તહેવારો ટાણે 10 દિવસમાં કામો ન કરાઇ તો વિપક્ષની ઉગ્ર આંદોલનની ચીમકી
છતે પૈસે લાચારી ધૂળ ખાતી ગ્રાન્ટ વાપરવામાં ભરૂચ નગર પાલિકા ઉદાસીન- વિરોધ પક્ષના નેતા
15માં નાણાં પંચની ગ્રાન્ટની ગાઈડલાઈન આવશે ત્યારે તે કામો પણ કરાશે : પાલિકા પ્રમુખ
ભરૂચ શહેરના તમામ માર્ગો ખાડામાં ગયા છે ત્યારે ₹12 કરોડ ઉપરાંતની ગ્રાન્ટ પાલિકામાં ધૂળ ખાઈ રહી હોવાના આક્ષેપ વિરોધ પક્ષના નેતાએ કર્યા છે.
ભરૂચ. શહેરમાં અનેક સમસ્યાઓ મોં ફાડીને ઉભી છે . રોડ રસ્તાઓનાં ઠેકાણા નથી . પાલિકા પાસે કરોડોની ગ્રાન્ટ હોવા છતાં તેને વાપરવામાં ઉદાસીન વલણ દાખવી રહી છે. જે અંગે આજરોજ વિપક્ષના સભ્યોએ પાલિકા પ્રમુખને રજુઆત કરી હતી. તેમજ આ ગ્રાન્ટ વાપરી તાતક્લીક રોડ - રસ્તાના કામો ન થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી . ભરૂચ નગર પાલિકાના વિરોધપક્ષના નેતા સમશાદ અલી સૈયદ , દંડક હેમેન્દ્ર કોઠીવાળા અન્ય સભ્યો સલીમ અમદાવાદી ઇબ્રાહિમ કલકલ , હુરબાનું માસાલાવાલા વગેરેનાઓ ગ્રાન્ટ મુદ્દે પાલિકા પ્રમુખને રજુઆત કરી હતી.
સમશાદ અલી સૈયદે આ અંગે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે , શહેરમાં અનેક સમસ્યાઓ છે. રોડ રસ્તાની હાલત અંત્યત ખરાબ છે. ખાડાઓથી વાહન ચાલકો પરેશાન છે. રસ્તાઓ પર ધૂળ ઉડી રહી છે. નવરાત્રી ચાલી રહી છે. હવે દિવાળીના તહેવારો આવશે. આવા સંજોગોમાં રસ્તાની હાલત સુધારીને વિકાસ કામોને વેગ આપવો જોઈએ.
પાલિકા પાસે સ્વર્ણિમની ₹5 કરોડની ગ્રાન્ટ, 15માં નાણાં પંચની ₹6 કરોડની ગ્રાન્ટ, રોડ રીપેરીંગ માટે ₹1.20 કરોડની ગ્રાન્ટ 3 મહિનાથી આવીને પડી છે . પરંતુ પાલિકા છતે પૈસે લાચારી ભોગવી રહી છે અને અગમ્ય કારણસર ગ્રાન્ટ વાપરતા નથી.
તહેવારોને ધ્યાનમાં રાખી વિપક્ષે 10 દીવસમાં આ ગ્રાન્ટનો ઉપયોગ કરી વિકાસના કામો ન થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. બીજી તરફ પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા એ જણાવ્યું હતું કે, વિવિધ પક્ષના સભ્યો તેમના વિસ્તારમાં કામોની રજુઆત કરી વિકાસના કામો કરાવતા હોય છે. સ્વર્ણિમ અને રોડ રસ્તાની ગ્રાન્ટ નું આયોજન કરાયુ છે. 15માં નાણાં પંચની ગાઈડલાઈન આવતા તે મુજબ તેમાંથી વિવિધ કામો હાથ ધરાશે.
- તહેવારો ટાણે 10 દિવસમાં કામો ન કરાઇ તો વિપક્ષની ઉગ્ર આંદોલનની ચીમકી
- છતે પૈસે લાચારી ધૂળ ખાતી ગ્રાન્ટ વાપરવામાં ભરૂચ નગર પાલિકા ઉદાસીન- વિરોધ પક્ષના નેતા
- 15માં નાણાં પંચની ગ્રાન્ટની ગાઈડલાઈન આવશે ત્યારે તે કામો પણ કરાશે : પાલિકા પ્રમુખ
- ભરૂચ શહેરના તમામ માર્ગો ખાડામાં ગયા છે ત્યારે ₹12 કરોડ ઉપરાંતની ગ્રાન્ટ પાલિકામાં ધૂળ ખાઈ રહી હોવાના આક્ષેપ વિરોધ પક્ષના નેતાએ કર્યા છે.
ભરૂચ. શહેરમાં અનેક સમસ્યાઓ મોં ફાડીને ઉભી છે . રોડ રસ્તાઓનાં ઠેકાણા નથી . પાલિકા પાસે કરોડોની ગ્રાન્ટ હોવા છતાં તેને વાપરવામાં ઉદાસીન વલણ દાખવી રહી છે. જે અંગે આજરોજ વિપક્ષના સભ્યોએ પાલિકા પ્રમુખને રજુઆત કરી હતી. તેમજ આ ગ્રાન્ટ વાપરી તાતક્લીક રોડ - રસ્તાના કામો ન થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી . ભરૂચ નગર પાલિકાના વિરોધપક્ષના નેતા સમશાદ અલી સૈયદ , દંડક હેમેન્દ્ર કોઠીવાળા અન્ય સભ્યો સલીમ અમદાવાદી ઇબ્રાહિમ કલકલ , હુરબાનું માસાલાવાલા વગેરેનાઓ ગ્રાન્ટ મુદ્દે પાલિકા પ્રમુખને રજુઆત કરી હતી.
સમશાદ અલી સૈયદે આ અંગે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે , શહેરમાં અનેક સમસ્યાઓ છે. રોડ રસ્તાની હાલત અંત્યત ખરાબ છે. ખાડાઓથી વાહન ચાલકો પરેશાન છે. રસ્તાઓ પર ધૂળ ઉડી રહી છે. નવરાત્રી ચાલી રહી છે. હવે દિવાળીના તહેવારો આવશે. આવા સંજોગોમાં રસ્તાની હાલત સુધારીને વિકાસ કામોને વેગ આપવો જોઈએ.
પાલિકા પાસે સ્વર્ણિમની ₹5 કરોડની ગ્રાન્ટ, 15માં નાણાં પંચની ₹6 કરોડની ગ્રાન્ટ, રોડ રીપેરીંગ માટે ₹1.20 કરોડની ગ્રાન્ટ 3 મહિનાથી આવીને પડી છે . પરંતુ પાલિકા છતે પૈસે લાચારી ભોગવી રહી છે અને અગમ્ય કારણસર ગ્રાન્ટ વાપરતા નથી.
તહેવારોને ધ્યાનમાં રાખી વિપક્ષે 10 દીવસમાં આ ગ્રાન્ટનો ઉપયોગ કરી વિકાસના કામો ન થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. બીજી તરફ પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા એ જણાવ્યું હતું કે, વિવિધ પક્ષના સભ્યો તેમના વિસ્તારમાં કામોની રજુઆત કરી વિકાસના કામો કરાવતા હોય છે. સ્વર્ણિમ અને રોડ રસ્તાની ગ્રાન્ટ નું આયોજન કરાયુ છે. 15માં નાણાં પંચની ગાઈડલાઈન આવતા તે મુજબ તેમાંથી વિવિધ કામો હાથ ધરાશે.