પાંચબત્તી ખાતે જવેલર્સ પર ફાયરિંગ સાથે ₹15 લાખની લૂંટની ઘટનાનો પડઘો
ભરૂચ. શહેર ના હાર્દસમાં વિસ્તારમાં 2 દિવસ પહેલા ગ્રાહકના સ્વાંગમાં રેકી કરી ગયા બાદ સોમવારે બપોરે 25 સોનાની ચેઇન કિંમત રૂપિયા 15 લાખ જેટલી રકમની લૂંટ ની ઘટના ને વરદાત આપી ગયા બાદ 4 લૂંટારુઓએ 2 જવેલર્સને ઇજાગ્રસ્ત કર્યા હતા. ઘટના ને 24 કલાક વીતવા છતાં હજી સુધી લૂંટનું પગેરું મેળવી શકાયું નથી.
ભરૂચ ઔદ્યોગિકગઢ પેહલથીજ દેશ અને દુનિયામાં ટોચ પર રહ્યો છે. સોમવારે ભરબપોરે બાઈક પર આવેલા 4 લૂંટારુઓએ અંબિકા જવેલર્સને નિશાન બનાવી રૂપિયા 15 લાખની 25 સોનાની ચેનની લૂંટ ચલાવી હતી. જેમાં 2 સોની બ્રધર્સ ને ટાર્ગેટ કરી 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. એક સોની એ લૂંટારુઓ નો પ્રતિકાર કરતા 1 પિસ્તોલ છનવી લેવાઈ હતી.
ઘટનાને 24 કલાકથી વધુનો સમય પસાર થઈ જવા છતાં પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી નથી. જેના વિરોધમાં મંગળવારે ભરૂચ સુવરણકારો એ વિરોધ નોંધવી તંત્રને સાંજે આવેદનપત્ર પાઠવવાની કવાયત હાથ ધરી હોવાનુ ભરૂચ સુવર્ણકાર એસોસિએશનના પ્રમુખ ચંદ્રકાન્ત સોનીએ જણાવ્યું હતુ. સાથે જ ઘટનાના વિરોધમાં 175 ભરૂચ શહેરના સોનીઓ પોતાના વેપાર ધંધા બંધ રાખી વિરોધ નોંધાવી બંધનુ એલાન કરવા ચિમકી ઉચ્ચારી હતી. જોકે જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની ખાતરી બાદ ભરૂચ શહેર સુવર્ણકારોનું બુધવારનું બંધનું એલાન મોકૂફ કરવામાં આવ્યું છે.
- પાંચબત્તી ખાતે જવેલર્સ પર ફાયરિંગ સાથે ₹15 લાખની લૂંટની ઘટનાનો પડઘો
ભરૂચ. શહેર ના હાર્દસમાં વિસ્તારમાં 2 દિવસ પહેલા ગ્રાહકના સ્વાંગમાં રેકી કરી ગયા બાદ સોમવારે બપોરે 25 સોનાની ચેઇન કિંમત રૂપિયા 15 લાખ જેટલી રકમની લૂંટ ની ઘટના ને વરદાત આપી ગયા બાદ 4 લૂંટારુઓએ 2 જવેલર્સને ઇજાગ્રસ્ત કર્યા હતા. ઘટના ને 24 કલાક વીતવા છતાં હજી સુધી લૂંટનું પગેરું મેળવી શકાયું નથી.
ભરૂચ ઔદ્યોગિકગઢ પેહલથીજ દેશ અને દુનિયામાં ટોચ પર રહ્યો છે. સોમવારે ભરબપોરે બાઈક પર આવેલા 4 લૂંટારુઓએ અંબિકા જવેલર્સને નિશાન બનાવી રૂપિયા 15 લાખની 25 સોનાની ચેનની લૂંટ ચલાવી હતી. જેમાં 2 સોની બ્રધર્સ ને ટાર્ગેટ કરી 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. એક સોની એ લૂંટારુઓ નો પ્રતિકાર કરતા 1 પિસ્તોલ છનવી લેવાઈ હતી.
ઘટનાને 24 કલાકથી વધુનો સમય પસાર થઈ જવા છતાં પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી નથી. જેના વિરોધમાં મંગળવારે ભરૂચ સુવરણકારો એ વિરોધ નોંધવી તંત્રને સાંજે આવેદનપત્ર પાઠવવાની કવાયત હાથ ધરી હોવાનુ ભરૂચ સુવર્ણકાર એસોસિએશનના પ્રમુખ ચંદ્રકાન્ત સોનીએ જણાવ્યું હતુ. સાથે જ ઘટનાના વિરોધમાં 175 ભરૂચ શહેરના સોનીઓ પોતાના વેપાર ધંધા બંધ રાખી વિરોધ નોંધાવી બંધનુ એલાન કરવા ચિમકી ઉચ્ચારી હતી. જોકે જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની ખાતરી બાદ ભરૂચ શહેર સુવર્ણકારોનું બુધવારનું બંધનું એલાન મોકૂફ કરવામાં આવ્યું છે.