા લોકોને હાલાકી ભોગવી પડી રહી છે. વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ માટે રાહત રૂપ અંકલેશ્વર-રાજપીપલા ટ્રેન ફરી શરૂ કરવા માંગ ઉઠી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતી ટ્રેનો દેશભરમાંથી શરૂ થઈ છે. જે પૈકી કેટલીક ટ્રેનો મુંબઈ તરફથી આવે છે જે અંકલેશ્વ, ભરૂચ, વડોદરા થઈને કેવડિયા પહોંચે છે. તેના બદલે અંકલેશ્વર-રાજપીપલાનો ટ્રેક કેવડિયા સુધી લંબાવી આ ટ્રેક ઉપર પણ ટ્રેનો દોડાવવામાં આવે તો સમયની પણ બચત થવા સાથે સ્થાનિકોને પણ ફાયદો થાય તેવી લાગણી આ પંથકના લોકો વ્યક્ત કરી રહ્યા છે.
અત્રે નોંધનીય છે કે, રાજપીપલા- અંકલેશ્વર વચ્ચે દોડતી બે ડબ્બાની ટ્રેનનો રેલવેને રોજ 20 હજાર રૂપિયાનો ખર્ચ થતો હતો. જેની સામે આવક માત્ર રૂ. 2 હજાર થતી હોવાથી રેલવે વિભાગે કોરોનાનું બહાનું આગળ ધરી આ ટ્રેન ખોટ ખાતી હોવાથી કાયમી ધોરણે બંધ કરવાનો નિર્ણય લીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આદિવાસી વિસ્તારને જોડાતા ભરૂચ નર્મદા જિલ્લાના ગરીબ પરિજનો માટેની આ ટ્રેન બંધ થતા લોકોને હાલાકી
વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ માટે રાહત રૂપ અંકલેશ્વર-રાજપીપલા ટ્રેન ફરી શરૂ કરવા માંગ
રાજપીપલા- અંકલેશ્વર વચ્ચે દોડતી બે ડબ્બાની ટ્રેનનો રેલવેને રોજ 20 હજાર રૂપિયાનો ખર્ચ સામે આવક માત્ર રૂ. 2 હજાર
WatchGujarat. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીને દેશભરના રેલવે સ્ટેશનો સાથે જોડીને વિવિધ વિસ્તારોમાંથી આઠ ટ્રેનો તાજેતરમાં શરૂ કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા 15 વર્ષથી ભરૂચ અને નર્મદા જિલ્લાને જોડતી એકમાત્ર ટ્રેન સેવા બંધ કરી દેતાં દિવા તળે અંધારું જેવો ઘાટ સર્જાયો છે. જેને લઈને સ્થાનિકોમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે.
ભરૂચ જિલ્લા સાથે વેસ્ટર્ન રેલ્વેએ ફરી અન્યાય કર્યો હોય તેવી ઘટના સામે આવી છે. કોરોના કાળમાં બંધ થયેલી બ્રોડગેજ લાઈનો હવે ચાલુ કરવા ઇન્કાર કર્યો છે. જેમા રાજ્યસભા સાંસદ મર્હૂમ અહમદભાઈ પટેલના પ્રયાસો થી અંકલેશ્વર- રાજપીપલા વચ્ચે દોડતી ટ્રેન સેવાનું 15 વર્ષ પૂર્વે રૂ. 800 કરોડના ખર્ચે બ્રોડગેજ લાઈન પરિવર્તિત કરી શરૂ કરાવામાં હતી. કોરોના મહામારી વચ્ચે આ ટ્રેન બંધ કરી દીધી હતી. આદિવાસી વિસ્તારને જોડાતા ભરૂચ નર્મદા જિલ્લાના ગરીબ પરિજનો માટેની આ ટ્રેન બંધ થતા લોકોને હાલાકી ભોગવી પડી રહી છે. વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ માટે રાહત રૂપ અંકલેશ્વર-રાજપીપલા ટ્રેન ફરી શરૂ કરવા માંગ ઉઠી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતી ટ્રેનો દેશભરમાંથી શરૂ થઈ છે. જે પૈકી કેટલીક ટ્રેનો મુંબઈ તરફથી આવે છે જે અંકલેશ્વ, ભરૂચ, વડોદરા થઈને કેવડિયા પહોંચે છે. તેના બદલે અંકલેશ્વર-રાજપીપલાનો ટ્રેક કેવડિયા સુધી લંબાવી આ ટ્રેક ઉપર પણ ટ્રેનો દોડાવવામાં આવે તો સમયની પણ બચત થવા સાથે સ્થાનિકોને પણ ફાયદો થાય તેવી લાગણી આ પંથકના લોકો વ્યક્ત કરી રહ્યા છે.
અત્રે નોંધનીય છે કે, રાજપીપલા- અંકલેશ્વર વચ્ચે દોડતી બે ડબ્બાની ટ્રેનનો રેલવેને રોજ 20 હજાર રૂપિયાનો ખર્ચ થતો હતો. જેની સામે આવક માત્ર રૂ. 2 હજાર થતી હોવાથી રેલવે વિભાગે કોરોનાનું બહાનું આગળ ધરી આ ટ્રેન ખોટ ખાતી હોવાથી કાયમી ધોરણે બંધ કરવાનો નિર્ણય લીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.