કોરોના વોરિયર્સને 4 મહિનાથી પગાર નહિ ચૂકવાતા પરિવારનું ગુજરાન ચલાવવું બન્યું કઠિન
12 માર્ચથી પગાર ન થાય ત્યાં સુધી કર્મચારીઓ પરિવાર સહિત જિલ્લા પંચાયતની શરણમાં રહેશે
જિલ્લા આરોગ્ય કચેરીએ રહેવા-જમવા અને કર્મચારીઓના ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરવા પણ ટકોર
અમારા સંતાનોને તમે જ પાલવો કહી જિલ્લા આરોગ્ય અધિકારી સામે કર્મચારીઓ નોંધાવશે એનોખો વિરોધ
WatchGujarat. ભરૂચ જિલ્લાના આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા આઉટસોર્સિંગના 650 કોરોના વોરિયર્સનો 4 મહિનાથી પગાર ન થતો હોવાથી પરિવારને પાલવી શકતા નથી. કોરોના વોરીયર્સ વિરોધના ભાગ રૂપે શુક્રવારે પોતાના સંતાનોને CDHO (જિલ્લા આરોગ્ય અધિકારી) ના હવાલે કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત જનતા જાગૃતિ મંચના નેજા હેઠળ ભરૂચ જિલ્લાના આરોગ્ય વિભાગમાં આઉટસોર્સિંગથી ફરજ બજાવતા 650 કોરોના વોરિયર્સ એ અનોખો કાર્યક્રમની જાહેરાત કરાતા તંત્ર દોડતું થયું છે. મંચના પ્રમુખ રજનીકાંત ભારતીયે જિલ્લા આરોગ્ય તંત્રને આપેલા અલ્ટીમેટમમાં જણાવ્યું છે કે, આપના તાબા હેઠળના આરોગ્ય કેન્દ્રો ઉપર આઉટસૌસિંગથી ફરજ બજાવતા કર્મચારીઓનો નવેમ્બર મહિનાથી પગાર એસ્કો એકાઉન્ટ દ્વારા કરવા કમિશ્નર આરોગ્ય સહિતના ઉચ્ચ અધિકારીઓએ ગાંધીનગરથી આદેશ આપ્યો હતો.
22 જુન 2020 ના રોજ સરકાર દ્વારા સમયસર પગાર ન કરનાર જવાબદાર લોકો વિરુદ્ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ અને ઇન્ડીયન પિનલ કોડ મુજબ કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવેલ છે. એમ છત્તાં ભરૂચ જિલ્લાના 650 જેટલા આઉટસોર્સિગ કર્મચારીઓનો છેલ્લા 4 મહિનાથી પગાર થયો નથી. આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારીને અનેક રજુઆતો કરવામાં આવ્યા બાદ પણ પગાર ચુકવણીમાં વિલંબ બદલ જવાબદાર લોકો વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.
ઢીલી નિતીના કારણે કર્મચારીઓનો પગાર ન થવાથી કોરોના વોરિયર્સ અને એમના પરિવારને ભુખે મરવાનો વારો આવ્યો છે. અમુક કર્મચારીઓની પાસે નોકરી ઉપર જવા માટે ભાડાના નાણા પણ નથી. ત્યારે તેના વચગાળાના ઉપાય તરીકે 12 માર્ચ શુક્રવારથી તમામ કર્મચારીઓનો પગાર ન થાય ત્યાં સુધી પોતાના બાળકો અને પરિવાર સહિત ભરૂચ જિલ્લા પંચાયત ખાતે વહીવટી અધિકારીઓને ત્યાં મુકવામાં આવશે.
જયાં સુધી આ તમામ કર્મચારીઓનો પગાર ન થાય ત્યાં સુધી સપરિવાર એમના રહેવા અને જમવાની સગવડ ‘ આપની કચેરી ખાતે કરવી તેમજ આરોગ્યની સેવા ખોરવાય નહીં એ માટે તમામ કર્મચારીઓને રોજ નોકરી જવા યોગ્ય ટ્રાન્સપોર્ટની સેવા પુરી પાડવી.
12 માર્ચથી પગાર ન થાય ત્યાં સુધી કર્મચારીઓ પરિવાર સહિત જિલ્લા પંચાયતની શરણમાં રહેશે
જિલ્લા આરોગ્ય કચેરીએ રહેવા-જમવા અને કર્મચારીઓના ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરવા પણ ટકોર
અમારા સંતાનોને તમે જ પાલવો કહી જિલ્લા આરોગ્ય અધિકારી સામે કર્મચારીઓ નોંધાવશે એનોખો વિરોધ
WatchGujarat. ભરૂચ જિલ્લાના આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા આઉટસોર્સિંગના 650 કોરોના વોરિયર્સનો 4 મહિનાથી પગાર ન થતો હોવાથી પરિવારને પાલવી શકતા નથી. કોરોના વોરીયર્સ વિરોધના ભાગ રૂપે શુક્રવારે પોતાના સંતાનોને CDHO (જિલ્લા આરોગ્ય અધિકારી) ના હવાલે કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત જનતા જાગૃતિ મંચના નેજા હેઠળ ભરૂચ જિલ્લાના આરોગ્ય વિભાગમાં આઉટસોર્સિંગથી ફરજ બજાવતા 650 કોરોના વોરિયર્સ એ અનોખો કાર્યક્રમની જાહેરાત કરાતા તંત્ર દોડતું થયું છે. મંચના પ્રમુખ રજનીકાંત ભારતીયે જિલ્લા આરોગ્ય તંત્રને આપેલા અલ્ટીમેટમમાં જણાવ્યું છે કે, આપના તાબા હેઠળના આરોગ્ય કેન્દ્રો ઉપર આઉટસૌસિંગથી ફરજ બજાવતા કર્મચારીઓનો નવેમ્બર મહિનાથી પગાર એસ્કો એકાઉન્ટ દ્વારા કરવા કમિશ્નર આરોગ્ય સહિતના ઉચ્ચ અધિકારીઓએ ગાંધીનગરથી આદેશ આપ્યો હતો.
22 જુન 2020 ના રોજ સરકાર દ્વારા સમયસર પગાર ન કરનાર જવાબદાર લોકો વિરુદ્ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ અને ઇન્ડીયન પિનલ કોડ મુજબ કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવેલ છે. એમ છત્તાં ભરૂચ જિલ્લાના 650 જેટલા આઉટસોર્સિગ કર્મચારીઓનો છેલ્લા 4 મહિનાથી પગાર થયો નથી. આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારીને અનેક રજુઆતો કરવામાં આવ્યા બાદ પણ પગાર ચુકવણીમાં વિલંબ બદલ જવાબદાર લોકો વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.
ઢીલી નિતીના કારણે કર્મચારીઓનો પગાર ન થવાથી કોરોના વોરિયર્સ અને એમના પરિવારને ભુખે મરવાનો વારો આવ્યો છે. અમુક કર્મચારીઓની પાસે નોકરી ઉપર જવા માટે ભાડાના નાણા પણ નથી. ત્યારે તેના વચગાળાના ઉપાય તરીકે 12 માર્ચ શુક્રવારથી તમામ કર્મચારીઓનો પગાર ન થાય ત્યાં સુધી પોતાના બાળકો અને પરિવાર સહિત ભરૂચ જિલ્લા પંચાયત ખાતે વહીવટી અધિકારીઓને ત્યાં મુકવામાં આવશે.
જયાં સુધી આ તમામ કર્મચારીઓનો પગાર ન થાય ત્યાં સુધી સપરિવાર એમના રહેવા અને જમવાની સગવડ ‘ આપની કચેરી ખાતે કરવી તેમજ આરોગ્યની સેવા ખોરવાય નહીં એ માટે તમામ કર્મચારીઓને રોજ નોકરી જવા યોગ્ય ટ્રાન્સપોર્ટની સેવા પુરી પાડવી.