સુરતના 3 લોકોએ ખોટા દસ્તાવેજો થકી કરોડોની જમીન બારોબાર વેચી
કિસાનની ફરિયાદ વડાપ્રધાન કાર્યાલય સુધી પડઘાઈ ને પાછી પડી પણ ન્યાય ન મળ્યો
ભરૂચ. દેશમાં એક તરફ કૃષિ બિલને લઈ ઠેર ઠેર પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે. જ્યારે બીજી તરફ ભરૂચમાં પોતાની જમીન ગુમાવનાર ખેડૂતે ન્યાય મેળવવા પંચાયતથી લઈ વડાપ્રધાન કાર્યાલય સુધી ગુહાર લગાવવા છતાં ન્યાય ન મળતા આખરે નાસીપાસ થઈ કિસાન ને ન્યાય મેળવવા જાહેરમાં ભીખ માંગવી પડી હોવાનો કિસ્સો બહાર આવતા લોકો સરકાર સામે રોષ વરસાવી રહયા છે.
સુરતના વલથાન અને કઠોદરા ખાતે અંદાજે 11 વીંઘા જમીન મગનભાઈ ખુશાલભાઈ પટેલની માલિકીની હતી. આ કરોડો રૂપિયાની જમીન સુરતના જ હવાડા ટ્રસ્ટ ખોટા દસ્તાવેજો ઉભા કરી બારોબાર વેચી મારી હતી. આ જમીન પાછી મેળવવા માટે મગનભાઈ પટેલના ભરૂચના ભોલાવ ખાતે વિશ્વનાથ ટાઉનશીપમાં રહેતા વારસદાર મંજુબેન છોટુભાઈ પટેલ અને તેમના પતિ ચંદુભાઈ રોજાહરાએ તંત્રમાં ફરિયાદોનો દોર ચલાવ્યો હતો.
પંચાયતથી લઈ વડાપ્રધાન સુધી ફરિયાદો કરવા છતાં ન્યાય ન મળતા કિસાન દંપત્તિ નાસીપાસ થઈ ગયું છે. ચંદુભાઈએ આજરોજ ન્યાય મેળવવા માટે ભરૂચના સ્ટેશન ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરના પૂતળા પાસે જાહેરમાં ભીખ માંગતા લોકોમાં કુતુહુલ ઉભું થયું હતું. લોકોએ તેમની પાસેથી ભીખ માંગવાનું કારણ જાણી સરકાર અને તંત્ર સામે પોતાની નારાજગી બતાવી હતી. જોકે ઘટના સ્થળે દોડી આવેલી પોલીસે જાહેરમાં ભીખ માંગી અનોખીરીતે વિરોધ નોંધાવનાર ખેડૂત ચંદુભાઈ રોજહરાની અટકાયત કરી હતી.
ખોટી રીતે ગણોતિયો ઉભો કરી જમીન વેચી
સુરતના વલથાન અને કઠોદરા ખાતેની 11 વીંઘા જેટલી જમીન હવાડા ટ્રસ્ટ ચલાવતા ડાહ્યાભાઈ દેસાઈ, ઈશ્વરભાઈ દેસાઈ તથા દિનેશભાઇ દેસાઈએ બારોબાર વર્ષોથી અમેરિકામાં રહેતા જીજ્ઞેશભાઈ અનિલભાઈ પટેલને નિયમોની વિરુદ્ધ જઈ ખોટી રીતે ગણોતિયો ઉભો કરી, ખોટા દસ્તાવેજો ઉભા કરી વેચી મારી હોવાનો આક્ષેપ ચંદુભાઈ રોજહારાએ કર્યો હતો.
કિસાનની ફરિયાદ વડાપ્રધાન કાર્યાલય સુધી પડઘાઈ ને પાછી પડી પણ ન્યાય ન મળ્યો
ભરૂચ. દેશમાં એક તરફ કૃષિ બિલને લઈ ઠેર ઠેર પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે. જ્યારે બીજી તરફ ભરૂચમાં પોતાની જમીન ગુમાવનાર ખેડૂતે ન્યાય મેળવવા પંચાયતથી લઈ વડાપ્રધાન કાર્યાલય સુધી ગુહાર લગાવવા છતાં ન્યાય ન મળતા આખરે નાસીપાસ થઈ કિસાન ને ન્યાય મેળવવા જાહેરમાં ભીખ માંગવી પડી હોવાનો કિસ્સો બહાર આવતા લોકો સરકાર સામે રોષ વરસાવી રહયા છે.
સુરતના વલથાન અને કઠોદરા ખાતે અંદાજે 11 વીંઘા જમીન મગનભાઈ ખુશાલભાઈ પટેલની માલિકીની હતી. આ કરોડો રૂપિયાની જમીન સુરતના જ હવાડા ટ્રસ્ટ ખોટા દસ્તાવેજો ઉભા કરી બારોબાર વેચી મારી હતી. આ જમીન પાછી મેળવવા માટે મગનભાઈ પટેલના ભરૂચના ભોલાવ ખાતે વિશ્વનાથ ટાઉનશીપમાં રહેતા વારસદાર મંજુબેન છોટુભાઈ પટેલ અને તેમના પતિ ચંદુભાઈ રોજાહરાએ તંત્રમાં ફરિયાદોનો દોર ચલાવ્યો હતો.
પંચાયતથી લઈ વડાપ્રધાન સુધી ફરિયાદો કરવા છતાં ન્યાય ન મળતા કિસાન દંપત્તિ નાસીપાસ થઈ ગયું છે. ચંદુભાઈએ આજરોજ ન્યાય મેળવવા માટે ભરૂચના સ્ટેશન ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરના પૂતળા પાસે જાહેરમાં ભીખ માંગતા લોકોમાં કુતુહુલ ઉભું થયું હતું. લોકોએ તેમની પાસેથી ભીખ માંગવાનું કારણ જાણી સરકાર અને તંત્ર સામે પોતાની નારાજગી બતાવી હતી. જોકે ઘટના સ્થળે દોડી આવેલી પોલીસે જાહેરમાં ભીખ માંગી અનોખીરીતે વિરોધ નોંધાવનાર ખેડૂત ચંદુભાઈ રોજહરાની અટકાયત કરી હતી.
ખોટી રીતે ગણોતિયો ઉભો કરી જમીન વેચી
સુરતના વલથાન અને કઠોદરા ખાતેની 11 વીંઘા જેટલી જમીન હવાડા ટ્રસ્ટ ચલાવતા ડાહ્યાભાઈ દેસાઈ, ઈશ્વરભાઈ દેસાઈ તથા દિનેશભાઇ દેસાઈએ બારોબાર વર્ષોથી અમેરિકામાં રહેતા જીજ્ઞેશભાઈ અનિલભાઈ પટેલને નિયમોની વિરુદ્ધ જઈ ખોટી રીતે ગણોતિયો ઉભો કરી, ખોટા દસ્તાવેજો ઉભા કરી વેચી મારી હોવાનો આક્ષેપ ચંદુભાઈ રોજહારાએ કર્યો હતો.