રેલવે સ્ટેશન બહાર સુત્રોચાર, પોસ્ટર્સ સાથે ભારે વિરોધ-પ્રદર્શન
સરકાર પોલીસ દમનથી ખેડૂતોનો અવાજ દબાવતી હોવાનો સુર
ભરૂચ. જિલ્લા કોંગ્રેસ દ્વારા શુક્રવારે ખેડૂત બિલનો વિરોધ અને સ્કૂલોમાં પ્રથમ સત્રની સંપૂર્ણ 100% ફી માફીની માંગ સાથે ધરણા તેમજ વિરોધ પ્રદર્શન કરાતા પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. 20 જેટલા કોંગી કાર્યકરોની અટકાયત કરાઈ હતી.
ભરૂચ રેલવે સ્ટેશન બહાર આજે કોંગ્રેસે ખેડૂત વિરોધી બિલ અને શાળાઓની 100 ટકા ફી માફીની માંગ સાથે ઉગ્ર દેખાવો યોજ્યા હતા. કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના 20 જેટલા કાર્યકરો અને અગ્રણીઓની અટકાયત કરી હતી.
કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. ભરૂચ શહેરના રેલવે સ્ટેશન પાસે આવેલી ડો . બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણાની આગેવાનીમાં કોંગ્રેસે ખેડૂત બિલ અને ફી માફી મુદ્દે ધરણા યોજ્યા હતા અને ભાજપ સરકાર સામે પોસ્ટર્સ સાથે ભારે સૂત્રોચ્ચારો કર્યા હતા.
વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરવાનું શરૂ કરતા પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું . જોકે પોલીસે કોંગ્રેસના 20 જેટલા કાર્યકરો - અગ્રણીઓની અટકાયત કરી હતી .
સરકાર ખેડૂત વિરોધી બિલ લાવીને હરિયાળી ક્રાંતિને નામશેષ કરવાનું ષડયંત્ર કરી રહી છે તેવો કોંગ્રેસ અગ્રણીઓએ આક્ષેપ કર્યો હતો. કેન્દ્ર સરકાર પોલીસ દમન દ્વારા ખેડૂતોનો અવાજ દબાવી નાખવાનો પ્રયાસ કરી રહી છે અને ખેડૂત વિરોધી બિલ લાવીને હરિયાળી ક્રાંતિને નામશેષ કરવાનું ષડયંત્ર કરી રહી છે . બીજી તરફ રાજ્ય સરકારે ખાનગી સ્કૂલોની માત્ર 25 ટકા ફી માફ કરીને ગુજરાતના વાલીઓનો ઉપહાસ કર્યો છે.
આ સંજોગોમાં અમે પ્રથમ સત્રની 100 ટકા ફી માફીની માંગણી સાથે આજે વિરોધ પ્રદર્શન કરાયું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિએ કિશાન - મજૂર બચાવો દિવસ તરીકે પાળવાનું નક્કી કર્યું હતું . જેને લઇને ભરૂચમાં આજે કોંગ્રેસે વિરોધ પ્રદર્શનના કાર્યક્રમનું આયોજન કર્યું હતું . જેમાં મોટી સંખ્યામાં જબુસરના ધારાસભ્ય સંજય સોલંકી, ભરૂચ શહેર પ્રમુખ તેજપ્રીત શોખી, સંદીપ મગરોલા, વિરોધ પક્ષ નેતા સમશાદ અલી સૈયદ, પ્રવક્તા નાઝુ ફડવાલા, ઝુંબેર પટેલ, મગ્ન માસ્ટર સહિત કોંગ્રેસના હોદેદારો , આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.
રેલવે સ્ટેશન બહાર સુત્રોચાર, પોસ્ટર્સ સાથે ભારે વિરોધ-પ્રદર્શન
સરકાર પોલીસ દમનથી ખેડૂતોનો અવાજ દબાવતી હોવાનો સુર
ભરૂચ. જિલ્લા કોંગ્રેસ દ્વારા શુક્રવારે ખેડૂત બિલનો વિરોધ અને સ્કૂલોમાં પ્રથમ સત્રની સંપૂર્ણ 100% ફી માફીની માંગ સાથે ધરણા તેમજ વિરોધ પ્રદર્શન કરાતા પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. 20 જેટલા કોંગી કાર્યકરોની અટકાયત કરાઈ હતી.
ભરૂચ રેલવે સ્ટેશન બહાર આજે કોંગ્રેસે ખેડૂત વિરોધી બિલ અને શાળાઓની 100 ટકા ફી માફીની માંગ સાથે ઉગ્ર દેખાવો યોજ્યા હતા. કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના 20 જેટલા કાર્યકરો અને અગ્રણીઓની અટકાયત કરી હતી.
કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. ભરૂચ શહેરના રેલવે સ્ટેશન પાસે આવેલી ડો . બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણાની આગેવાનીમાં કોંગ્રેસે ખેડૂત બિલ અને ફી માફી મુદ્દે ધરણા યોજ્યા હતા અને ભાજપ સરકાર સામે પોસ્ટર્સ સાથે ભારે સૂત્રોચ્ચારો કર્યા હતા.
વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરવાનું શરૂ કરતા પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું . જોકે પોલીસે કોંગ્રેસના 20 જેટલા કાર્યકરો - અગ્રણીઓની અટકાયત કરી હતી .
સરકાર ખેડૂત વિરોધી બિલ લાવીને હરિયાળી ક્રાંતિને નામશેષ કરવાનું ષડયંત્ર કરી રહી છે તેવો કોંગ્રેસ અગ્રણીઓએ આક્ષેપ કર્યો હતો. કેન્દ્ર સરકાર પોલીસ દમન દ્વારા ખેડૂતોનો અવાજ દબાવી નાખવાનો પ્રયાસ કરી રહી છે અને ખેડૂત વિરોધી બિલ લાવીને હરિયાળી ક્રાંતિને નામશેષ કરવાનું ષડયંત્ર કરી રહી છે . બીજી તરફ રાજ્ય સરકારે ખાનગી સ્કૂલોની માત્ર 25 ટકા ફી માફ કરીને ગુજરાતના વાલીઓનો ઉપહાસ કર્યો છે.
આ સંજોગોમાં અમે પ્રથમ સત્રની 100 ટકા ફી માફીની માંગણી સાથે આજે વિરોધ પ્રદર્શન કરાયું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિએ કિશાન - મજૂર બચાવો દિવસ તરીકે પાળવાનું નક્કી કર્યું હતું . જેને લઇને ભરૂચમાં આજે કોંગ્રેસે વિરોધ પ્રદર્શનના કાર્યક્રમનું આયોજન કર્યું હતું . જેમાં મોટી સંખ્યામાં જબુસરના ધારાસભ્ય સંજય સોલંકી, ભરૂચ શહેર પ્રમુખ તેજપ્રીત શોખી, સંદીપ મગરોલા, વિરોધ પક્ષ નેતા સમશાદ અલી સૈયદ, પ્રવક્તા નાઝુ ફડવાલા, ઝુંબેર પટેલ, મગ્ન માસ્ટર સહિત કોંગ્રેસના હોદેદારો , આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.