તહેવાર ટાણે ભુકંપ આવતા લોકોમાં ફફડાટ
ભૂકંપના કેન્દ્ર બિંદુને લઇને તંત્રમાં અવઢવ
[caption id="attachment_8922" align="aligncenter" width="1280"] મોટા માલપોર ગામે એક પાકા મકાનની દીવાલમાં તિરાડ પડી[/caption]
ભરૂચ. દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લામાં શનિવારે બપોરના સમયે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભરૂચમાં 4.5 રિક્ટર સ્કેલનો ભૂકંપ આવતા લોકોમાં ફફડાય વ્યાપી ગયો હતો. ભૂકંપ આવ્યાની 87 મિનિટ બાદ 2.1 ની તીવ્રતાનો આફ્ટર શોક અનુભવ્યો હતો.
દક્ષિણ ગુજરાતની ધરતી એકવાર શનિવારે ધણધણી ઉઠી હતી. ભરૂચમાં બપોરે ભૂકંપના આંચકાના કારણે લોકોનામાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આંચકો આશરે 2થી 3 સેકન્ડ સુધી અનુભવાયો હતો. જોકે, આંચકા અનુભવાતા લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા અને લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. ભૂકંપની અસરના કારણે વાહનો અને બહુમાળી ઇમારતોમાં ધ્રુજારીનો અનુભવ થયો હતો. જેને કારણે લોકો પોતાના કામ છોડીને રસ્તા પર દોડી આવ્યા હતા. શનિવારે 3.39 કલાકે 4.3 તીવ્રતાનો ભૂકંપનો ઝાટકો નોંધાયા બાદ 5.06 કલાકે 2.1 ની તીવ્રતા નો આફ્ટરશોક નોંધાયો હતો. જેનું કેન્દ્ર બિંદુ ભરૂચથી 40 કિમી દૂર નેત્રંગના વડપાન ગામ નજીક રહ્યું હતું.
જો કે, ભૂકંપના કેન્દ્ર બિંદુ ને લઈ વહીવટી તંત્રમાં ભારે અવઢવ જોવા મળી હતી. ભૂકંપનું પહેલા કેન્દ્ર ભરૂચથી 36 કિમી દૂર ઝઘડિયાના ધારોલી ગામ નજીક બતાવાયું હતું. જે બાદ નેત્રંગ તાલુકામાં સમાવિષ્ટ થયેલા મોટા માલપુર ગામ પાસે એપી સેન્ટર બતાવાયું બાદ માં વાલિયા તાલુકાના કનેરાવ ગામ નજીક કેન્દ્ર બિંદુ હોવાનું જણાવાયું હતું. મોટા માલપોર ગામે એક પાકા મકાનની દીવાલમાં તિરાડ પડી હતી.
તહેવાર ટાણે ભુકંપ આવતા લોકોમાં ફફડાટ
ભૂકંપના કેન્દ્ર બિંદુને લઇને તંત્રમાં અવઢવ
[caption id="attachment_8922" align="aligncenter" width="1280"] મોટા માલપોર ગામે એક પાકા મકાનની દીવાલમાં તિરાડ પડી[/caption]
ભરૂચ. દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લામાં શનિવારે બપોરના સમયે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભરૂચમાં 4.5 રિક્ટર સ્કેલનો ભૂકંપ આવતા લોકોમાં ફફડાય વ્યાપી ગયો હતો. ભૂકંપ આવ્યાની 87 મિનિટ બાદ 2.1 ની તીવ્રતાનો આફ્ટર શોક અનુભવ્યો હતો.
દક્ષિણ ગુજરાતની ધરતી એકવાર શનિવારે ધણધણી ઉઠી હતી. ભરૂચમાં બપોરે ભૂકંપના આંચકાના કારણે લોકોનામાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આંચકો આશરે 2થી 3 સેકન્ડ સુધી અનુભવાયો હતો. જોકે, આંચકા અનુભવાતા લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા અને લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. ભૂકંપની અસરના કારણે વાહનો અને બહુમાળી ઇમારતોમાં ધ્રુજારીનો અનુભવ થયો હતો. જેને કારણે લોકો પોતાના કામ છોડીને રસ્તા પર દોડી આવ્યા હતા. શનિવારે 3.39 કલાકે 4.3 તીવ્રતાનો ભૂકંપનો ઝાટકો નોંધાયા બાદ 5.06 કલાકે 2.1 ની તીવ્રતા નો આફ્ટરશોક નોંધાયો હતો. જેનું કેન્દ્ર બિંદુ ભરૂચથી 40 કિમી દૂર નેત્રંગના વડપાન ગામ નજીક રહ્યું હતું.
જો કે, ભૂકંપના કેન્દ્ર બિંદુ ને લઈ વહીવટી તંત્રમાં ભારે અવઢવ જોવા મળી હતી. ભૂકંપનું પહેલા કેન્દ્ર ભરૂચથી 36 કિમી દૂર ઝઘડિયાના ધારોલી ગામ નજીક બતાવાયું હતું. જે બાદ નેત્રંગ તાલુકામાં સમાવિષ્ટ થયેલા મોટા માલપુર ગામ પાસે એપી સેન્ટર બતાવાયું બાદ માં વાલિયા તાલુકાના કનેરાવ ગામ નજીક કેન્દ્ર બિંદુ હોવાનું જણાવાયું હતું. મોટા માલપોર ગામે એક પાકા મકાનની દીવાલમાં તિરાડ પડી હતી.