શનિવારે ભોલાવ બ્રિજ ઉપરથી દીકરીને લઈ જતી માતાનું ગળું કપાયું હતું
રવિવારે હરિદ્વાર સોસાયટી અને ઝાડેશ્વર રોડ પાસે ટુ વ્હીલર પર જતા 2 વ્યક્તિના દોરોથી ગળા કપાતા તાત્કાલિક સારવાર હેઠળ ખસેડાયા
કોરોના વચ્ચે માસ્ક સાથે મકરસંક્રાંતિને લઈ ગળાની સુરક્ષા પણ બની અનિવાર્ય
સરકાર જેમ પક્ષીઓ માટે કરૂણા અભિયાન ચલાવે છે તેમ ટુ વ્હીલર ચાલકો માટે પણ પણ રાજ્યવ્યાપી ઝુંબેશ ઉત્તરાયણને અનુલક્ષી શરૂ કરવી જોઈએ
ઓવરબ્રિજ ઉપર બન્ને તરફ દર વખતે લગાવવામાં આવતા કેબલમાં આ વખતે તંત્રે ઢીલ છોડી, વહેલી તકે કેબલ લગાડી વાહનચાલકોને રક્ષણ અપાઇ તે જરૂરી
[caption id="attachment_1464212" align="aligncenter" width="1152"] (પતંગ દોરીથી ગળુ કપાતા મોતને ભેટેલા અંકિતાબેન મિસ્ત્રી)[/caption]
WatchGujarat. ભરૂચ જિલ્લામાં હજી ઉત્તરાયણ અને સરકારનું પક્ષીઓ માટે કરૂણા અભિયાન શરૂ થયું નથી ત્યાર પેહલા જ પતંગના દોરાથી ગળું કપાઇ જવાની 19 કલાકમાં જ સર્જાયેલી 3 ઘટનામાં એક માતાનું મોત થયું છે. તો રવિવારે 2 વ્યક્તિના ગળા કપાતા જીવાદોરી માંડ માંડ બચી ગઈ હતી. જોકે ઘટનાને લઈ ભરૂચ પોલીસ એક્શનમાં આવી ગઈ છે દ્વિચક્રી વાહનચાલકોને પોલીસ સમજાવી તેમની સુરક્ષા માટે વાહન પર તાર લગાવડાવી રહી છે.
ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર આવેલા અરૂણોદય બંગલોઝમાં રહેતા 35 વર્ષીય અંકિતા હિરેનકુમાર મિસ્ત્રી શનિવારે સાંજે તેમની 9 વર્ષની પુત્રીને લઈ શક્તિનાથ આવી રહ્યાં હતાં. જ્યાંથી તેઓ વેજલપુર સાસરીમાં જવાના હતા. એક્ટિવા ઉપર તેઓ ભોલાવ ભૃગુરૂષી બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જ અચાનક પતંગનો દોરો તેમના ગળાના ભાગે આવ્યો હતો. પતંગના ઘાતક દોરાએ તેમનું ગળું કાપી નાખતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. 108 માં અંકિતાબેનને સિવિલ હોસ્પિટલ લવાયા હતા. જોકે સારવાર મળે તે પેહલા જ તેઓનું મૃત્યુ થયું હતું. બાળકી સામે જ માતાનો જીવ જવાની કરૂણાંતિકા સર્જાતા મિસ્ત્રી પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે.
રવિવારે સવારે પતંગના દોરાએ ભોલાવના જ વધુ એક વ્યક્તિનું ગળું કાપી નાખ્યું હતું. જીવનદીપ સોસાયટીમાં રહેતા 50 વર્ષીય મનસુખ કાનજીભાઈ પરમાર એક્ટિવા ઉપર કામ અર્થે નીકળ્યા હતા. હરિદ્વાર સોસાયટી નજીકથી તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે પતંગનો દોરો તેમના ગળાના ભાગે આવી જતા ગળું કપાઈ ગયું હતું. તેઓને 108 માં સિવિલ હોસ્પિતલમાં સારવાર માટે લવાયા હતા. તેમનો ચમત્કારિક બચાવ થયો હતો.
[caption id="attachment_1464217" align="aligncenter" width="1280"] (રવિવારે પતંગ દુરીથી વૃદ્ધનુ ગળુ કપાયુ)[/caption]
જ્યારે ઝાડેશ્વર રોડ ઉપર પણ એક બાઇક ચાલકનું પતંગના દોરાથી ગળું કપાઈ જતા લોહીલુહાણ હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
ભરૂચમાં બાઇક સવારોના પતંગના દોરાથી જીવ બચાવવા પોલીસ આગળ આવી છે. શહેરમાં ગણતરીના કલાકમાં જ 3 મોપેડ ચાલકોના ગળા પતંગના દોરાથી કપાઈ જવાની ઘટના બાદ રવિવારથી જિલ્લા પોલીસે વધુ એક અભિયાન હાથ ધર્યું છે. માત્ર કોરોના ગાઈડલાઈન, કાયદાનું પાલન જ નહીં લોકોને કાતિલ દોરા સામે સુરક્ષા કવચ અપાવવા પોલીસ બાઇક ચાલકોને ઉભા રાખી તેમને વાહન આગળ સુરક્ષા તાર લગાવવા આગ્રહ કરાઈ રહ્યો છે.
સરકાર પણ કરૂણા અભિયાનની જેમ માનવીઓ માટે ઉત્તરાયણ પર્વ ઉપર ટુ વ્હીલર ચાલકોને પતંગના દોરાથી બચાવવા ઝુંબેશ શરૂ કરે તે જરૂરી બન્યું છે. શહેરમાં ઓવરબ્રિજ ઉપર બન્ને તરફ દર વખતે ઉત્તરાયણએ કેબલ લગાવવામાં આવે છે. જેથી કપાયેલો દોરો પસાર થતા વાહન ચાલક ઉપર ન પડે. જોકે આ વખતે તંત્રે તેમાં ઢીલ છોડતા એક માતાની જિંદગીનો પેચ સમય પેહલા જ કપાઈ ગયો છે.
WatchGujarat. ભરૂચ જિલ્લામાં હજી ઉત્તરાયણ અને સરકારનું પક્ષીઓ માટે કરૂણા અભિયાન શરૂ થયું નથી ત્યાર પેહલા જ પતંગના દોરાથી ગળું કપાઇ જવાની 19 કલાકમાં જ સર્જાયેલી 3 ઘટનામાં એક માતાનું મોત થયું છે. તો રવિવારે 2 વ્યક્તિના ગળા કપાતા જીવાદોરી માંડ માંડ બચી ગઈ હતી. જોકે ઘટનાને લઈ ભરૂચ પોલીસ એક્શનમાં આવી ગઈ છે દ્વિચક્રી વાહનચાલકોને પોલીસ સમજાવી તેમની સુરક્ષા માટે વાહન પર તાર લગાવડાવી રહી છે.
ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર આવેલા અરૂણોદય બંગલોઝમાં રહેતા 35 વર્ષીય અંકિતા હિરેનકુમાર મિસ્ત્રી શનિવારે સાંજે તેમની 9 વર્ષની પુત્રીને લઈ શક્તિનાથ આવી રહ્યાં હતાં. જ્યાંથી તેઓ વેજલપુર સાસરીમાં જવાના હતા. એક્ટિવા ઉપર તેઓ ભોલાવ ભૃગુરૂષી બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જ અચાનક પતંગનો દોરો તેમના ગળાના ભાગે આવ્યો હતો. પતંગના ઘાતક દોરાએ તેમનું ગળું કાપી નાખતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. 108 માં અંકિતાબેનને સિવિલ હોસ્પિટલ લવાયા હતા. જોકે સારવાર મળે તે પેહલા જ તેઓનું મૃત્યુ થયું હતું. બાળકી સામે જ માતાનો જીવ જવાની કરૂણાંતિકા સર્જાતા મિસ્ત્રી પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે.
રવિવારે સવારે પતંગના દોરાએ ભોલાવના જ વધુ એક વ્યક્તિનું ગળું કાપી નાખ્યું હતું. જીવનદીપ સોસાયટીમાં રહેતા 50 વર્ષીય મનસુખ કાનજીભાઈ પરમાર એક્ટિવા ઉપર કામ અર્થે નીકળ્યા હતા. હરિદ્વાર સોસાયટી નજીકથી તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે પતંગનો દોરો તેમના ગળાના ભાગે આવી જતા ગળું કપાઈ ગયું હતું. તેઓને 108 માં સિવિલ હોસ્પિતલમાં સારવાર માટે લવાયા હતા. તેમનો ચમત્કારિક બચાવ થયો હતો.
જ્યારે ઝાડેશ્વર રોડ ઉપર પણ એક બાઇક ચાલકનું પતંગના દોરાથી ગળું કપાઈ જતા લોહીલુહાણ હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
ભરૂચમાં બાઇક સવારોના પતંગના દોરાથી જીવ બચાવવા પોલીસ આગળ આવી છે. શહેરમાં ગણતરીના કલાકમાં જ 3 મોપેડ ચાલકોના ગળા પતંગના દોરાથી કપાઈ જવાની ઘટના બાદ રવિવારથી જિલ્લા પોલીસે વધુ એક અભિયાન હાથ ધર્યું છે. માત્ર કોરોના ગાઈડલાઈન, કાયદાનું પાલન જ નહીં લોકોને કાતિલ દોરા સામે સુરક્ષા કવચ અપાવવા પોલીસ બાઇક ચાલકોને ઉભા રાખી તેમને વાહન આગળ સુરક્ષા તાર લગાવવા આગ્રહ કરાઈ રહ્યો છે.
સરકાર પણ કરૂણા અભિયાનની જેમ માનવીઓ માટે ઉત્તરાયણ પર્વ ઉપર ટુ વ્હીલર ચાલકોને પતંગના દોરાથી બચાવવા ઝુંબેશ શરૂ કરે તે જરૂરી બન્યું છે. શહેરમાં ઓવરબ્રિજ ઉપર બન્ને તરફ દર વખતે ઉત્તરાયણએ કેબલ લગાવવામાં આવે છે. જેથી કપાયેલો દોરો પસાર થતા વાહન ચાલક ઉપર ન પડે. જોકે આ વખતે તંત્રે તેમાં ઢીલ છોડતા એક માતાની જિંદગીનો પેચ સમય પેહલા જ કપાઈ ગયો છે.