24 કલાકથી રાજપરડીના યુવાનનો કોઈ પત્તો નહિ
રાજપારડી પોલીસે તરવૈયાઓની ટીમ બનાવી 3 નાવડીઓ થકી આરંભેલી શોધખોળ
ઝઘડિયા. તાલુકાના જુના પોરા ગામે શનિવારે માછીમારી કરવા ગયેલા રાજપારડીના યુવાનને મગર ખેંચી ગયો હતો. યુવાનને મગર ખેંચી જવાની ઘટનાને ૨૪ કલાક બાદ પણ તેનો કોઇ પત્તો લાગ્યો નથી. રાજપારડી પોલીસ તથા સ્થાનિક તરવૈયાઓ યુવાનની શોધખોળ કરી રહ્યા છે. 3 નાવડીઓની મદદથી તરવૈયા નદી ખૂંદી રહ્યા હોવા છતાં યુવાનની હજી સુધી ભાળ મળી નથી.
ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે રહેતો દિનેશ ડાહ્યાભાઇ વસાવા ઉ.વ આશરે 35 માછીમારી કરી પરિવાર નું ગુજરાન ચલાવે છે. ગતરોજ તે જુના પોરા ગામના નર્મદા કિનારે માછીમારી કરવા ગયેલ હતો. દિનેશ માછીમારી કરતો હતો તે દરમિયાન તેને મગર ખેંચી ગયો હતો.
યુવાન નદી કિનારે માછીમારી કરી રહ્યો હોય ત્યારે મગર ખેંચી ગયાની જાણ સ્થનિકોએ કરતા પરિવારજનો દોડતા થઈ ગયા હતા. આ બાબતે સ્થાનિક લોકોએ રાજપારડી પોલીસને જાણ કરી હતી. જુના પોરા ગામના સ્થાનિક તરવૈયાઓની મદદ લઇને નદીમાં લાપતા થયેલ દિનેશ વસાવાને શોધવા કામગીરી હાથ ધરી હતી.
રાજપારડી પોલીસ સ્ટેશનના અવિધા બીટના કોન્સ્ટેબલ મંગુભાઇના જણાવ્યા મુજબ પોલીસે 3 નાવડીઓ અને તરવૈયાઓની મદદથી યુવાનને શોધવા કામગીરી હાથ ધરી હતી. આ લખાય છે ત્યાં સુધી હજી યુવકનો કે તેના મૃતદેહનો ઘટનાને 24 કલાક વીતવા છતાં કોઇ પત્તો લાગ્યો નથી.
ઝઘડિયા. તાલુકાના જુના પોરા ગામે શનિવારે માછીમારી કરવા ગયેલા રાજપારડીના યુવાનને મગર ખેંચી ગયો હતો. યુવાનને મગર ખેંચી જવાની ઘટનાને ૨૪ કલાક બાદ પણ તેનો કોઇ પત્તો લાગ્યો નથી. રાજપારડી પોલીસ તથા સ્થાનિક તરવૈયાઓ યુવાનની શોધખોળ કરી રહ્યા છે. 3 નાવડીઓની મદદથી તરવૈયા નદી ખૂંદી રહ્યા હોવા છતાં યુવાનની હજી સુધી ભાળ મળી નથી.
ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે રહેતો દિનેશ ડાહ્યાભાઇ વસાવા ઉ.વ આશરે 35 માછીમારી કરી પરિવાર નું ગુજરાન ચલાવે છે. ગતરોજ તે જુના પોરા ગામના નર્મદા કિનારે માછીમારી કરવા ગયેલ હતો. દિનેશ માછીમારી કરતો હતો તે દરમિયાન તેને મગર ખેંચી ગયો હતો.
યુવાન નદી કિનારે માછીમારી કરી રહ્યો હોય ત્યારે મગર ખેંચી ગયાની જાણ સ્થનિકોએ કરતા પરિવારજનો દોડતા થઈ ગયા હતા. આ બાબતે સ્થાનિક લોકોએ રાજપારડી પોલીસને જાણ કરી હતી. જુના પોરા ગામના સ્થાનિક તરવૈયાઓની મદદ લઇને નદીમાં લાપતા થયેલ દિનેશ વસાવાને શોધવા કામગીરી હાથ ધરી હતી.
રાજપારડી પોલીસ સ્ટેશનના અવિધા બીટના કોન્સ્ટેબલ મંગુભાઇના જણાવ્યા મુજબ પોલીસે 3 નાવડીઓ અને તરવૈયાઓની મદદથી યુવાનને શોધવા કામગીરી હાથ ધરી હતી. આ લખાય છે ત્યાં સુધી હજી યુવકનો કે તેના મૃતદેહનો ઘટનાને 24 કલાક વીતવા છતાં કોઇ પત્તો લાગ્યો નથી.