₹5,322 કરોડની ભાડભૂત વિયર કમ કોઝવે 4 વર્ષમાં પૂર્ણ કરવાની આશા
SOU ના વિકાસ માટે ₹652 કરોડની બજેટમાં જોગવાઈ
દહેજ GCPTL ના વિસ્તૃતિકરણ માટે ₹1200 કરોડના ખર્ચે બીજી જેટીનું નિર્માણ
કેવડીયાની આસપાસ ₹15 કરોડમાં 50 KM ત્રિજીયામાં કમલમ (ડ્રેગન ફૂટ) વિકસાવાશે
WatchGujarat. ગુજરાતના બજેટમાં નાણાંમંત્રી ડે. CM નીતિન પટેલે PM નરેન્દ્ર મોદીના 2 અતિ મહત્વકાંક્ષી ડ્રિમ પ્રોજેકટ SOU વિકાસ અને ભાડભૂત બેરેજ માટે ₹2105 કરોડની જોગવાઈ કરી છે. ગુજરાત રાજ્યના નાણાં મંત્રી નીતિન પટેલે વિધાનસભામાં રજૂ કરેલા અંદાજપત્રમાં વડાપ્રધાનના 2 ડ્રિમ પ્રોજેકટ માટે જોગવાઈ કરાઈ છે.
નર્મદા નદીનું મીઠું પાણી અત્યારે ભરૂચ પાસે બિન ઉપયોગી રીતે દરીયામાં વહી જાય છે . તેનો સંગ્રહ કરી મીઠા પાણીનું સરોવર બનાવી ભરૂચ - અંકલેશ્વર વિસ્તારની ખારી થતી જમીનને બચાવવા અને આ વિસ્તારમાં દરિયાઇ ભરતીના કારણે ખારા થતાં પાણીની ગુણવત્તા સુધારવા ભરૂચ અને અંકલેશ્વર પાસે આવેલ ભાડભૂત નજીક નર્મદા નદી ઉપર ₹5322 કરોડની અંદાજીત ખર્ચની ભાડભૂત યોજનાની કામગીરી શરૂ કરેલ છે.
[caption id="attachment_581107" align="aligncenter" width="738"] ભાડભૂત બેરેજ યોજના[/caption]
આગામી 4 વર્ષમાં આ કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે . આ બેરેજમાં 599 મિલીયન ઘનમીટર મીઠા પાણીનો સંગ્રહ કરી શકાશે. જેના કારણે નર્મદા નદીમાં 70 કિલોમીટર લંબાઇમાં ખારાશ અટકશે . આ વિશાળ મીઠા પાણીના સરોવરથી ભરૂચ જિલ્લાને વ્યાપક રીતે લાભ થશે . વધુમાં , ભાડભૂત બેરેજ ઉપર 6 માર્ગીય બ્રિજ
બનાવવાનું આયોજન હોવાથી દહેજથી હજીરા - સુરત વચ્ચેના અંતરમાં 37 કિલોમીટરનો ઘટાડો થશે . બેરેજની આ કામગીરી માટે ₹1453 કરોડ ની જોગવાઇ કરાઈ છે.
SOU : એરિયા ડેવલોપમેન્ટ ઓથોરિટી વિકાસ માટે ₹652 કરોડ
સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની 182 મીટરની પ્રતિમાને ખુબજ ટુંકાગાળામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના સ્વરૂપે ગ્લોબલ ટુરીસ્ટ ડેસ્ટિનેશન તરીકે નામના મળી છે . વિશ્વના સૌથી પ્રસિદ્ધ 100 પ્રવાસન સ્થળોમાં સ્ટેચ્ય ઓફ યુનિટીનો સમાવેશ વર્લ્ડ ફેમસ ટાઈમ મેગેઝીન દ્વારા કરવામાં આવેલ છે . શાંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા SOUને વિશ્વની 8મી અજાયબીનો દરજ્જો આપવામાં આવેલ છે . આવા પ્રસિદ્ધ પ્રવાસન સ્થળનો આયોજનબદ્ધ વિકાસ થાય તે માટે સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરીઝમ ગવર્નન્સ ઓથોરિટીની રચના કરી છે.
કેવડીયાના સંકલિત વિકાસમાં જંગલ સફારી , આરોગ્ય વન , એકતા ક્રુઝ , રિવર રાફટીંગ, ગરુડેશ્વર વીયર , હાઇ - લેવલ ગોરા બ્રિજ , બે બસ ટર્મિનસ , 50 હોમ - સ્ટે , 23 એકતા મોલ , ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક , મીરર મેઝ , કેકટસ ગાર્ડન , એકતા નર્સરી અને ખલવાણી 13 ઈકો - ટુરીઝમની યોજનાઓનો સમાવેશ થાય છે. SOU એરીયા ડેવલપમેન્ટ માટે ₹652 કરોડની જોગવાઇની જાહેરાત કરાઈ છે .
કેવડિયા SOU : 50 KM ની ત્રિજીયામાં કમલમ
કમલમ્ ( ડ્રેગન ફુટ ) ના 2,00,000 રોપા નર્સરીમાં ઉછેર કરી કેવડીયાની આજુબાજુ 50 કીલોમીટરની ત્રિજયામાં કમલમ્ નું વાવેતર તથા જાળવણી માટે ₹15 કરોડની જોગવાઇ બજેટમાં કરાઈ છે.
નર્મદા જિલ્લામાં બિરસા મુંડા આદિજાતી યુનિવર્સીટી માટે ₹36 કરોડ અને કેવડીયામાં રાજવીઓના ઐતિહાસિક વારસાને દર્શાવતા સંગ્રહાલય માટે SOU ખાતે ₹25 કરોડ ની જાહેરાત થઈ છે.
દહેજ ખાતે કેમિકલ પોર્ટ ટર્મિનલના વિસ્તૃતિકરણ માટે ₹1200 કરોડના ખર્ચે બીજી જેટ્ટી વિકસાવવાનું આયોજન બજેટમાં કરાયું છે. સાથે જ દહેજ, સાયખા અને અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતો ને સંપૂર્ણ સુવિધા સાથે મોડલ એસ્ટેટ તરીકે વિકસાવાશે.
WatchGujarat. ગુજરાતના બજેટમાં નાણાંમંત્રી ડે. CM નીતિન પટેલે PM નરેન્દ્ર મોદીના 2 અતિ મહત્વકાંક્ષી ડ્રિમ પ્રોજેકટ SOU વિકાસ અને ભાડભૂત બેરેજ માટે ₹2105 કરોડની જોગવાઈ કરી છે. ગુજરાત રાજ્યના નાણાં મંત્રી નીતિન પટેલે વિધાનસભામાં રજૂ કરેલા અંદાજપત્રમાં વડાપ્રધાનના 2 ડ્રિમ પ્રોજેકટ માટે જોગવાઈ કરાઈ છે.
નર્મદા નદીનું મીઠું પાણી અત્યારે ભરૂચ પાસે બિન ઉપયોગી રીતે દરીયામાં વહી જાય છે . તેનો સંગ્રહ કરી મીઠા પાણીનું સરોવર બનાવી ભરૂચ - અંકલેશ્વર વિસ્તારની ખારી થતી જમીનને બચાવવા અને આ વિસ્તારમાં દરિયાઇ ભરતીના કારણે ખારા થતાં પાણીની ગુણવત્તા સુધારવા ભરૂચ અને અંકલેશ્વર પાસે આવેલ ભાડભૂત નજીક નર્મદા નદી ઉપર ₹5322 કરોડની અંદાજીત ખર્ચની ભાડભૂત યોજનાની કામગીરી શરૂ કરેલ છે.
આગામી 4 વર્ષમાં આ કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે . આ બેરેજમાં 599 મિલીયન ઘનમીટર મીઠા પાણીનો સંગ્રહ કરી શકાશે. જેના કારણે નર્મદા નદીમાં 70 કિલોમીટર લંબાઇમાં ખારાશ અટકશે . આ વિશાળ મીઠા પાણીના સરોવરથી ભરૂચ જિલ્લાને વ્યાપક રીતે લાભ થશે . વધુમાં , ભાડભૂત બેરેજ ઉપર 6 માર્ગીય બ્રિજ
બનાવવાનું આયોજન હોવાથી દહેજથી હજીરા - સુરત વચ્ચેના અંતરમાં 37 કિલોમીટરનો ઘટાડો થશે . બેરેજની આ કામગીરી માટે ₹1453 કરોડ ની જોગવાઇ કરાઈ છે.
SOU : એરિયા ડેવલોપમેન્ટ ઓથોરિટી વિકાસ માટે ₹652 કરોડ
સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની 182 મીટરની પ્રતિમાને ખુબજ ટુંકાગાળામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના સ્વરૂપે ગ્લોબલ ટુરીસ્ટ ડેસ્ટિનેશન તરીકે નામના મળી છે . વિશ્વના સૌથી પ્રસિદ્ધ 100 પ્રવાસન સ્થળોમાં સ્ટેચ્ય ઓફ યુનિટીનો સમાવેશ વર્લ્ડ ફેમસ ટાઈમ મેગેઝીન દ્વારા કરવામાં આવેલ છે . શાંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા SOUને વિશ્વની 8મી અજાયબીનો દરજ્જો આપવામાં આવેલ છે . આવા પ્રસિદ્ધ પ્રવાસન સ્થળનો આયોજનબદ્ધ વિકાસ થાય તે માટે સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરીઝમ ગવર્નન્સ ઓથોરિટીની રચના કરી છે.
કેવડીયાના સંકલિત વિકાસમાં જંગલ સફારી , આરોગ્ય વન , એકતા ક્રુઝ , રિવર રાફટીંગ, ગરુડેશ્વર વીયર , હાઇ - લેવલ ગોરા બ્રિજ , બે બસ ટર્મિનસ , 50 હોમ - સ્ટે , 23 એકતા મોલ , ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક , મીરર મેઝ , કેકટસ ગાર્ડન , એકતા નર્સરી અને ખલવાણી 13 ઈકો - ટુરીઝમની યોજનાઓનો સમાવેશ થાય છે. SOU એરીયા ડેવલપમેન્ટ માટે ₹652 કરોડની જોગવાઇની જાહેરાત કરાઈ છે .
કેવડિયા SOU : 50 KM ની ત્રિજીયામાં કમલમ
કમલમ્ ( ડ્રેગન ફુટ ) ના 2,00,000 રોપા નર્સરીમાં ઉછેર કરી કેવડીયાની આજુબાજુ 50 કીલોમીટરની ત્રિજયામાં કમલમ્ નું વાવેતર તથા જાળવણી માટે ₹15 કરોડની જોગવાઇ બજેટમાં કરાઈ છે.
નર્મદા જિલ્લામાં બિરસા મુંડા આદિજાતી યુનિવર્સીટી માટે ₹36 કરોડ અને કેવડીયામાં રાજવીઓના ઐતિહાસિક વારસાને દર્શાવતા સંગ્રહાલય માટે SOU ખાતે ₹25 કરોડ ની જાહેરાત થઈ છે.
દહેજ ખાતે કેમિકલ પોર્ટ ટર્મિનલના વિસ્તૃતિકરણ માટે ₹1200 કરોડના ખર્ચે બીજી જેટ્ટી વિકસાવવાનું આયોજન બજેટમાં કરાયું છે. સાથે જ દહેજ, સાયખા અને અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતો ને સંપૂર્ણ સુવિધા સાથે મોડલ એસ્ટેટ તરીકે વિકસાવાશે.