ઉચ્ચ સનદી અધીકારીઓનું ઐતિહાસિક કૌભાંડ:- વાગરા તાલુકાનાં મૂળમાલિકો અને જમીન સંપાદનનાં પૈસા વલસાડ જિલ્લાનાં ખેડૂતોનાં ખાતામાં પડવાનો ચોંકાવનારો કિસ્સો
વાગરા તાલુકાના ત્રણ ગામોની અંદાજે ૬૦૦ કરોડ જમીન કૌભાંડમાં માજીમંત્રીએ દેશના વડાપ્રધાનને જવાબદાર સનદી અધીકારીની ધરપકડ કરીને સીબીઆઈ તપાસની માંગ કરતાં ખળભળાટ
જીઆઈડીસીના એમડી થન્નારશન,ઉધોગ અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ અને ભરૂચ જીઆઈડીસીનાં જમીન સંપાદન અધિકારી ડેપ્યુટી કલેકટર યાસ્મીન શેખ કાયદાના ઓથા હેઠળ આચરેલું કૌભાંડ
ભરૂચ. વાગરા તાલુકાના ત્રણ ગામોની જીઆઇડીસી માટે સંપાદિત થયેલી અશિક્ષીત ખેડૂત ખાતેદારોની ૧૨૦૦ એકર જમીન ત્રણ સનદી અધીકારીઓના આશીર્વાદ ભૂમાફીયાઓએ પટાવી,ફોસલાવી, ધાકધમકી આપીને ભરૂચ જિલ્લા બહારના મળતીયા ખેડૂતોનાં નામે દસ્તાવેજ કરીને અંદાજે રૂ. ૬૦૦ કરોડનું ચોંકાવનારૂ મસમોટુ કૌભાંડનો પર્દાફાશ થતાં સનસનાટી મચી ગઈ છે.આખા રેકેટમાં સંડોવાયેલા જીઆઇડીસીના એમડી,ઉધોગ અધિક મુખ્ય સચિવ તેમજ ભરૂચ જીઆઈડીસીના જમીન સંપાદન ડેપ્યુટી કલેકટર સામે માજી મંત્રીએ દેશના વડાપ્રધાન તેમજ ગુજરાતના મુખ્યમંત્રીને લેખિતમાં એવી રજુઆત કરી છે કે આવા ભ્રષ્ટ અધિકારીઓની ધરપકડ કરીને સીબીઆઈ દ્રારા તળિયાઝાટક તપાસની માંગ કરવામાં આવી છે.
લેખિત પત્રમાં દેશના વડાપ્રધાન ગુજરાતનાં તત્કાલીન મુખ્યમંત્રી હોવાથી તેઓ મને સ્વભાવગત પ્રકૃતિ જાણે છે કે અમારી પાસે નિ:સહાય પરીવારોનો પ્રશ્ન આવે તો ૧૦૦ ટકા ન્યાય અપાવવા માટે વાકેફ છે.જે માટે ભ્રષ્ટ સનદી અધીકારીઓના વાઈટ કોલર ક્રાઈમ સામે સરકારે ઉદાહરણ બેસે એવા સખ્તાઈનાં કડકમાં કડક પગલાં ભરવાં જોઈએ.
ભરૂચ-નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિ કન્વીનર તેમજ માજીમંત્રી ખુમાનસિંહ વાંસિયાએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી,ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગુજરાત પ્રદેશ ભાજપનાં અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત દસ જણાંને લેખિતમાં એવી રજુઆત કરવામાં આવી છે કે મારી પાસે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાનાં ત્રણ ગામોની જમીન સંપાદનની પ્રક્રિયામાં ઐતિહાસિક મસમોટું કૌભાંડ થતાં ગરીબ ખેડૂતોનો ભોગ લેવાઈ ગયો છે.ગુજરાત રાજ્યની ૧૯૬૦માં સ્થાપના બાદ રાજયના ઔધોગિક વિકાસમાં ગુજરાત ઔધોગિક વિકાસ નિગમની ચાવીરૂપ ભૂમિકા રહી છે.જે જીઆઈડીસીએ સને-૨૦૧૯ સુધી પારદર્શક જમીન સંપાદનથી તેનાથી નબળા,દેવાદાર,અશિક્ષીત ખેડૂતોને ન્યાયપૂર્વક યોગ્ય વળતર મળતું હતું.
હાલનાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સને-૨૦૦૧થી ૨૦૧૪ સુધીનાં સમયગાળામાં તેઓ લોકપ્રિય ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂકેલા ઔધોગિક વિકાસે હરણફાળ ભરી એ જગજાહેર છે.પરંતુ સને-૨૦૨૦માં વાગરા તાલુકાનાં અંભેલ,પખાજણ અને લીમડી ગામોની ૧૬૦૦ એકર જમીન સંપાદન પ્રક્રિયામાં ૧૨૦૦ એકર જમીન મૂળ ખેડૂત ખાતેદારોને સમજાવી, પટાવી,ફોસલાવી ઉપરાંત ધાક-ધમકીથી નજીવા ભાવે દસ્તાવેજો લખાવીને તેનાથી સંતોષ ન થતાં જીઆઈડીસીએ જમીન સંપાદનનું જાહેરનામું બહાર પાડીને એમડી એમ.થન્નારશનના સીધા મળતીયાઓને પહેલા જ મોટી રકમનું વળતર ચુકવવામાં આવ્યું હતું.ત્યારબાદ વળતર ચુકવવાનું અટકાવીને મોટાભાગના આદિવાસી ખેડૂત ખાતેદારો કે જેઓ ગરીબ,અભણ, લાચાર તેમજ દિશા શૂન્ય નિ:સહાય લોકોને સમજાવીને,પ્રલોભન આપી છેતરપીંડી કરીને કાયદાની છટકબારીઓના ઓથા હેઠળ દસ્તાવેજો લખાવી લેવાની અત્યંત ભ્રષ્ટ ઘટનામાં ઉચ્ચ સનદી અધીકારીઓનાં ભ્રષ્ટાચારથી ગરીબ ખેડૂતોનો ભોગ લેવાયો છે.
વધુમાં વાંસિયાએ જણાવેલ છે કે જીઆઈડીસીના એમડી એમ થન્નારશન,ઉધોગ વિભાગનાં અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસનાં ભ્રષ્ટ વહીવટને કારણે સરકારી અધિકારીઓનાં સ્વાંગમાં વાઈટ કોલર ક્રાઈમ પ્રવૃત્તિને કદી માફ ન કરાય.તેમની સાથે ભરૂચ જીઆઈડીસીનાં જમીન સંપાદન ડેપ્યુટી કલેકટર યાસ્મીન શેખ દ્રારા ૧૬૦૦ એકરમાંથી ૧૨૦૦ એકર જમીન ભૂમાફીયા પ્રવૃત્તિથી જિલ્લા બહારના બોગસ ખેડૂતોનાં ખાતામાં પૈસા ગયા છે તેણે ભરૂચ જિલ્લો કેવો છે એ હજુ જોયો નથી.ત્રણેય અધિકારીઓએ હદ્દ વટાવતાં જાહેરનામા બહાર પાડ્યા બાદ અગિયાર જેટલા આદિવાસી (મોતને ભેટેલા સહિત) ખેડૂતોની લગભગ ૫૦ એકર જમીન કાયદાની આંટીઘૂંટીથી દસ્તાવેજો કરાવી લીધા હતા.આવા અધિકારીની કાયદાની દાદાગીરી સામે આમ પ્રજામાં ભારે આક્રોશ ઉગ્ર બન્યો છે.આખા કૌભાંડી પ્રકરણમાં ત્રણેય અધિકારીઓને કડકમાં કડક શિક્ષાત્મક પગલાં ભરવાની માંગણી કરતા ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
વાગરા તાલુકાના ત્રણ ગામોની અંદાજે ૬૦૦ કરોડ જમીન કૌભાંડમાં માજીમંત્રીએ દેશના વડાપ્રધાનને જવાબદાર સનદી અધીકારીની ધરપકડ કરીને સીબીઆઈ તપાસની માંગ કરતાં ખળભળાટ
જીઆઈડીસીના એમડી થન્નારશન,ઉધોગ અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ અને ભરૂચ જીઆઈડીસીનાં જમીન સંપાદન અધિકારી ડેપ્યુટી કલેકટર યાસ્મીન શેખ કાયદાના ઓથા હેઠળ આચરેલું કૌભાંડ
ભરૂચ. વાગરા તાલુકાના ત્રણ ગામોની જીઆઇડીસી માટે સંપાદિત થયેલી અશિક્ષીત ખેડૂત ખાતેદારોની ૧૨૦૦ એકર જમીન ત્રણ સનદી અધીકારીઓના આશીર્વાદ ભૂમાફીયાઓએ પટાવી,ફોસલાવી, ધાકધમકી આપીને ભરૂચ જિલ્લા બહારના મળતીયા ખેડૂતોનાં નામે દસ્તાવેજ કરીને અંદાજે રૂ. ૬૦૦ કરોડનું ચોંકાવનારૂ મસમોટુ કૌભાંડનો પર્દાફાશ થતાં સનસનાટી મચી ગઈ છે.આખા રેકેટમાં સંડોવાયેલા જીઆઇડીસીના એમડી,ઉધોગ અધિક મુખ્ય સચિવ તેમજ ભરૂચ જીઆઈડીસીના જમીન સંપાદન ડેપ્યુટી કલેકટર સામે માજી મંત્રીએ દેશના વડાપ્રધાન તેમજ ગુજરાતના મુખ્યમંત્રીને લેખિતમાં એવી રજુઆત કરી છે કે આવા ભ્રષ્ટ અધિકારીઓની ધરપકડ કરીને સીબીઆઈ દ્રારા તળિયાઝાટક તપાસની માંગ કરવામાં આવી છે.
લેખિત પત્રમાં દેશના વડાપ્રધાન ગુજરાતનાં તત્કાલીન મુખ્યમંત્રી હોવાથી તેઓ મને સ્વભાવગત પ્રકૃતિ જાણે છે કે અમારી પાસે નિ:સહાય પરીવારોનો પ્રશ્ન આવે તો ૧૦૦ ટકા ન્યાય અપાવવા માટે વાકેફ છે.જે માટે ભ્રષ્ટ સનદી અધીકારીઓના વાઈટ કોલર ક્રાઈમ સામે સરકારે ઉદાહરણ બેસે એવા સખ્તાઈનાં કડકમાં કડક પગલાં ભરવાં જોઈએ.
ભરૂચ-નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિ કન્વીનર તેમજ માજીમંત્રી ખુમાનસિંહ વાંસિયાએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી,ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગુજરાત પ્રદેશ ભાજપનાં અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત દસ જણાંને લેખિતમાં એવી રજુઆત કરવામાં આવી છે કે મારી પાસે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાનાં ત્રણ ગામોની જમીન સંપાદનની પ્રક્રિયામાં ઐતિહાસિક મસમોટું કૌભાંડ થતાં ગરીબ ખેડૂતોનો ભોગ લેવાઈ ગયો છે.ગુજરાત રાજ્યની ૧૯૬૦માં સ્થાપના બાદ રાજયના ઔધોગિક વિકાસમાં ગુજરાત ઔધોગિક વિકાસ નિગમની ચાવીરૂપ ભૂમિકા રહી છે.જે જીઆઈડીસીએ સને-૨૦૧૯ સુધી પારદર્શક જમીન સંપાદનથી તેનાથી નબળા,દેવાદાર,અશિક્ષીત ખેડૂતોને ન્યાયપૂર્વક યોગ્ય વળતર મળતું હતું.
હાલનાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સને-૨૦૦૧થી ૨૦૧૪ સુધીનાં સમયગાળામાં તેઓ લોકપ્રિય ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂકેલા ઔધોગિક વિકાસે હરણફાળ ભરી એ જગજાહેર છે.પરંતુ સને-૨૦૨૦માં વાગરા તાલુકાનાં અંભેલ,પખાજણ અને લીમડી ગામોની ૧૬૦૦ એકર જમીન સંપાદન પ્રક્રિયામાં ૧૨૦૦ એકર જમીન મૂળ ખેડૂત ખાતેદારોને સમજાવી, પટાવી,ફોસલાવી ઉપરાંત ધાક-ધમકીથી નજીવા ભાવે દસ્તાવેજો લખાવીને તેનાથી સંતોષ ન થતાં જીઆઈડીસીએ જમીન સંપાદનનું જાહેરનામું બહાર પાડીને એમડી એમ.થન્નારશનના સીધા મળતીયાઓને પહેલા જ મોટી રકમનું વળતર ચુકવવામાં આવ્યું હતું.ત્યારબાદ વળતર ચુકવવાનું અટકાવીને મોટાભાગના આદિવાસી ખેડૂત ખાતેદારો કે જેઓ ગરીબ,અભણ, લાચાર તેમજ દિશા શૂન્ય નિ:સહાય લોકોને સમજાવીને,પ્રલોભન આપી છેતરપીંડી કરીને કાયદાની છટકબારીઓના ઓથા હેઠળ દસ્તાવેજો લખાવી લેવાની અત્યંત ભ્રષ્ટ ઘટનામાં ઉચ્ચ સનદી અધીકારીઓનાં ભ્રષ્ટાચારથી ગરીબ ખેડૂતોનો ભોગ લેવાયો છે.
વધુમાં વાંસિયાએ જણાવેલ છે કે જીઆઈડીસીના એમડી એમ થન્નારશન,ઉધોગ વિભાગનાં અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસનાં ભ્રષ્ટ વહીવટને કારણે સરકારી અધિકારીઓનાં સ્વાંગમાં વાઈટ કોલર ક્રાઈમ પ્રવૃત્તિને કદી માફ ન કરાય.તેમની સાથે ભરૂચ જીઆઈડીસીનાં જમીન સંપાદન ડેપ્યુટી કલેકટર યાસ્મીન શેખ દ્રારા ૧૬૦૦ એકરમાંથી ૧૨૦૦ એકર જમીન ભૂમાફીયા પ્રવૃત્તિથી જિલ્લા બહારના બોગસ ખેડૂતોનાં ખાતામાં પૈસા ગયા છે તેણે ભરૂચ જિલ્લો કેવો છે એ હજુ જોયો નથી.ત્રણેય અધિકારીઓએ હદ્દ વટાવતાં જાહેરનામા બહાર પાડ્યા બાદ અગિયાર જેટલા આદિવાસી (મોતને ભેટેલા સહિત) ખેડૂતોની લગભગ ૫૦ એકર જમીન કાયદાની આંટીઘૂંટીથી દસ્તાવેજો કરાવી લીધા હતા.આવા અધિકારીની કાયદાની દાદાગીરી સામે આમ પ્રજામાં ભારે આક્રોશ ઉગ્ર બન્યો છે.આખા કૌભાંડી પ્રકરણમાં ત્રણેય અધિકારીઓને કડકમાં કડક શિક્ષાત્મક પગલાં ભરવાની માંગણી કરતા ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.