NCT ની લાઈનમાં મોઠિયા ગામ નજીક પડેલું ભંગાણ 8 દિવસે પણ દુરસ્ત નહિ થતા કોવિડ-19 વચ્ચે 1800 ઉધોગોને ઉત્પાદન બંધ કરવાની નોબત ઉભી થઇ
રાસાયણિક કચરાની પાઇપલાઇનમાં થયેલી ભંગાણ પાંચમા દિવસે પણ રીપેર ન થતા ઉદ્યોગોનું ઉત્પાદન અટકાવાયું
ઉદ્યોગોના સ્ટોરેજ ફૂલ થઈ જતા કોઈ વિકલ્પ રહેવાથી આખરે હવે ઉદ્યોગ મંડળે ઉદ્યોગોને ઉત્પાદન બંધ કરી દેવાની સૂચના અપાઇ
ભરૂચ. અંકલેશ્વર, ઝઘડિયા અને પનોલીના ઉધોગોના પ્રકૃષિત પાણીને ટ્રીટમેન્ટ આપયું બાદ દરિયામાં છોડતી NCT ની લાઈનમાં મોઠિયા ગામ નજીક પડેલું ભંગાણ 8 દિવસે પણ દુરસ્ત નહિ થતા કોવિડ-19 વચ્ચે 1800 ઉધોગોને ઉત્પાદન બંધ કરવાની નોબત ઉભી થવા સાથે ઔદ્યોગિક કટોકટીની સ્થિતિ સર્જાઈ છે.
અંકલેશ્વર તાલુકાના મોઠીયા ગામ નજીક રાસાયણિક કચરાની પાઇપલાઇનમાં થયેલી ભંગાણ પાંચમા દિવસે પણ રીપેર ન થતા દેશના સૌથી મોટા કેમિકલ ક્લસ્ટરની અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયા જીઆઈડીસીના ૧૮૦૦ ઉદ્યોગોનું ઉત્પાદન અટકાવી દેવાની નોબત આવી છે. ત્રણ જીઆઇડીસી ઠપ્પ થવાથી કેમિકલ ઉદ્યોગને ૧૦૦ કરોડથી વધુના પ્રોડક્સ લોસનો સામનો કરવો પડશે
ગત ગુરુવારે સાંજે મોઠીયા નજીક એફ્લુઅન્ટ પાઈપલાઈનમાં લીકેજ થવાથી ઉદ્યોગોને કેમિકલ વેસ્ટ ન છોડવા સૂચના અપાઈ હતી. અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયા જીઆઇડીસીના કેમિકલ વેસ્ટને ટ્રીટમેન્ટ બાદ પાઈપલાઈનથી સમુદ્રમાં છોડવામાં આવે છે જે પાઈપલાઈન લીકેજ થવાથી ઉદ્યોગો ઠપ્પ થયા છે. સતત ચાર દિવસથી વરસાદના કારણે સમારકામમાં મુશ્કેલીઓ આવી રહી હતી. 8 દિવસ બાદ પણ સમારકામ પૂર્ણ ન થતા આખરે ઉદ્યોગો બંધ કરવાની ફરજ પડી છે.
કેમિકલ ક્લસ્ટરમાં પીગ્મેન્ટ, ઇન્ટરમિડિયેટ્સ , પેસ્ટિસાઇડ્સ અને લાઈફ સેવિંગ ડ્રગનું મોટાપાયે ઉત્પાદન થાય છે. કંપનીઓ પાસે મહત્તમ બે કે ત્રણ દિવસની ઉત્પાદન પ્રક્રિયા બાદના કેમિકલ વેસ્ટ સ્ટોરેજની સુવિધા હોય છે. ઉદ્યોગોના સ્ટોરેજ ફૂલ થઈ જતા કોઈ વિકલ્પ રહેવાથી આખરે હવે ઉદ્યોગ મંડળે ઉદ્યોગોને ઉત્પાદન બંધ કરી દેવાની સૂચના આપી છે. જીઆઈડીસીના ૧૮૦૦ ઉદ્યોગોનું ઉત્પાદન અટકાવી દેવાની નોબત આવી છે. ત્રણ જીઆઇડીસી ઠપ્પ થવાથી કેમિકલ ઉદ્યોગને ૧૦૦ કરોડથી વધુના પ્રોડક્સ લોસનો સામનો કરવો પડશે
અંકલેશ્વર ઈન્ડસ્ટીઝ એસોસિએશનના પ્રમુખ રમેશ ગભાણીએ જણાવ્યું હતું કે , એનસીટી ની લાઈનનું ભંગાણ દુરસ્ત નહિ થતા હવે ઉધોગોને તેમનું ઉત્પાદન અટકાવી દેવાની વિપરીત પરિસ્થિતિ ઉભી થઇ છે. ત્રણેય ઔદ્યોગિક વસાહતના 1800 જેટલા ઉધોગોનું ઉત્પાદન અટકતા ₹100 કરોડના પ્રોડક્શન લોસનો માર વેઠવાનો વારો કોરોના કાળમાં પડતા પર પાટુ સમાન પુરવાર થશે
NCT ની લાઈનમાં મોઠિયા ગામ નજીક પડેલું ભંગાણ 8 દિવસે પણ દુરસ્ત નહિ થતા કોવિડ-19 વચ્ચે 1800 ઉધોગોને ઉત્પાદન બંધ કરવાની નોબત ઉભી થઇ
રાસાયણિક કચરાની પાઇપલાઇનમાં થયેલી ભંગાણ પાંચમા દિવસે પણ રીપેર ન થતા ઉદ્યોગોનું ઉત્પાદન અટકાવાયું
ઉદ્યોગોના સ્ટોરેજ ફૂલ થઈ જતા કોઈ વિકલ્પ રહેવાથી આખરે હવે ઉદ્યોગ મંડળે ઉદ્યોગોને ઉત્પાદન બંધ કરી દેવાની સૂચના અપાઇ
ભરૂચ. અંકલેશ્વર, ઝઘડિયા અને પનોલીના ઉધોગોના પ્રકૃષિત પાણીને ટ્રીટમેન્ટ આપયું બાદ દરિયામાં છોડતી NCT ની લાઈનમાં મોઠિયા ગામ નજીક પડેલું ભંગાણ 8 દિવસે પણ દુરસ્ત નહિ થતા કોવિડ-19 વચ્ચે 1800 ઉધોગોને ઉત્પાદન બંધ કરવાની નોબત ઉભી થવા સાથે ઔદ્યોગિક કટોકટીની સ્થિતિ સર્જાઈ છે.
અંકલેશ્વર તાલુકાના મોઠીયા ગામ નજીક રાસાયણિક કચરાની પાઇપલાઇનમાં થયેલી ભંગાણ પાંચમા દિવસે પણ રીપેર ન થતા દેશના સૌથી મોટા કેમિકલ ક્લસ્ટરની અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયા જીઆઈડીસીના ૧૮૦૦ ઉદ્યોગોનું ઉત્પાદન અટકાવી દેવાની નોબત આવી છે. ત્રણ જીઆઇડીસી ઠપ્પ થવાથી કેમિકલ ઉદ્યોગને ૧૦૦ કરોડથી વધુના પ્રોડક્સ લોસનો સામનો કરવો પડશે
ગત ગુરુવારે સાંજે મોઠીયા નજીક એફ્લુઅન્ટ પાઈપલાઈનમાં લીકેજ થવાથી ઉદ્યોગોને કેમિકલ વેસ્ટ ન છોડવા સૂચના અપાઈ હતી. અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયા જીઆઇડીસીના કેમિકલ વેસ્ટને ટ્રીટમેન્ટ બાદ પાઈપલાઈનથી સમુદ્રમાં છોડવામાં આવે છે જે પાઈપલાઈન લીકેજ થવાથી ઉદ્યોગો ઠપ્પ થયા છે. સતત ચાર દિવસથી વરસાદના કારણે સમારકામમાં મુશ્કેલીઓ આવી રહી હતી. 8 દિવસ બાદ પણ સમારકામ પૂર્ણ ન થતા આખરે ઉદ્યોગો બંધ કરવાની ફરજ પડી છે.
કેમિકલ ક્લસ્ટરમાં પીગ્મેન્ટ, ઇન્ટરમિડિયેટ્સ , પેસ્ટિસાઇડ્સ અને લાઈફ સેવિંગ ડ્રગનું મોટાપાયે ઉત્પાદન થાય છે. કંપનીઓ પાસે મહત્તમ બે કે ત્રણ દિવસની ઉત્પાદન પ્રક્રિયા બાદના કેમિકલ વેસ્ટ સ્ટોરેજની સુવિધા હોય છે. ઉદ્યોગોના સ્ટોરેજ ફૂલ થઈ જતા કોઈ વિકલ્પ રહેવાથી આખરે હવે ઉદ્યોગ મંડળે ઉદ્યોગોને ઉત્પાદન બંધ કરી દેવાની સૂચના આપી છે. જીઆઈડીસીના ૧૮૦૦ ઉદ્યોગોનું ઉત્પાદન અટકાવી દેવાની નોબત આવી છે. ત્રણ જીઆઇડીસી ઠપ્પ થવાથી કેમિકલ ઉદ્યોગને ૧૦૦ કરોડથી વધુના પ્રોડક્સ લોસનો સામનો કરવો પડશે
અંકલેશ્વર ઈન્ડસ્ટીઝ એસોસિએશનના પ્રમુખ રમેશ ગભાણીએ જણાવ્યું હતું કે , એનસીટી ની લાઈનનું ભંગાણ દુરસ્ત નહિ થતા હવે ઉધોગોને તેમનું ઉત્પાદન અટકાવી દેવાની વિપરીત પરિસ્થિતિ ઉભી થઇ છે. ત્રણેય ઔદ્યોગિક વસાહતના 1800 જેટલા ઉધોગોનું ઉત્પાદન અટકતા ₹100 કરોડના પ્રોડક્શન લોસનો માર વેઠવાનો વારો કોરોના કાળમાં પડતા પર પાટુ સમાન પુરવાર થશે