સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભરૂચ-નર્મદામાં આદિવાસી નેતાઓ આમને સામને
MP એ પોલીસને પણ કહ્યું, વાલિયા તાલુકામાં કોઈ પણ ભાજપના કાર્યકર્તાને હેરાન કરવાનો પ્રયત્ન ન કરે
પોલીસના મિત્રોને કહું, આ વાગલખોડમાં ગેરકાયદે ચાલતા ખનન ચોરીના ધંધામાં પણ ખાણ ખનીજ વિભાગને કહેવાનો છું, ભાજપના લોકોને ડરાવે છે
WatchGujarat. ભરૂચ અને નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી પહેલાં ભાજપ અને બીટીપીના નેતાઓ વચ્ચે વાકપ્રહારો તેજ બન્યાં છે. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ જાહેરમંચ પરથી ભાજપના કાર્યકરોને પ્રચાર કરતાં રોકનારાઓને છઠ્ઠીનું ધાવણ યાદ દેવડાવી દેવાની ધમકી આપી છે.
સ્થાનિક સ્વરાજની રવિવારે યોજાનાર ચૂંટણીનું ઊલટું કાઉન્ટ ડાઉન શરૂ થઈ જવા સાથે ભરૂચ અને નર્મદા જિલ્લામાં આદિવાસી નેતાઓ જોરશોરમાં આમને સામને આવી ગયા છે. બન્ને જિલ્લામાં પાલિકા અને પંચાયતોની ચૂંટણીમાં MP મનસુખ વસાવા VS BTP MLA છોટુ વસાવાએ ચૂંટણી જંગની કમાન સંભાળી લીધી છે. બન્ને આદિવાસી નેતાઓ એકબીજા ઉપર પ્રત્યક્ષ-પરોક્ષ વાક પ્રહારો કરી આક્ષેપબાજી અને નિવેદનો કરી રહ્યા છે.
https://twitter.com/WatchGujarat/status/1364553674534440962?s=20
MP મનસુખ વસાવાનો તાજેતરમાં વાલિયા પંથકમાં યોજેલી એક સભાનો વિડીયો વાયરલ થઇ રહયો છે જેમાં તેઓ પોલીસ સાથે હરીફોને ખુલ્લેઆમ ધમકી આપતાં નજરે પડી રહયાં છે. વાયરલ થયેલા વિડીયોમાં તેઓ વાગલખોડ ગામમાં ચાલતી ગેરકાયદે ખનનની પ્રવૃતિઓનો ઉલ્લેખ કરી રહયાં છે. વધુમાં તેઓ વાલીયા અને નેત્રંગ વિસ્તારમાં ભાજપના કાર્યકરોને પ્રચાર કરતાં રોકવામાં આવી રહયાં હોવાનો આક્ષેપ કરી રહયાં છે. તેમણે જાહેર મંચ પરથી ભાજપના વિરોધીઓને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેવાની ચીમકી આપી છે.
વીડિયોમાં જાહેર મંચ પરથી તેઓ પોલીસ મિત્રોને પણ કહી રહ્યા છે કે, ભાજપના કોઈ પણ કાર્યકરને કોઈ હેરાન ન કરે તેનું ધ્યાન રાખે.
વધુમાં MP એ કહ્યું હતું, પોલીસ મિત્રો, હા હા આ વાગલખોડમાં ગેરકાનૂની ખનનનું કૃત્ય ચાલે છે. મને લોકોએ અરજીઓ આપી છે. ખાણ ખનીજ અધિકારી કેયુર રાજપરા ને પણ કહેવાનો છું. ચોરી અને ગેરકાનૂની ધંધા કરે છે અને પાછા ભાજપના લોકોને ડરાવે છે. ખેલદિલીથી ચૂંટણી લડે અમને કોઈ વાંધો નથી. પ્રચારમાં અવરોધ ઉભા કરશે તો અમે છોડીએ નહિ.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભરૂચ-નર્મદામાં આદિવાસી નેતાઓ આમને સામને
MP એ પોલીસને પણ કહ્યું, વાલિયા તાલુકામાં કોઈ પણ ભાજપના કાર્યકર્તાને હેરાન કરવાનો પ્રયત્ન ન કરે
પોલીસના મિત્રોને કહું, આ વાગલખોડમાં ગેરકાયદે ચાલતા ખનન ચોરીના ધંધામાં પણ ખાણ ખનીજ વિભાગને કહેવાનો છું, ભાજપના લોકોને ડરાવે છે
WatchGujarat. ભરૂચ અને નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી પહેલાં ભાજપ અને બીટીપીના નેતાઓ વચ્ચે વાકપ્રહારો તેજ બન્યાં છે. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ જાહેરમંચ પરથી ભાજપના કાર્યકરોને પ્રચાર કરતાં રોકનારાઓને છઠ્ઠીનું ધાવણ યાદ દેવડાવી દેવાની ધમકી આપી છે.
સ્થાનિક સ્વરાજની રવિવારે યોજાનાર ચૂંટણીનું ઊલટું કાઉન્ટ ડાઉન શરૂ થઈ જવા સાથે ભરૂચ અને નર્મદા જિલ્લામાં આદિવાસી નેતાઓ જોરશોરમાં આમને સામને આવી ગયા છે. બન્ને જિલ્લામાં પાલિકા અને પંચાયતોની ચૂંટણીમાં MP મનસુખ વસાવા VS BTP MLA છોટુ વસાવાએ ચૂંટણી જંગની કમાન સંભાળી લીધી છે. બન્ને આદિવાસી નેતાઓ એકબીજા ઉપર પ્રત્યક્ષ-પરોક્ષ વાક પ્રહારો કરી આક્ષેપબાજી અને નિવેદનો કરી રહ્યા છે.
MP મનસુખ વસાવાનો તાજેતરમાં વાલિયા પંથકમાં યોજેલી એક સભાનો વિડીયો વાયરલ થઇ રહયો છે જેમાં તેઓ પોલીસ સાથે હરીફોને ખુલ્લેઆમ ધમકી આપતાં નજરે પડી રહયાં છે. વાયરલ થયેલા વિડીયોમાં તેઓ વાગલખોડ ગામમાં ચાલતી ગેરકાયદે ખનનની પ્રવૃતિઓનો ઉલ્લેખ કરી રહયાં છે. વધુમાં તેઓ વાલીયા અને નેત્રંગ વિસ્તારમાં ભાજપના કાર્યકરોને પ્રચાર કરતાં રોકવામાં આવી રહયાં હોવાનો આક્ષેપ કરી રહયાં છે. તેમણે જાહેર મંચ પરથી ભાજપના વિરોધીઓને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેવાની ચીમકી આપી છે.
વીડિયોમાં જાહેર મંચ પરથી તેઓ પોલીસ મિત્રોને પણ કહી રહ્યા છે કે, ભાજપના કોઈ પણ કાર્યકરને કોઈ હેરાન ન કરે તેનું ધ્યાન રાખે.
વધુમાં MP એ કહ્યું હતું, પોલીસ મિત્રો, હા હા આ વાગલખોડમાં ગેરકાનૂની ખનનનું કૃત્ય ચાલે છે. મને લોકોએ અરજીઓ આપી છે. ખાણ ખનીજ અધિકારી કેયુર રાજપરા ને પણ કહેવાનો છું. ચોરી અને ગેરકાનૂની ધંધા કરે છે અને પાછા ભાજપના લોકોને ડરાવે છે. ખેલદિલીથી ચૂંટણી લડે અમને કોઈ વાંધો નથી. પ્રચારમાં અવરોધ ઉભા કરશે તો અમે છોડીએ નહિ.