ભરૂચ-દહેજ રોડ પર દશાન નજીક ટ્રક અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત
રક્તરંજીત માર્ગ બનવા સાથે કપડાનો ખડકલો, 3 ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા
ભરૂચ. દશેરા એ દહેજ રવિવારીમાં અંકલેશ્વરથી ટેમ્પમાં કપડાં સહિતનો સમાન ભરી વેપલો કરવા જઈ રહેલા 5 વેપારીઓના વાહનને ભરૂચના દશાન ગામે ટ્રકે અડફેટે લેતા ટેમ્પો ઊંધો વળી ગયો હતો. અકસ્માતમાં સ્થળ પર જ 2 વેપારીના મોત થયા હતા જ્યારે 3 ને ઇજાઓ પોહચી હતી.
ભરૂચ તાલુકાના દશાન ગામ પાસે દહેજ બાયપાસ પર સર્જાયેલા અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે
અંકલેશ્વરના વેપારીઓ દહેજ ખાતે રવિવારી બજારમાં ધંધા અર્થે જવા માટે નીકળ્યા હતા. આ સમયે પૂરપાટ ઝડપે જઇ રહેલી ટ્રકની ટક્કર વાગતા પીકઅપ વાન પલટી ખાઇ ગઇ હતી. પીકઅપ વાનમાં બેઠેલા 5 વેપારી યુવાન પૈકી 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે 3 લોકોને ઇજાઓ પહોંચી હતી. જેથી તેઓને સારવાર અર્થે ભરૂચની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે.
પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ભરૂચ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ-દહેજ રોડ પર દશાન નજીક ટ્રક અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત
રક્તરંજીત માર્ગ બનવા સાથે કપડાનો ખડકલો, 3 ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા
ભરૂચ. દશેરા એ દહેજ રવિવારીમાં અંકલેશ્વરથી ટેમ્પમાં કપડાં સહિતનો સમાન ભરી વેપલો કરવા જઈ રહેલા 5 વેપારીઓના વાહનને ભરૂચના દશાન ગામે ટ્રકે અડફેટે લેતા ટેમ્પો ઊંધો વળી ગયો હતો. અકસ્માતમાં સ્થળ પર જ 2 વેપારીના મોત થયા હતા જ્યારે 3 ને ઇજાઓ પોહચી હતી.
ભરૂચ તાલુકાના દશાન ગામ પાસે દહેજ બાયપાસ પર સર્જાયેલા અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે
અંકલેશ્વરના વેપારીઓ દહેજ ખાતે રવિવારી બજારમાં ધંધા અર્થે જવા માટે નીકળ્યા હતા. આ સમયે પૂરપાટ ઝડપે જઇ રહેલી ટ્રકની ટક્કર વાગતા પીકઅપ વાન પલટી ખાઇ ગઇ હતી. પીકઅપ વાનમાં બેઠેલા 5 વેપારી યુવાન પૈકી 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે 3 લોકોને ઇજાઓ પહોંચી હતી. જેથી તેઓને સારવાર અર્થે ભરૂચની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે.
પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ભરૂચ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.