શહેરભરના 9 રૂટ પર 12 મીની બસો દોડવાશે
ભરૂચ પાલિકા દ્વારા સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં ₹12.33 કરોડના 113 વિકાસના કામોનું ખાત મુહુર્ત કરાયા
ભરૂચ.છેલ્લા 3 વર્ષથી બંધ શહેરી સિટી બસ સેવા આગામી 3 મહિનામાં 9 રૂટ પર કાર્યરત થશે. પંડિત ઓમકારનાથ હોલ ખાતે સોમવારે સાંજે પાલિકા દ્વારા રૂપિયા 12.33 કરોડના વિકાસના 113 કામોનું ખાતમુહરત કરાયું હતું.
વર્ષ 2017 માં અમદાવાદની એજન્સીએ શહેરમાં સિટી બસ સેવા ચલાવવા ખોટના પગલે અસમર્થતા બતાવતા સિટી બસ સેવાનું બાળ મરણ થયું હતું. હવે ભરૂચ પાલિકા આગામી 3 મહિનામાં 3 વર્ષ બાદ ફરી શહેરમાં સિટી બસ સેવા શરૂ કરવા જઈ રહી છે.
ભરૂચ પાલિકા દ્વારા વિકાસના વિવિધ કામોનું સોમવારે સાંજે શહેરના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે ભૂમિપૂજન કરાયું હતું. સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દુષ્યંત પટેલ, પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, ઉપપ્રમુખ ભરત શાહ, કારોબારી સમિતિના ચેરમેન નરેશ સુથારવાલા, પવડીના ચેરમેન દિપક મિસ્ત્રીની ઉપસ્થિતિમાં શહેરના 11 વોર્ડમાં વિકાસના 113 કામો જેની અંદાજીત કિંમત રૂપિયા 12.33 કરોડનું ખાત મુહરત કરાયું હતું.
સિટી બસ સેવા ઉપરાંત સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, 14 મુ નાણાંપંચ, વ્યવસાય વેરાની ગ્રાન્ટ સહીતમાંથી દશાશ્વમેઘ સ્મશાન ઘાટ ને ₹78.58 કરોડના ખર્ચે રી ડેવલોપ કરાશે. હાલ 3 સગડી છે અને 1 ગેસ ચેમ્બર જેમાં વધુ નવી 3 સગડીની વ્યવસ્થા કરાશે.
દાંડિયાબજાર માં ₹45.46 લાખના ખર્ચે ફિશ માર્કેટ બનાવાશે, શક્તિનાથથી પંચબત્તી અને ભક્તેશ્વર મહાદેવથી દત્ત મન્દિર સુધી ₹6.18 કરોડનો રસ્તો બનાવાશે. કસક સર્કલની ચારેબાજુ મુખ્ય રસ્તા પર ₹ 31.72 લાખના ખર્ચે પેવર બ્લોક બેસાડાશે. સાથે જ 11 વોર્ડમાં વિકાસના વિવિધ 107 કામો પાછળ ₹4.51 કરોડ ખર્ચાશે.
શહેરભરના 9 રૂટ પર 12 મીની બસો દોડવાશે
ભરૂચ પાલિકા દ્વારા સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં ₹12.33 કરોડના 113 વિકાસના કામોનું ખાત મુહુર્ત કરાયા
ભરૂચ.છેલ્લા 3 વર્ષથી બંધ શહેરી સિટી બસ સેવા આગામી 3 મહિનામાં 9 રૂટ પર કાર્યરત થશે. પંડિત ઓમકારનાથ હોલ ખાતે સોમવારે સાંજે પાલિકા દ્વારા રૂપિયા 12.33 કરોડના વિકાસના 113 કામોનું ખાતમુહરત કરાયું હતું.
વર્ષ 2017 માં અમદાવાદની એજન્સીએ શહેરમાં સિટી બસ સેવા ચલાવવા ખોટના પગલે અસમર્થતા બતાવતા સિટી બસ સેવાનું બાળ મરણ થયું હતું. હવે ભરૂચ પાલિકા આગામી 3 મહિનામાં 3 વર્ષ બાદ ફરી શહેરમાં સિટી બસ સેવા શરૂ કરવા જઈ રહી છે.
ભરૂચ પાલિકા દ્વારા વિકાસના વિવિધ કામોનું સોમવારે સાંજે શહેરના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે ભૂમિપૂજન કરાયું હતું. સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દુષ્યંત પટેલ, પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, ઉપપ્રમુખ ભરત શાહ, કારોબારી સમિતિના ચેરમેન નરેશ સુથારવાલા, પવડીના ચેરમેન દિપક મિસ્ત્રીની ઉપસ્થિતિમાં શહેરના 11 વોર્ડમાં વિકાસના 113 કામો જેની અંદાજીત કિંમત રૂપિયા 12.33 કરોડનું ખાત મુહરત કરાયું હતું.
સિટી બસ સેવા ઉપરાંત સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, 14 મુ નાણાંપંચ, વ્યવસાય વેરાની ગ્રાન્ટ સહીતમાંથી દશાશ્વમેઘ સ્મશાન ઘાટ ને ₹78.58 કરોડના ખર્ચે રી ડેવલોપ કરાશે. હાલ 3 સગડી છે અને 1 ગેસ ચેમ્બર જેમાં વધુ નવી 3 સગડીની વ્યવસ્થા કરાશે.
દાંડિયાબજાર માં ₹45.46 લાખના ખર્ચે ફિશ માર્કેટ બનાવાશે, શક્તિનાથથી પંચબત્તી અને ભક્તેશ્વર મહાદેવથી દત્ત મન્દિર સુધી ₹6.18 કરોડનો રસ્તો બનાવાશે. કસક સર્કલની ચારેબાજુ મુખ્ય રસ્તા પર ₹ 31.72 લાખના ખર્ચે પેવર બ્લોક બેસાડાશે. સાથે જ 11 વોર્ડમાં વિકાસના વિવિધ 107 કામો પાછળ ₹4.51 કરોડ ખર્ચાશે.