66 KV ના 2 સબસ્ટેશનમાં GETCO દ્વારા અગત્યના સમારરકામને લઈ 7 ફીડરોમાં સમાવિષ્ટ વિસ્તારોમાં વીજ કાપ
આગાઉ ચૂંટણીમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે અપાયેલ વીજ કાપ જિલ્લા ચૂંટણી અધિકારીએ રદ કરાવ્યો હતો
WatchGujarat. ભરૂચમાં ઉનાળાના આરંભ સાથે દક્ષિણ ગુજરાત વીજ કંપની અને GETCO દ્વારા સમારકામની શરૂઆત કરાઈ છે. શનિવારે અડધા ભરૂચમાં 10 કલાકનું શટડાઉન લઈ 66 KV ના 2 સબસ્ટેશન પર અગત્યનું કામ હાથ ધરાશે. આગાઉ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે વીજ કાપ અપાયો હતો જે જિલ્લા ચૂંટણી અધિકારીએ રદ કરાવ્યો હતો.
ઉનાળાની શરૂઆત થઈ જવા સાથે 36 ડિગ્રી આસપાસ હાલ ભરૂચ જિલ્લામાં બપોરે ગરમીનો પારો નોંધાઇ રહ્યો છે. આગાઉ ચૂંટણી ને પગલે ભરૂચ શહેરના રહીશોને 10 કલાક ના વીજકાપ માંથી મુક્તિ મળી હતી.
જોકે ચૂંટણી પૂર્ણ થઈ જતા મોકૂફ રખાયેલો વીજ કાપ શનિવારે રાખવામાં આવ્યો છે. શહેરના 66 કે.વી.પાંચબત્તી સબ સ્ટેશન અને 66 કે.વી. ભરૂચ બી સબ સ્ટેશનમાં વિજ ટ્રાન્સમિશન વિભાગ GETCO દ્વારા અગત્યની કામગીરી કરવાની હોવાથી શનિવારે સવારના 8 થી સાંજના 6 કલાક સુધી શટડાઉન લેવાયું છે.
આ બન્ને સબ સ્ટેશનોમાંથી નિકળતા ફીડરો જેવા કે 11 કે.વી. ડુંગરી ,11 કે.વી. સેવાશ્રમ , 11 કે.વી. મહંમદપુરા અને ભરૂચ બી સબ સ્ટેશન હેઠળ આવતા ફીડરો જેવા કે, 11 કે.વી. ટોરેન્ટ , 11 કે.વી.શક્તિનાથ, 11 કે.વી. નંદીની, 11 કે.વી. એ પી. એમ.સી ફીડરના તાબા હેઠળના વિસ્તારોમાં વીજપુરવઠો 10 કલાક બંધ રહેશે.
પાંચબત્તી થી શક્તિનાથ સર્કલ , શક્તિનાથ થી શ્રવણ ચોકડી, શક્તિનાથ થી ભારતી રો હાઉસ સુધી, પાંચબત્તી થી મહમદપુરા સર્કલ, મહમદપુરા સર્કલથી બંબાખાના, મહમદપુરા થી સંતોષી વસાહત, શ્રવણચોકડીથી જંબુસર ચોકડી, પોચબત્તીથી જુનું ભરૂચ, ડુંગરી શેરપુરા રોડ, તેમજ આજુ બાજુ ના વિસ્તારો વીજપુરવઠો મળી શકશે નહિ. સમારકામ પૂર્ણ થયેથી આગોતરી જાણ કર્યા વિના વીજપુરવઠો પુનઃપ્રસ્થાપિત કરવામાં આવશે તેમ DGVCL દ્વારા જણાવાયું છે.
66 KV ના 2 સબસ્ટેશનમાં GETCO દ્વારા અગત્યના સમારરકામને લઈ 7 ફીડરોમાં સમાવિષ્ટ વિસ્તારોમાં વીજ કાપ
આગાઉ ચૂંટણીમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે અપાયેલ વીજ કાપ જિલ્લા ચૂંટણી અધિકારીએ રદ કરાવ્યો હતો
WatchGujarat. ભરૂચમાં ઉનાળાના આરંભ સાથે દક્ષિણ ગુજરાત વીજ કંપની અને GETCO દ્વારા સમારકામની શરૂઆત કરાઈ છે. શનિવારે અડધા ભરૂચમાં 10 કલાકનું શટડાઉન લઈ 66 KV ના 2 સબસ્ટેશન પર અગત્યનું કામ હાથ ધરાશે. આગાઉ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે વીજ કાપ અપાયો હતો જે જિલ્લા ચૂંટણી અધિકારીએ રદ કરાવ્યો હતો.
ઉનાળાની શરૂઆત થઈ જવા સાથે 36 ડિગ્રી આસપાસ હાલ ભરૂચ જિલ્લામાં બપોરે ગરમીનો પારો નોંધાઇ રહ્યો છે. આગાઉ ચૂંટણી ને પગલે ભરૂચ શહેરના રહીશોને 10 કલાક ના વીજકાપ માંથી મુક્તિ મળી હતી.
જોકે ચૂંટણી પૂર્ણ થઈ જતા મોકૂફ રખાયેલો વીજ કાપ શનિવારે રાખવામાં આવ્યો છે. શહેરના 66 કે.વી.પાંચબત્તી સબ સ્ટેશન અને 66 કે.વી. ભરૂચ બી સબ સ્ટેશનમાં વિજ ટ્રાન્સમિશન વિભાગ GETCO દ્વારા અગત્યની કામગીરી કરવાની હોવાથી શનિવારે સવારના 8 થી સાંજના 6 કલાક સુધી શટડાઉન લેવાયું છે.
આ બન્ને સબ સ્ટેશનોમાંથી નિકળતા ફીડરો જેવા કે 11 કે.વી. ડુંગરી ,11 કે.વી. સેવાશ્રમ , 11 કે.વી. મહંમદપુરા અને ભરૂચ બી સબ સ્ટેશન હેઠળ આવતા ફીડરો જેવા કે, 11 કે.વી. ટોરેન્ટ , 11 કે.વી.શક્તિનાથ, 11 કે.વી. નંદીની, 11 કે.વી. એ પી. એમ.સી ફીડરના તાબા હેઠળના વિસ્તારોમાં વીજપુરવઠો 10 કલાક બંધ રહેશે.
પાંચબત્તી થી શક્તિનાથ સર્કલ , શક્તિનાથ થી શ્રવણ ચોકડી, શક્તિનાથ થી ભારતી રો હાઉસ સુધી, પાંચબત્તી થી મહમદપુરા સર્કલ, મહમદપુરા સર્કલથી બંબાખાના, મહમદપુરા થી સંતોષી વસાહત, શ્રવણચોકડીથી જંબુસર ચોકડી, પોચબત્તીથી જુનું ભરૂચ, ડુંગરી શેરપુરા રોડ, તેમજ આજુ બાજુ ના વિસ્તારો વીજપુરવઠો મળી શકશે નહિ. સમારકામ પૂર્ણ થયેથી આગોતરી જાણ કર્યા વિના વીજપુરવઠો પુનઃપ્રસ્થાપિત કરવામાં આવશે તેમ DGVCL દ્વારા જણાવાયું છે.