DGVCL નું ટ્રાન્સફોર્મર ખોટકાતા ભરૂચ સિવિલ હોસ્પિટલ જનરેટરના સહારે
કોરોના સહિતના દર્દીઓની સારવાર દરમિયાન જનરેટરમાં પણ અનેક વખત વિજ પુરવઠો ખોરવાય છે
ભરૂચ સિવિલ હોસ્પિટલને રાજ્ય સરકાર દ્વારા મેડિકલ કોલેજ અને આધુનિકરણના ઓઠા હેઠળ વડોદરાની રૂદ્રાક્ષ સંસ્થાને માત્ર 1 રૂપિયા ટોકને ભાડે પટે આપી દીધી છે. પરંતુ મેનેજમેન્ટ દ્વારા હોસ્પિટલની દેખરેખમાં ઉણપ રાખવામાં આવી રહી હોવાને કિસ્સો સામે આવ્યો હતો. હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસથી DGVCL નું ટ્રાન્સફોર્મર ખોટકાતા સારવાર ઇલેક્ટ્રીક જનરેટરના ભરોસે ચાલી રહી છે.
સિવિલનો હવાલો ખાનગી સંસ્થાને હવાલે કર્યા બાદ પણ અવારનવાર સેવા, સુવિધા અને સારવારને લઈ બુમરાણ ઉઠી રહી છે. કોરોના મહામારી વચ્ચે જિલ્લામાં વધતા કેસોથી સિવિલમાં પણ કોવિડ સેન્ટર કાર્યરત કરી દર્દીઓને સારવાર અપાઈ રહી છે.
હાલ ચોમાસાની મોસમ વચ્ચે સિવિલ હોસ્પિટલનું ટ્રાન્સફોર્મર છાશવારે ખોટકાઈ રહ્યું હોય કોરોના સહિતના દર્દીઓ વીજળી વિના વલખા મારવા મજબૂર બન્યા છે. હોસ્પિટલમાં વીજ પુરવઠો કાર્યરત રાખવા જનરેટર ધમધમાવવામાં આવી રહ્યું છે.જે પણ કેટલાક કલાકો ચાલ્યા બાદ બંધ પડી જતા દર્દીઓના હાલ બેહાલ બની રહ્યા છે. વીજ કંપની એ ખોટકાયેલા ટ્રાન્સફોર્મરને દુરસ્ત કરવાની કામગીરી ઝડપભેર હાથ ધરી છે. જનરેટર પર ચાલતી જિલ્લાની એક માત્ર આશીર્વાદ રૂપ સિવિલમાં પણ વારંવાર ડીઝલ ખૂટી જતા કોવિડ વોર્ડમાં રહેલા કોરોના ના દર્દીઓ સહિત અન્યની સમસ્યાનો પાર રહ્યો નથી.
DGVCL નું ટ્રાન્સફોર્મર ખોટકાતા ભરૂચ સિવિલ હોસ્પિટલ જનરેટરના સહારે
કોરોના સહિતના દર્દીઓની સારવાર દરમિયાન જનરેટરમાં પણ અનેક વખત વિજ પુરવઠો ખોરવાય છે
ભરૂચ સિવિલ હોસ્પિટલને રાજ્ય સરકાર દ્વારા મેડિકલ કોલેજ અને આધુનિકરણના ઓઠા હેઠળ વડોદરાની રૂદ્રાક્ષ સંસ્થાને માત્ર 1 રૂપિયા ટોકને ભાડે પટે આપી દીધી છે. પરંતુ મેનેજમેન્ટ દ્વારા હોસ્પિટલની દેખરેખમાં ઉણપ રાખવામાં આવી રહી હોવાને કિસ્સો સામે આવ્યો હતો. હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસથી DGVCL નું ટ્રાન્સફોર્મર ખોટકાતા સારવાર ઇલેક્ટ્રીક જનરેટરના ભરોસે ચાલી રહી છે.
સિવિલનો હવાલો ખાનગી સંસ્થાને હવાલે કર્યા બાદ પણ અવારનવાર સેવા, સુવિધા અને સારવારને લઈ બુમરાણ ઉઠી રહી છે. કોરોના મહામારી વચ્ચે જિલ્લામાં વધતા કેસોથી સિવિલમાં પણ કોવિડ સેન્ટર કાર્યરત કરી દર્દીઓને સારવાર અપાઈ રહી છે.
હાલ ચોમાસાની મોસમ વચ્ચે સિવિલ હોસ્પિટલનું ટ્રાન્સફોર્મર છાશવારે ખોટકાઈ રહ્યું હોય કોરોના સહિતના દર્દીઓ વીજળી વિના વલખા મારવા મજબૂર બન્યા છે. હોસ્પિટલમાં વીજ પુરવઠો કાર્યરત રાખવા જનરેટર ધમધમાવવામાં આવી રહ્યું છે.જે પણ કેટલાક કલાકો ચાલ્યા બાદ બંધ પડી જતા દર્દીઓના હાલ બેહાલ બની રહ્યા છે. વીજ કંપની એ ખોટકાયેલા ટ્રાન્સફોર્મરને દુરસ્ત કરવાની કામગીરી ઝડપભેર હાથ ધરી છે. જનરેટર પર ચાલતી જિલ્લાની એક માત્ર આશીર્વાદ રૂપ સિવિલમાં પણ વારંવાર ડીઝલ ખૂટી જતા કોવિડ વોર્ડમાં રહેલા કોરોના ના દર્દીઓ સહિત અન્યની સમસ્યાનો પાર રહ્યો નથી.