રવિવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જિલ્લાના દિવ્યાંગો, પ્રજ્ઞાચક્ષુ અને મુકબધીર મતદાતાઓ મતદાન કરવા તત્પર
6 વર્ષની વયે જ દ્રષ્ટિ ગુમાવનાર અને મતદાનની પવિત્ર ફરજથી ક્યારેય અળગા ન રહેનાર બિરસા મુંડા ટ્રાયબલ યુનિર્વસિર્ટીના મદદનીશ પ્રોફેસર રિધ્ધી સોની
તનથી અશકત પણ મનથી સશકત લોકશાહીના સૈનિકો મતદાન કરીને વિશ્વની સૌથી મોટી લોકશાહીને મજબૂત બનાવવા સંકલ્પબદ્ધ
Watchgujarat. નર્મદા જિલ્લાનાં મૂકબધિર, પ્રજ્ઞાચક્ષુ સહિતનાં દિવ્યાંગ મતદારોમાં ભલે શિક્ષણનું પ્રમાણ કદાચ ઓછું હશે, પણ લોકશાહીમાં તેમની શ્રધ્ધા અતૂટ છે અને મતદાન માટેની ફરજ પરસ્તી પ્રેરક છે.
સ્વસ્થ અને તંદુરસ્ત વ્યક્તિની જેમ સરળતાથી તેઓ મતદાન કરી શકતા નથી પણ અગવડો-અડચણો વેઠીને પણ મતદાન કરવાની તેમની ધગશ મતદાન મથક સુધી લઇ જાય છે અને ટેકણ લાકડી કે સહાયકની મદદથી મતદાન કરીને તેઓ લોકશાહીને જાણે કે વિકલાંગ થતી બચાવે છે. તનથી અશક્ત પણ મનથી સશક્ત લોકશાહીનાં આ સૈનિકો મતદાન કરીને વિશ્વની સૌથી મોટી લોકશાહીને મજબુત બનાવવા સંકલ્પબધ્ધ છે.
અમદાવાદના રહીશ અને હાલ રાજપીપલાની બિરસા મુંડા ટ્રાયબલ યુનિર્વસિર્ટીમાં મદદનીશ પ્રોફેસર તરીકે સેવા આપી રહેલા રિધ્ધીબેન જ્યેશભાઇ સોનીને માત્ર 5 થી 6 વર્ષની નાની વયે જ કેન્સર થતાં જ તેમને બંન્ને આંખો ગુમાવવી પડી. પરંતુ તેમનું મનોબળ ખૂબ જ મજબૂત છે તેઓ કહે છે કે, દ્રષ્ટિ ગુમાવ્યા બાદ પણ મતદાનની પવિત્ર ફરજથી હું ક્યારેય અળગી રહી નથી.
મૂળ રાજસ્થાન રાજ્યના વતની પરતું હાલ છેલ્લા 15 વર્ષથી વાંદરીયા ગામમાં આવેલ શ્રીવશિષ્ટ આશ્રમમાં રહેતાં અને સંન્યાસી જીવન વિતાવી રહેલાં 50 વર્ષીય સંત બાવાજી ધર્માનંદ આત્માનંદજી કહે છે કે, હું જન્મથી જ એક પગે દિવ્યાંગ છું. પરંતુ લોકશાહીને મજબૂત કરવા માટે મેં દર વખતની ચૂંટણીમાં મતદાન કર્યું છે અને મતદાન કરવું તે આપણી ફરજ પણ છે.
કલીમકવાણા ગામના જન્મથી જ મૂકબધિર એવા સંજયભાઇ વેચાભાઈ તડવીએ તેમનો અંગૂઠો અને ઠપ્પો મારવાની નિશાની દર્શાવીને આગામી ચૂંટણીમાં મતદાન કરવાની તત્પરતા અને ઉત્સાહ દર્શાવે છે. પોતે મૂકબધિર હોવા છતાં મતાધિકાર મળવાની સાથે જ પ્રારંભથી આજદિન સુધીની તમામ ચૂંટણીઓમાં મતદાન કર્યું છે, ત્યારે તેમની સાંકેતિક ભાષામાં પોતાના અન્ય મૂકબધિર સાથીઓ અને પ્રત્યેક મતદારને તેમની સાઈન લેગ્વેંજ થકી અચૂક મતદાન કરવાનો પ્રેરક સંદેશો પાઠવ્યો છે.
જુનવદ ગામનાં નિશાળ ફળીયાના રહીશ શ્રી અશ્વિનભાઈ મણીલાલભાઈ તડવી કહે છે કે, હું જન્મથી જ બંને પગે દિવ્યાંગ હોવા છતાં એકપણ વાર એવું નથી બન્યું કે તેઓ મતદાનથી વંચિત રહ્યા હોય. લોકશાહીના આ મહાપર્વમા પોતાના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરવા અને બીજાઓને પણ મતદાન કરાવજો તેવી લાગણી સાથે મતદારોને અપીલ કરી હતી.
રવિવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જિલ્લાના દિવ્યાંગો, પ્રજ્ઞાચક્ષુ અને મુકબધીર મતદાતાઓ મતદાન કરવા તત્પર
6 વર્ષની વયે જ દ્રષ્ટિ ગુમાવનાર અને મતદાનની પવિત્ર ફરજથી ક્યારેય અળગા ન રહેનાર બિરસા મુંડા ટ્રાયબલ યુનિર્વસિર્ટીના મદદનીશ પ્રોફેસર રિધ્ધી સોની
તનથી અશકત પણ મનથી સશકત લોકશાહીના સૈનિકો મતદાન કરીને વિશ્વની સૌથી મોટી લોકશાહીને મજબૂત બનાવવા સંકલ્પબદ્ધ
Watchgujarat. નર્મદા જિલ્લાનાં મૂકબધિર, પ્રજ્ઞાચક્ષુ સહિતનાં દિવ્યાંગ મતદારોમાં ભલે શિક્ષણનું પ્રમાણ કદાચ ઓછું હશે, પણ લોકશાહીમાં તેમની શ્રધ્ધા અતૂટ છે અને મતદાન માટેની ફરજ પરસ્તી પ્રેરક છે.
સ્વસ્થ અને તંદુરસ્ત વ્યક્તિની જેમ સરળતાથી તેઓ મતદાન કરી શકતા નથી પણ અગવડો-અડચણો વેઠીને પણ મતદાન કરવાની તેમની ધગશ મતદાન મથક સુધી લઇ જાય છે અને ટેકણ લાકડી કે સહાયકની મદદથી મતદાન કરીને તેઓ લોકશાહીને જાણે કે વિકલાંગ થતી બચાવે છે. તનથી અશક્ત પણ મનથી સશક્ત લોકશાહીનાં આ સૈનિકો મતદાન કરીને વિશ્વની સૌથી મોટી લોકશાહીને મજબુત બનાવવા સંકલ્પબધ્ધ છે.
અમદાવાદના રહીશ અને હાલ રાજપીપલાની બિરસા મુંડા ટ્રાયબલ યુનિર્વસિર્ટીમાં મદદનીશ પ્રોફેસર તરીકે સેવા આપી રહેલા રિધ્ધીબેન જ્યેશભાઇ સોનીને માત્ર 5 થી 6 વર્ષની નાની વયે જ કેન્સર થતાં જ તેમને બંન્ને આંખો ગુમાવવી પડી. પરંતુ તેમનું મનોબળ ખૂબ જ મજબૂત છે તેઓ કહે છે કે, દ્રષ્ટિ ગુમાવ્યા બાદ પણ મતદાનની પવિત્ર ફરજથી હું ક્યારેય અળગી રહી નથી.
મૂળ રાજસ્થાન રાજ્યના વતની પરતું હાલ છેલ્લા 15 વર્ષથી વાંદરીયા ગામમાં આવેલ શ્રીવશિષ્ટ આશ્રમમાં રહેતાં અને સંન્યાસી જીવન વિતાવી રહેલાં 50 વર્ષીય સંત બાવાજી ધર્માનંદ આત્માનંદજી કહે છે કે, હું જન્મથી જ એક પગે દિવ્યાંગ છું. પરંતુ લોકશાહીને મજબૂત કરવા માટે મેં દર વખતની ચૂંટણીમાં મતદાન કર્યું છે અને મતદાન કરવું તે આપણી ફરજ પણ છે.
કલીમકવાણા ગામના જન્મથી જ મૂકબધિર એવા સંજયભાઇ વેચાભાઈ તડવીએ તેમનો અંગૂઠો અને ઠપ્પો મારવાની નિશાની દર્શાવીને આગામી ચૂંટણીમાં મતદાન કરવાની તત્પરતા અને ઉત્સાહ દર્શાવે છે. પોતે મૂકબધિર હોવા છતાં મતાધિકાર મળવાની સાથે જ પ્રારંભથી આજદિન સુધીની તમામ ચૂંટણીઓમાં મતદાન કર્યું છે, ત્યારે તેમની સાંકેતિક ભાષામાં પોતાના અન્ય મૂકબધિર સાથીઓ અને પ્રત્યેક મતદારને તેમની સાઈન લેગ્વેંજ થકી અચૂક મતદાન કરવાનો પ્રેરક સંદેશો પાઠવ્યો છે.
જુનવદ ગામનાં નિશાળ ફળીયાના રહીશ શ્રી અશ્વિનભાઈ મણીલાલભાઈ તડવી કહે છે કે, હું જન્મથી જ બંને પગે દિવ્યાંગ હોવા છતાં એકપણ વાર એવું નથી બન્યું કે તેઓ મતદાનથી વંચિત રહ્યા હોય. લોકશાહીના આ મહાપર્વમા પોતાના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરવા અને બીજાઓને પણ મતદાન કરાવજો તેવી લાગણી સાથે મતદારોને અપીલ કરી હતી.