વાસ્તવિકતા : લોકોએ બે સગીરોને પકડી પાડી મહિલાઓની કબરોમાંથી વાળ કાપી વેંચતા હોવાની કરેલી
અરજીને તપાસમાં હાલ કોઈ સમર્થન નહિ
જોકે પોલીસની તપાસ હજી પણ ચાલુ
ભરૂચ. આમોદ તાલુકાના ઇખર ગામે કબ્રસ્તાનમાંથી મહિલાઓની જૂની કબરો ખોદી વાળ ચોરી કરાતા હોવાના આરોપ સાથે સ્થનિકોએ 2 સગીરોને માર મારી આમોદ પોલીસને હવાલે કરી તેમના વિરુદ્ધ અરજી આપી હતી. પોલીસની રૂબરૂ તપાસમાં કબરો ખોદી વાળ કપાતા હોવાના હજી સુધી કોઈ પુરાવા નહિ મળ્યા હોવાનું ડીવાયએસપીએ જણાવ્યું છે.
આમોદના ઇખર ગામના કબ્રસ્તાનમાંથી બે સગીર બાળકો મહિલાઓની કબરોને નુકશાન કરી તેમાંથી વાળ ચોરી કરતાં હોવાની બુમ ઉઠી હતી. સ્થાનિકોએ બન્ને સગીર બાળકોને પકડી માર માર્યો હતો. અને બંને બાળકોને પોલીસ હવાલે કરી કબરો ખોદી વાળની ચોરી કરાતી હોવાની આશંકા સાથે આમોદ પોલીસ મથકે અરજી કરી હતી.
https://youtu.be/zfLxV1NWvhg
મહિલાઓની જૂની કબરો ખોદી વાળની ચોરી થતી હોવાના સંવેદનશીલ મામલે ડીવાયએસપી એમ. પી. ભોજાણીએ સ્પષ્ટતા કરી હતી કે, છેલ્લા બે- ચાર દિવસથી મીડિયામાં આવતા ન્યૂઝ અંગે વાસ્તવિકતા એ છે કે, આ બાબતે અરજદારની એક અરજી આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, કોઈ બે ઈસમો કબરો ખોદી વાળ કાપી વેચે છે.
જેની તપાસ આમોદ PSI સુથાર પાસે છે. PSI સાથે DYSP ની ચર્ચા થયા મુજબ હજી સુધી આ અરજીને કોઈ સમર્થન મળ્યું નથી. તેમ છતાં પોલીસ દ્વારા આ ઇખર કબ્રસ્તાનની રૂબરૂમાં ચકાસણી કરતા દફનાવેલા મુતદેહોની કબરો ખોદી વાળ કાપી અન્ય કોઈ જગ્યાએ લઈ ગયા હોય તેવા હજી સુધી કોઈ પુરાવા મળ્યા નથી. જોકે તેમ છતાં આ બાબતે તપાસ ચાલુ છે.
- વાસ્તવિકતા : લોકોએ બે સગીરોને પકડી પાડી મહિલાઓની કબરોમાંથી વાળ કાપી વેંચતા હોવાની કરેલી
- અરજીને તપાસમાં હાલ કોઈ સમર્થન નહિ
- જોકે પોલીસની તપાસ હજી પણ ચાલુ
ભરૂચ. આમોદ તાલુકાના ઇખર ગામે કબ્રસ્તાનમાંથી મહિલાઓની જૂની કબરો ખોદી વાળ ચોરી કરાતા હોવાના આરોપ સાથે સ્થનિકોએ 2 સગીરોને માર મારી આમોદ પોલીસને હવાલે કરી તેમના વિરુદ્ધ અરજી આપી હતી. પોલીસની રૂબરૂ તપાસમાં કબરો ખોદી વાળ કપાતા હોવાના હજી સુધી કોઈ પુરાવા નહિ મળ્યા હોવાનું ડીવાયએસપીએ જણાવ્યું છે.
આમોદના ઇખર ગામના કબ્રસ્તાનમાંથી બે સગીર બાળકો મહિલાઓની કબરોને નુકશાન કરી તેમાંથી વાળ ચોરી કરતાં હોવાની બુમ ઉઠી હતી. સ્થાનિકોએ બન્ને સગીર બાળકોને પકડી માર માર્યો હતો. અને બંને બાળકોને પોલીસ હવાલે કરી કબરો ખોદી વાળની ચોરી કરાતી હોવાની આશંકા સાથે આમોદ પોલીસ મથકે અરજી કરી હતી.
મહિલાઓની જૂની કબરો ખોદી વાળની ચોરી થતી હોવાના સંવેદનશીલ મામલે ડીવાયએસપી એમ. પી. ભોજાણીએ સ્પષ્ટતા કરી હતી કે, છેલ્લા બે- ચાર દિવસથી મીડિયામાં આવતા ન્યૂઝ અંગે વાસ્તવિકતા એ છે કે, આ બાબતે અરજદારની એક અરજી આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, કોઈ બે ઈસમો કબરો ખોદી વાળ કાપી વેચે છે.
જેની તપાસ આમોદ PSI સુથાર પાસે છે. PSI સાથે DYSP ની ચર્ચા થયા મુજબ હજી સુધી આ અરજીને કોઈ સમર્થન મળ્યું નથી. તેમ છતાં પોલીસ દ્વારા આ ઇખર કબ્રસ્તાનની રૂબરૂમાં ચકાસણી કરતા દફનાવેલા મુતદેહોની કબરો ખોદી વાળ કાપી અન્ય કોઈ જગ્યાએ લઈ ગયા હોય તેવા હજી સુધી કોઈ પુરાવા મળ્યા નથી. જોકે તેમ છતાં આ બાબતે તપાસ ચાલુ છે.