રૂ. 70 કરોડની જી.એસ.ટી ચોરીની તપાસનુંનો રેલો કાૈભાંડીના રૂ.446 કરોડ સુધી પહોંચ્યું
રોકાણ કરનારને વળતર આપવાની સ્કીમ અંતર્ગત આઇડી દીઠ 8500 થી 127500 સુધીનું તબક્કાવાર રોકાણ કરાવવામાં આવતુ હતુ.
વડોદરા.સીજીએસટી અને સેન્ટ્રલ એક્સાઇઝ, વડોદરા દ્વારા રૂ. 70 કરોડની જીએસટીની ચોરીના આરોપસર ત્રણ મહિના અગાઉ પકડાયેલા ભરૂચના ભોલાવ વિસ્તારમાં ઓફિસ ધરાવતા દિલીપ બાબુલાલ જૈનનું રૂ. 446 કરોડનું કૌભાંડ સીઆઇડી ક્રાઇમની તપાસમાં ઘટસ્ફોટ થયો હતો. 5 લાખથી વધારે આઈડી જનરેટ કરી રોકાણકારોના રૂ.446 કરોડનું રોકાણ કરાવ્યા બાદ રોકાણકારોને નાણાં પરત નહી આપીને મોટા પાયે છેતરપીડી આચરનાર ભેજાબાજ વેપારીની સામે વધુ એક ગુનો સીઆઇડી ક્રાઇમે નોંધ્યો છે. જીએસટી ચોરીમાં વડોદરા સેન્ટ્રલ જેલમાં જેલવાસ ભોગવી રહેલા ભેજાબાજનો કબ્જો લઇને સીઆઇડીએ આગામી તારીખ ૧લી સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ અદાલતમાંથી મેળવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ભરૂચના ધર્મ નગર, ઝાડેશ્વર ભોલાવ ખાતે દિલીપ બાબુલાલ જૈન રહેતા હતા તેમજ આ જ સ્થળે જીનેસીસ ફોર યુ નામની કંપનીની ઓફિસ પરિસર ધરાવતા હતા. દિલીપ બાબુલાલ જૈન દ્વારા મેસર્સ જેનેસીસ ગ્રૂપ, મેસર્સ ગ્રેબડીલ ઇન્ટરનેશનલ, મેસર્સ ગ્રેબડીલ એડવર્ટાઇઝમેન્ટ એન્ડ ટુરિઝમ અને મેસર્સ ગ્લામોક્સ સોલ્યુશન પ્રા.લિ.માં અંદરોઅંદર વ્યવહાર કરવામાં આવતા હતા. ત્રણ મહિના અગાઉ સીજીએસટી એન્ડ સેન્ટ્રલ એક્સાઇઝ વડોદરા - ૨ ના અધિકારીઓ દ્વારા દિલીપ બાબુલાલ જૈનના ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં રૂ.70 કરોડની જીએસટી ચોરી પકડાઇ હતી. આ દરમિયાન અન્ય ચોંકાવનારા કેટલાક કરતૂતો પણ બહાર આવ્યા હતા. જેના પગલે જીએસટી વિભાગ સીઆઇડી ક્રાઇમને જાણ કરવામાં આવી હતી. જેના પગલે સીઆઇડીની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન ૨૦૧૫માં જીનેસીસ ફોર યુ ગ્રુપના નામની મલ્ટીલેવલ માર્કેટીંગનો ધંધો શરૂ કર્યો હતો. જેમાં કંપની દ્વારા પાંચ લાખ આઇડી જનરેટ કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યુ હતુ. આ આઇડી મુજબ રોકાણ કરનારને વળતર આપવાની સ્કીમ બનાવવામાં આવી હતી. આઈડી દીઠ 8500 થી 127500 સુધીનું તબક્કાવાર રોકાણ કરાવવામાં આવતુ હતુ. રોકાણ મુજબ 1200 થી 18000 રૂપિયાનું વળતર ચૂકવવાની લાલચ આપવામાં આવી હતી. તેની સાથે એક રોકાણકાર બીજો રોકાણકાર લાવે તો તેને 250 રૂપિયાનું કમિશન પણ આપવામાં આપવાની લાલચ આપવામાં આવી હતી. દિલીપ જૈન દ્વારા જીએસટી અંતર્ગત આવતી ફાઇનાન્સિયલ સર્વિસ આપવામાં આવતી હતી. કંપનીના પ્રોમોટર અને સબ સ્ક્રાઇબરને કમિશન આપવામાં આવતું હતું, પરંતુ જીએસટી ભરપાઇ કરવામાં આવી ન હતી. જેના પગલે જીએસટી ચોરીની સાથે સાથે તેની કંપનીમાં રોકાણ કરનારાઓને પણ કોઇ જ નાણાં પરત આપ્યા ન હોવાનું પણ બહાર આવ્યુ હતુ. તેણે રૂ. 446 કરોડ રૂપિયાનું રોકાણ કંપનીમાં કરાવ્યુ હતુ.
સીઆઇડી ક્રાઇમની તપાસમાં આવેલી વિગતોના આધારે પીએસઆઇ બી. જે. પુરબીયાએ દિલીપ બાબુલાલ જૈન, બાબુલાલ કેશરીમલ જૈન તથા અન્યની સામે ગુનો દાખલ કર્યો હતો. આ અગાઉ જીએસટી ચોરીમાં વડોદરા જેલમાં કોર્ટ કસ્ટડીમાં રહેલા દિલીપ બાબુલાલ જૈનનો સીઆઇડીના અધિકારીઓએ ટ્રાન્સફર વોરંટ મેળવીને કબજો મેળવીને વડોદરા મુખ્ય સેશન્સ કોર્ટમાં રજૂ કરીને રીમાન્ડની માંગણી કરી હતી. અદાલતે તારીખ 1લી સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
વડોદરા.સીજીએસટી અને સેન્ટ્રલ એક્સાઇઝ, વડોદરા દ્વારા રૂ. 70 કરોડની જીએસટીની ચોરીના આરોપસર ત્રણ મહિના અગાઉ પકડાયેલા ભરૂચના ભોલાવ વિસ્તારમાં ઓફિસ ધરાવતા દિલીપ બાબુલાલ જૈનનું રૂ. 446 કરોડનું કૌભાંડ સીઆઇડી ક્રાઇમની તપાસમાં ઘટસ્ફોટ થયો હતો. 5 લાખથી વધારે આઈડી જનરેટ કરી રોકાણકારોના રૂ.446 કરોડનું રોકાણ કરાવ્યા બાદ રોકાણકારોને નાણાં પરત નહી આપીને મોટા પાયે છેતરપીડી આચરનાર ભેજાબાજ વેપારીની સામે વધુ એક ગુનો સીઆઇડી ક્રાઇમે નોંધ્યો છે. જીએસટી ચોરીમાં વડોદરા સેન્ટ્રલ જેલમાં જેલવાસ ભોગવી રહેલા ભેજાબાજનો કબ્જો લઇને સીઆઇડીએ આગામી તારીખ ૧લી સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ અદાલતમાંથી મેળવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ભરૂચના ધર્મ નગર, ઝાડેશ્વર ભોલાવ ખાતે દિલીપ બાબુલાલ જૈન રહેતા હતા તેમજ આ જ સ્થળે જીનેસીસ ફોર યુ નામની કંપનીની ઓફિસ પરિસર ધરાવતા હતા. દિલીપ બાબુલાલ જૈન દ્વારા મેસર્સ જેનેસીસ ગ્રૂપ, મેસર્સ ગ્રેબડીલ ઇન્ટરનેશનલ, મેસર્સ ગ્રેબડીલ એડવર્ટાઇઝમેન્ટ એન્ડ ટુરિઝમ અને મેસર્સ ગ્લામોક્સ સોલ્યુશન પ્રા.લિ.માં અંદરોઅંદર વ્યવહાર કરવામાં આવતા હતા. ત્રણ મહિના અગાઉ સીજીએસટી એન્ડ સેન્ટ્રલ એક્સાઇઝ વડોદરા - ૨ ના અધિકારીઓ દ્વારા દિલીપ બાબુલાલ જૈનના ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં રૂ.70 કરોડની જીએસટી ચોરી પકડાઇ હતી. આ દરમિયાન અન્ય ચોંકાવનારા કેટલાક કરતૂતો પણ બહાર આવ્યા હતા. જેના પગલે જીએસટી વિભાગ સીઆઇડી ક્રાઇમને જાણ કરવામાં આવી હતી. જેના પગલે સીઆઇડીની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન ૨૦૧૫માં જીનેસીસ ફોર યુ ગ્રુપના નામની મલ્ટીલેવલ માર્કેટીંગનો ધંધો શરૂ કર્યો હતો. જેમાં કંપની દ્વારા પાંચ લાખ આઇડી જનરેટ કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યુ હતુ. આ આઇડી મુજબ રોકાણ કરનારને વળતર આપવાની સ્કીમ બનાવવામાં આવી હતી. આઈડી દીઠ 8500 થી 127500 સુધીનું તબક્કાવાર રોકાણ કરાવવામાં આવતુ હતુ. રોકાણ મુજબ 1200 થી 18000 રૂપિયાનું વળતર ચૂકવવાની લાલચ આપવામાં આવી હતી. તેની સાથે એક રોકાણકાર બીજો રોકાણકાર લાવે તો તેને 250 રૂપિયાનું કમિશન પણ આપવામાં આપવાની લાલચ આપવામાં આવી હતી. દિલીપ જૈન દ્વારા જીએસટી અંતર્ગત આવતી ફાઇનાન્સિયલ સર્વિસ આપવામાં આવતી હતી. કંપનીના પ્રોમોટર અને સબ સ્ક્રાઇબરને કમિશન આપવામાં આવતું હતું, પરંતુ જીએસટી ભરપાઇ કરવામાં આવી ન હતી. જેના પગલે જીએસટી ચોરીની સાથે સાથે તેની કંપનીમાં રોકાણ કરનારાઓને પણ કોઇ જ નાણાં પરત આપ્યા ન હોવાનું પણ બહાર આવ્યુ હતુ. તેણે રૂ. 446 કરોડ રૂપિયાનું રોકાણ કંપનીમાં કરાવ્યુ હતુ.
સીઆઇડી ક્રાઇમની તપાસમાં આવેલી વિગતોના આધારે પીએસઆઇ બી. જે. પુરબીયાએ દિલીપ બાબુલાલ જૈન, બાબુલાલ કેશરીમલ જૈન તથા અન્યની સામે ગુનો દાખલ કર્યો હતો. આ અગાઉ જીએસટી ચોરીમાં વડોદરા જેલમાં કોર્ટ કસ્ટડીમાં રહેલા દિલીપ બાબુલાલ જૈનનો સીઆઇડીના અધિકારીઓએ ટ્રાન્સફર વોરંટ મેળવીને કબજો મેળવીને વડોદરા મુખ્ય સેશન્સ કોર્ટમાં રજૂ કરીને રીમાન્ડની માંગણી કરી હતી. અદાલતે તારીખ 1લી સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.