ભંગારના ગોડાઉનોમાં સુરક્ષા સલામતી અને દસ્તાવેજો ચેક કરવા કલેકટરની સૂચનાથી દરોડા
ભંગારના ગોડાઉનમાં અવાર નવાર આગની ઘટનાથી લોકોના જીવ જોખમમાં મુકાતા તંત્રનો સપાટો
ને.હા. 48 પર આવેલા સ્ક્રેપ માર્કેટ અને ગોડાઉનોમાં આગ અકસ્માતની ધટના થાય તો મોટી હોનારત સર્જાઈ શકે
WatchGujarat. અંકલેશ્વર નજીક નેશનલ હાઇવેને અડીને આવેલ વિવિધ સ્ક્રેપ માર્કેટમાં તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવતા દોડધામ મચી જવા પામી હતી. તંત્રના આધિકારીઓએ ભંગારના વેપારીઓને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરી દસ્તાવેજો સહિત સુરક્ષા અને સલામતી માટે પગલાં લેવાય છે કે નહીં એ બાબતે તપાસ કરી હતી.
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં પ્રદૂષણ તેમજ ઔદ્યોગિક અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ખાસ કરીને નેશનલ હાઇવેને અડીને આવેલ સ્ક્રેપ માર્કેટમાં અનેક વાર આગ લાગવાના બનાવોને પગલે લોકોના જીવ જોખમમાં મુકાય છે.
ભરૂચ કલેક્ટર ડો.એમ.ડી.મોડીયાની સૂચનાથી અંકલેશ્વર પ્રાંત અધિકારીની ટિમ દ્વારા આજરોજ સ્ક્રેપ માર્કેટમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તંત્રની 2 ટીમમાં 30 થી વધુ અધિકારી અને કર્મચારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભંગારના ગોડાઉનના સંચાલકો પાસે વિવિધ દસ્તાવેજો માંગવામાં આવ્યા હતા તો ગોડાઉનમાં કામ કરતાં કામદારોની સલામતી માટે પગલા ભરવામાં આવે છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી હતી.
તંત્રના દરોડાના કારણે ગોડાઉનના સંચાલકોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો. સ્ક્રેપ માર્કેટના ગોડાઉન માં કેમિકલ યુક્ત બેગ અને ડ્રમને ધોવામાં આવે છે. અને કેમિકલ યુક્ત પાણીને ખુલ્લામાં છોડી દેવામાં આવતું હોવાની ઘટના અગાઉ અનેક વખત પ્રકાશમાં આવી ચૂકી છે. ત્યારે આ મામલે પણ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી હતી. સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ રિપોર્ટ કલેક્ટરને સોપવામાં આવશે. અને ત્યાર બાદ સુરક્ષા-સલામતી અને પર્યાવરણને નુક્શાનમાં ગફલત કરનારા ભંગારના ગોડાઉનના સંચાલકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવશે. હાઇવે ને અડીને આવેલા સ્ક્રેપ માર્કેટમાં આગ અકસ્માતની ઘટના સર્જાય તો વાહન વ્યવહારને પણ વિપરીત અસર પહોંચી શકે તેમ છે.
ભંગારના ગોડાઉનોમાં સુરક્ષા સલામતી અને દસ્તાવેજો ચેક કરવા કલેકટરની સૂચનાથી દરોડા
ને.હા. 48 પર આવેલા સ્ક્રેપ માર્કેટ અને ગોડાઉનોમાં આગ અકસ્માતની ધટના થાય તો મોટી હોનારત સર્જાઈ શકે
WatchGujarat. અંકલેશ્વર નજીક નેશનલ હાઇવેને અડીને આવેલ વિવિધ સ્ક્રેપ માર્કેટમાં તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવતા દોડધામ મચી જવા પામી હતી. તંત્રના આધિકારીઓએ ભંગારના વેપારીઓને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરી દસ્તાવેજો સહિત સુરક્ષા અને સલામતી માટે પગલાં લેવાય છે કે નહીં એ બાબતે તપાસ કરી હતી.
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં પ્રદૂષણ તેમજ ઔદ્યોગિક અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ખાસ કરીને નેશનલ હાઇવેને અડીને આવેલ સ્ક્રેપ માર્કેટમાં અનેક વાર આગ લાગવાના બનાવોને પગલે લોકોના જીવ જોખમમાં મુકાય છે.
ભરૂચ કલેક્ટર ડો.એમ.ડી.મોડીયાની સૂચનાથી અંકલેશ્વર પ્રાંત અધિકારીની ટિમ દ્વારા આજરોજ સ્ક્રેપ માર્કેટમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તંત્રની 2 ટીમમાં 30 થી વધુ અધિકારી અને કર્મચારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભંગારના ગોડાઉનના સંચાલકો પાસે વિવિધ દસ્તાવેજો માંગવામાં આવ્યા હતા તો ગોડાઉનમાં કામ કરતાં કામદારોની સલામતી માટે પગલા ભરવામાં આવે છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી હતી.
તંત્રના દરોડાના કારણે ગોડાઉનના સંચાલકોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો. સ્ક્રેપ માર્કેટના ગોડાઉન માં કેમિકલ યુક્ત બેગ અને ડ્રમને ધોવામાં આવે છે. અને કેમિકલ યુક્ત પાણીને ખુલ્લામાં છોડી દેવામાં આવતું હોવાની ઘટના અગાઉ અનેક વખત પ્રકાશમાં આવી ચૂકી છે. ત્યારે આ મામલે પણ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી હતી. સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ રિપોર્ટ કલેક્ટરને સોપવામાં આવશે. અને ત્યાર બાદ સુરક્ષા-સલામતી અને પર્યાવરણને નુક્શાનમાં ગફલત કરનારા ભંગારના ગોડાઉનના સંચાલકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવશે. હાઇવે ને અડીને આવેલા સ્ક્રેપ માર્કેટમાં આગ અકસ્માતની ઘટના સર્જાય તો વાહન વ્યવહારને પણ વિપરીત અસર પહોંચી શકે તેમ છે.