વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત બાદ સવારે 9 કલાકે જ રાજીનામુ પાછું ખેંચી લીધું હતું
PM મોદીએ મારી સાથે રાજીનામાં મુદ્દે જ ચર્ચા કરી છે, એમને મેં કહ્યું કે મારે સરકાર-પક્ષ સામે કોઈ નારાજગી નથી: મનસુખ વસાવા
સાંસદ તરીકે કાર્યરત રહો સરકાર તમારી મફત સારવાર કરાવશે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બીજું કામ કાર્યકરો-આગેવાન સંભાળશે
WatchGujarat. ભરૂચ-નર્મદા લોકસભા મતવિસ્તાર ભાજપ સાંસદ મનસુખ વસાવાએ 30 મી ડિસેમ્બરે સવારે 9 કલાકે જ રાજીનામુ પરત ખેંચી લીધું હતું. 20 કલાકના રાજકીય સ્ટંટ પછી ભાજપ સાંસદ મનસુખ વસાવા ભાજપની પટરી પર પરત ફર્યા છે. મનસુખ વસાવાએ રાજીનામુ આપ્યા બાદ જણાવ્યું હતું કે, હું નાદુરસ્ત તબિયતને લીધે રાજીનામુ આપું છું પક્ષ કે સરકાર સાથે કોઈ નારાજગી નથી, જ્યારે રાજીનામાં પત્રમાં એમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે, મારાથી જાણે અજાણે કોઈ ભૂલ થઈ હોય જેથી પક્ષને નુકશાન ન પહોંચે એટલે રાજીનામુ આપું છું, એમનો આ વિરોધાભાસ અનેક પ્રશ્નો ઉપસ્થિત કરે છે. #MP
ભાજપ સાંસદ મનસુખ વસાવા 30 મી ડિસેમ્બરે વેહલી સવારે 6:00 કલાકે જ રાજપીપળાથી ગાંધીનગર જવા રવાના થયા હતા, એમણે વનમંત્રી ગણપત વસાવા સાથે મુલાકાત કરી હતી. દરમિયાન એમણે રાજીનામુ પરત ખેંચ્યું હતું. મનસુખ વસાવાએ રાજુનામું પરત ખેંચવાનું કારણ આપતા watchgujarat.com સાથેની વાતમાં જણાવ્યું હતું કે મને કેન્દ્રીય નેતૃત્વએ કહ્યું કે તમે સાંસદ તરીકે ચાલુ રહેશો તો સરકાર તમારી મફત સારવાર કરાવશે, બીજું કામ તમારા વિસ્તારના કાર્યકરો સાંભળી લેશે. પાર્ટીએ મારી માટે આટલી વ્યવસ્થા કરી એટલે મેં રાજીનામું પરત ખેંચ્યું છે. #MP #Mansukh vasava
મનસુખ વસાવાએ વધુમાં watchgujarat.com ને જણાવ્યું હતું કે, PM મોદી સાથે મારી ફક્ત રાજીનામાં મુદ્દે જ ચર્ચાઓ થઈ છે, એમને મેં કહ્યું કે મારે સરકાર-પક્ષ સામે કોઈ નારાજગી નથી. નાદુરસ્ત તબિયત છે તો તમે 2024 ની ચૂંટણી લડશો રાજકીય નિવૃત થશો કે કેમ એ પ્રશ્ન મામલે તેઓએ સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું, એમણે જણાવ્યું હતું કે એ જાહેરાત કરવાનો મારો નહિ પણ પક્ષનો વિષય છે.
જોકે સાંસદ ની વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, મંત્રી ગણપત વસાવા સાથે શુ વાતચીત થઈ અને ક્યાં મુદ્દે મન કે મત ભેદ હતો તે હકીકતો નો ફોડ બહાર આવ્યો નથી. #MP
More #MP #Mansukh vasava #talked #with #PM Modi #Withdraw #resignation #Gujaratinews #Watchgujarat
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત બાદ સવારે 9 કલાકે જ રાજીનામુ પાછું ખેંચી લીધું હતું
PM મોદીએ મારી સાથે રાજીનામાં મુદ્દે જ ચર્ચા કરી છે, એમને મેં કહ્યું કે મારે સરકાર-પક્ષ સામે કોઈ નારાજગી નથી: મનસુખ વસાવા
સાંસદ તરીકે કાર્યરત રહો સરકાર તમારી મફત સારવાર કરાવશે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બીજું કામ કાર્યકરો-આગેવાન સંભાળશે
WatchGujarat. ભરૂચ-નર્મદા લોકસભા મતવિસ્તાર ભાજપ સાંસદ મનસુખ વસાવાએ 30 મી ડિસેમ્બરે સવારે 9 કલાકે જ રાજીનામુ પરત ખેંચી લીધું હતું. 20 કલાકના રાજકીય સ્ટંટ પછી ભાજપ સાંસદ મનસુખ વસાવા ભાજપની પટરી પર પરત ફર્યા છે. મનસુખ વસાવાએ રાજીનામુ આપ્યા બાદ જણાવ્યું હતું કે, હું નાદુરસ્ત તબિયતને લીધે રાજીનામુ આપું છું પક્ષ કે સરકાર સાથે કોઈ નારાજગી નથી, જ્યારે રાજીનામાં પત્રમાં એમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે, મારાથી જાણે અજાણે કોઈ ભૂલ થઈ હોય જેથી પક્ષને નુકશાન ન પહોંચે એટલે રાજીનામુ આપું છું, એમનો આ વિરોધાભાસ અનેક પ્રશ્નો ઉપસ્થિત કરે છે. #MP
ભાજપ સાંસદ મનસુખ વસાવા 30 મી ડિસેમ્બરે વેહલી સવારે 6:00 કલાકે જ રાજપીપળાથી ગાંધીનગર જવા રવાના થયા હતા, એમણે વનમંત્રી ગણપત વસાવા સાથે મુલાકાત કરી હતી. દરમિયાન એમણે રાજીનામુ પરત ખેંચ્યું હતું. મનસુખ વસાવાએ રાજુનામું પરત ખેંચવાનું કારણ આપતા watchgujarat.com સાથેની વાતમાં જણાવ્યું હતું કે મને કેન્દ્રીય નેતૃત્વએ કહ્યું કે તમે સાંસદ તરીકે ચાલુ રહેશો તો સરકાર તમારી મફત સારવાર કરાવશે, બીજું કામ તમારા વિસ્તારના કાર્યકરો સાંભળી લેશે. પાર્ટીએ મારી માટે આટલી વ્યવસ્થા કરી એટલે મેં રાજીનામું પરત ખેંચ્યું છે. #MP #Mansukh vasava
મનસુખ વસાવાએ વધુમાં watchgujarat.com ને જણાવ્યું હતું કે, PM મોદી સાથે મારી ફક્ત રાજીનામાં મુદ્દે જ ચર્ચાઓ થઈ છે, એમને મેં કહ્યું કે મારે સરકાર-પક્ષ સામે કોઈ નારાજગી નથી. નાદુરસ્ત તબિયત છે તો તમે 2024 ની ચૂંટણી લડશો રાજકીય નિવૃત થશો કે કેમ એ પ્રશ્ન મામલે તેઓએ સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું, એમણે જણાવ્યું હતું કે એ જાહેરાત કરવાનો મારો નહિ પણ પક્ષનો વિષય છે.
જોકે સાંસદ ની વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, મંત્રી ગણપત વસાવા સાથે શુ વાતચીત થઈ અને ક્યાં મુદ્દે મન કે મત ભેદ હતો તે હકીકતો નો ફોડ બહાર આવ્યો નથી. #MP