અહેમદ પટેલની સાચી વિરાસત આરોગ્ય, શિક્ષણ, ટેકનોલોજી અને દલિતોની સેવામાં કાર્યરત રહેવાનો સંકલ્પ કર્યો
પુત્રી મુમતાઝ પટેલ સક્રિય રાજકારણમાં જોડાય શકે છે ની અટકળો હજી તેજ
WatchGujarat. સ્વ. અહેમદ પટેલની અણધારી વિદાય બાદથી તેમની રાજકીય વિરાસતના પેગડામાં તેમના સંતાનો પગ મૂકી આગળ ધપાવશે કે નહીં તેની અટકળો તેજ બની ગઈ હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પિરામણ જેવા નાનકડા ગામના વતની કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને ચાણક્ય એવા અહેમદ પટેલનું (Ahmed Patel) કોરોનાની સારવાર દરમિયાન 25મી નવેમ્બરે વેદાંતા હોસ્પિટલમાં વહેલી સવારે 3:30 કલાકે અચાનક નિધન થયું હતું.
સ્વ.એહમદ પટેલના (Ahmed Patel) પરિવારને સાંત્વના આપવા કોંગ્રેસના દિગગજ નેતાઓ (Congress Leaders) અંકલેશ્વર પીરામણ ખાતે આવી પહોંચ્યા હતા. અહેમદ પટેલના (Ahmed Patel) નિધન બાદ પુત્ર ફૈઝલ પટેલ ( Faisal Patel) અથવા પુત્રી મુમતાઝમાંથી (Mumtaz Patel) કોણ સક્રિય રાજનીતિમાં (Indian Politics) આવશે? એવા સવાલો વચ્ચે છેલ્લા 2 મહિનાથી અનેક અટકળો ચાલી રહી છે. પુત્ર ફૈઝલ પટેલે સક્રિય રાજનીતિમાં નહીં જોડાવવાનો અંતિમ નિર્ણય કર્યો છે.
https://twitter.com/mfaisalpatel/status/1355308085930119168?s=08
કોંગ્રેસના ટ્રબલ શૂટર સ્વ. અહેમદ પટેલને દેશના અલગ અલગ રાજ્યોમાંથી શ્રદ્ધાંજલિ આપવા કોંગ્રેસી આગેવાનો દ્વારા પ્રાર્થના સભાનું આયોજન પણ કરાયું હતું. બીજી બાજુ સ્વ.અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ (Faisal Patel) અને પુત્રી મુમતાઝ પટેલ , (Mumtaz Patel) સ્વ. અહેમદ પટેલના અધૂરા કાર્યોને પુરા કરવા ગુજરાતના આદિવાસી વિસ્તારોની મુલાકાત પણ લીધી હતી.
સ્વ. અહેમદ પટેલને આદિવાસીઓ પ્રત્યે ઘણો લગાવ હતો એટલે જ એમણે નર્મદા જિલ્લાનું અંતરિયાળ અઝાદી પછી પણ વિકાસથી વંચિત રહેલા વાંદરી ગામને દત્તક લઈ વિકાસની કેડી સાથે જોડવાનું કામ કર્યું હતું. સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ (Faisal Patel) અને પુત્રી મુમતાઝ (Mumtaz Patel) પોતાના સ્વર્ગસ્થ પિતાના અધૂરા કાર્યો આગળ ધપાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. આ તમામની વચ્ચે સ્વ.અહેમદ પટેલના પુત્ર અથવા પુત્રી બન્નેમાંથી કોણ સક્રિય રાજનીતિમાં આવશે ? એવા સવાલો ઉઠી રહ્યા હતા.
કોંગ્રેસના દિગગજ નેતાઓને કહ્યુ હતુ કે, જો તેઓ સક્રિય રાજનીતિમાં આવવા માંગતા હોય તો એમનું સ્વાગત છે પણ એનો આખરી નિર્ણય તો સ્વ.અહેમદ પટેલના પુત્ર અને પુત્રી લઈ શકે. હવે સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સક્રિય રાજકરણમાં ન જોડાવવાનો નિર્ણય કર્યો છે. જો કે પુત્રી મુમતાઝ સક્રિય રાજનીતિમાં જોડાઈ શકે છે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
ફૈઝલ પટેલે (Faisal Patel) સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું છે કે, હું સક્રિય રાજકારણમાં જોડાઈશ નહીં. હું આરોગ્ય, શિક્ષણ, ટેકનોલોજી અને એહમદ પટેલે અધૂરા મુકેલા સામાજિક કામો કરવાનું ચાલુ જ રાખીશ. સ્વ.અહેમદ પટેલનો સાચો વારસો એ જ છે કે, પીડિતો અને વંચિત લોકો માટે કામ કરતા રહેવું. હું એ કામો કરવાની પ્રતિજ્ઞા લઉં છું.
અહેમદ પટેલની સાચી વિરાસત આરોગ્ય, શિક્ષણ, ટેકનોલોજી અને દલિતોની સેવામાં કાર્યરત રહેવાનો સંકલ્પ કર્યો
પુત્રી મુમતાઝ પટેલ સક્રિય રાજકારણમાં જોડાય શકે છે ની અટકળો હજી તેજ
WatchGujarat. સ્વ. અહેમદ પટેલની અણધારી વિદાય બાદથી તેમની રાજકીય વિરાસતના પેગડામાં તેમના સંતાનો પગ મૂકી આગળ ધપાવશે કે નહીં તેની અટકળો તેજ બની ગઈ હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પિરામણ જેવા નાનકડા ગામના વતની કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને ચાણક્ય એવા અહેમદ પટેલનું (Ahmed Patel) કોરોનાની સારવાર દરમિયાન 25મી નવેમ્બરે વેદાંતા હોસ્પિટલમાં વહેલી સવારે 3:30 કલાકે અચાનક નિધન થયું હતું.
સ્વ.એહમદ પટેલના (Ahmed Patel) પરિવારને સાંત્વના આપવા કોંગ્રેસના દિગગજ નેતાઓ (Congress Leaders) અંકલેશ્વર પીરામણ ખાતે આવી પહોંચ્યા હતા. અહેમદ પટેલના (Ahmed Patel) નિધન બાદ પુત્ર ફૈઝલ પટેલ ( Faisal Patel) અથવા પુત્રી મુમતાઝમાંથી (Mumtaz Patel) કોણ સક્રિય રાજનીતિમાં (Indian Politics) આવશે? એવા સવાલો વચ્ચે છેલ્લા 2 મહિનાથી અનેક અટકળો ચાલી રહી છે. પુત્ર ફૈઝલ પટેલે સક્રિય રાજનીતિમાં નહીં જોડાવવાનો અંતિમ નિર્ણય કર્યો છે.
કોંગ્રેસના ટ્રબલ શૂટર સ્વ. અહેમદ પટેલને દેશના અલગ અલગ રાજ્યોમાંથી શ્રદ્ધાંજલિ આપવા કોંગ્રેસી આગેવાનો દ્વારા પ્રાર્થના સભાનું આયોજન પણ કરાયું હતું. બીજી બાજુ સ્વ.અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ (Faisal Patel) અને પુત્રી મુમતાઝ પટેલ , (Mumtaz Patel) સ્વ. અહેમદ પટેલના અધૂરા કાર્યોને પુરા કરવા ગુજરાતના આદિવાસી વિસ્તારોની મુલાકાત પણ લીધી હતી.
સ્વ. અહેમદ પટેલને આદિવાસીઓ પ્રત્યે ઘણો લગાવ હતો એટલે જ એમણે નર્મદા જિલ્લાનું અંતરિયાળ અઝાદી પછી પણ વિકાસથી વંચિત રહેલા વાંદરી ગામને દત્તક લઈ વિકાસની કેડી સાથે જોડવાનું કામ કર્યું હતું. સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ (Faisal Patel) અને પુત્રી મુમતાઝ (Mumtaz Patel) પોતાના સ્વર્ગસ્થ પિતાના અધૂરા કાર્યો આગળ ધપાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. આ તમામની વચ્ચે સ્વ.અહેમદ પટેલના પુત્ર અથવા પુત્રી બન્નેમાંથી કોણ સક્રિય રાજનીતિમાં આવશે ? એવા સવાલો ઉઠી રહ્યા હતા.
કોંગ્રેસના દિગગજ નેતાઓને કહ્યુ હતુ કે, જો તેઓ સક્રિય રાજનીતિમાં આવવા માંગતા હોય તો એમનું સ્વાગત છે પણ એનો આખરી નિર્ણય તો સ્વ.અહેમદ પટેલના પુત્ર અને પુત્રી લઈ શકે. હવે સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સક્રિય રાજકરણમાં ન જોડાવવાનો નિર્ણય કર્યો છે. જો કે પુત્રી મુમતાઝ સક્રિય રાજનીતિમાં જોડાઈ શકે છે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
ફૈઝલ પટેલે (Faisal Patel) સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું છે કે, હું સક્રિય રાજકારણમાં જોડાઈશ નહીં. હું આરોગ્ય, શિક્ષણ, ટેકનોલોજી અને એહમદ પટેલે અધૂરા મુકેલા સામાજિક કામો કરવાનું ચાલુ જ રાખીશ. સ્વ.અહેમદ પટેલનો સાચો વારસો એ જ છે કે, પીડિતો અને વંચિત લોકો માટે કામ કરતા રહેવું. હું એ કામો કરવાની પ્રતિજ્ઞા લઉં છું.