ગુજરાત ક્લાવૃંદએ ભરૂચ જિલ્લા વહીવટી તંત્રને આવેદન આપી વેદના ઠાલવી
ભરૂચ જિલ્લામાં જ 3000 કલાકારો, અન્ય કસબીઓ, ટેક્નિશયનો સહિતનો પરિવાર કલા ક્ષેત્રે સંકળાયેલો
ભરૂચ. કોરોના કહેર ની પોઝિટિવ સાથે જ નેગેટિવ ઇફેકટે લાખો લોકોને બરબાદ કરી દીધા છે. તમામ ક્ષેત્રે વેપાર ધંધા પડી ભાંગવા સાથે લાખો પરિવારની આજીવિકાને પણ કોરોના નો અજગરી ભરડો ગળી ગયો છે.
ગુજરાત ક્લાવૃંદ પણ કોરોનાની આ મહામારી માં પાયમાલ તેમજ બેકાર થવાથી બાકાત રહ્યું નથી. રાજ્યના હજારો કલાકારો વતી ભરૂચ જિલ્લાના કલાકારો દ્વારા મંગળવારે ભરૂચ જિલ્લા પ્રશાસન ને હવે વિવિધ શો, કાર્યક્રમો શરૂ કરવા માટે પરવાનગી આપવા યાચના ગુજારી હતી.
ભરૂચ જિલ્લામાં જ 3000 કલાકારો, અન્ય કસબીઓ, ટેક્નિશયનો સહિતનો પરિવાર કલા ક્ષેત્રે સંકળાયેલો છે. જેઓ છેલ્લા 6 મહિનાથી બેકાર છે. રાજ્ય સરકાર હવે તેઓને મંજૂરી આપે તો તેઓની કલા ફરી જીવંત થવા સાથે તેઓના પરિવારનું ગુજરાન ગબડી શકે છે. સાથે જ લોકો કલા ફરી જીવંત થવા સાથે તેઓના પરિવારનું ગુજરાન ગબડી શકે છે. સાથે જ લોકો કલા થકી માનસિક રીતે પણ કોરોનાના હાઉ માંથી બહાર આવી શકે તેમ છે. જેને ધ્યાને લઇ મંગળવારે જિલ્લાના કલાકારોએ વિવિધ શો, કાર્યક્રમો ને મનજુરી આપવાની રજુઆત કરી હતી.
ગુજરાત ક્લાવૃંદએ ભરૂચ જિલ્લા વહીવટી તંત્રને આવેદન આપી વેદના ઠાલવી
ભરૂચ જિલ્લામાં જ 3000 કલાકારો, અન્ય કસબીઓ, ટેક્નિશયનો સહિતનો પરિવાર કલા ક્ષેત્રે સંકળાયેલો
ભરૂચ. કોરોના કહેર ની પોઝિટિવ સાથે જ નેગેટિવ ઇફેકટે લાખો લોકોને બરબાદ કરી દીધા છે. તમામ ક્ષેત્રે વેપાર ધંધા પડી ભાંગવા સાથે લાખો પરિવારની આજીવિકાને પણ કોરોના નો અજગરી ભરડો ગળી ગયો છે.
ગુજરાત ક્લાવૃંદ પણ કોરોનાની આ મહામારી માં પાયમાલ તેમજ બેકાર થવાથી બાકાત રહ્યું નથી. રાજ્યના હજારો કલાકારો વતી ભરૂચ જિલ્લાના કલાકારો દ્વારા મંગળવારે ભરૂચ જિલ્લા પ્રશાસન ને હવે વિવિધ શો, કાર્યક્રમો શરૂ કરવા માટે પરવાનગી આપવા યાચના ગુજારી હતી.
ભરૂચ જિલ્લામાં જ 3000 કલાકારો, અન્ય કસબીઓ, ટેક્નિશયનો સહિતનો પરિવાર કલા ક્ષેત્રે સંકળાયેલો છે. જેઓ છેલ્લા 6 મહિનાથી બેકાર છે. રાજ્ય સરકાર હવે તેઓને મંજૂરી આપે તો તેઓની કલા ફરી જીવંત થવા સાથે તેઓના પરિવારનું ગુજરાન ગબડી શકે છે. સાથે જ લોકો કલા ફરી જીવંત થવા સાથે તેઓના પરિવારનું ગુજરાન ગબડી શકે છે. સાથે જ લોકો કલા થકી માનસિક રીતે પણ કોરોનાના હાઉ માંથી બહાર આવી શકે તેમ છે. જેને ધ્યાને લઇ મંગળવારે જિલ્લાના કલાકારોએ વિવિધ શો, કાર્યક્રમો ને મનજુરી આપવાની રજુઆત કરી હતી.