ગુજરાત અને મહારાષ્ટ્રમા રક્ષાબંધને 17.30 કલાકમાં જ 9 સ્થળે ભૂકંપના આંચકા આવ્યા હતા
ભરૂચમાં રક્ષાબંધનની સાંજે 3.3 ની તિવ્રતા, જ્યારે આજે 4.3 ની તિવ્રતાએ લોકોને 3 સેકન્ડ સુધી ધ્રુજાવ્યા
કોરોના કહેર વચ્ચે દિવાળી ટાણે ધરા ધ્રુજતા લોકોમા ભારે ભય
50 વર્ષમાં 22 વખત ભરૂચની ધરા ધ્રુજી
નર્મદા ડેમ બન્યા બાદ ભરૂચ નીચેથી અરબી સમુદ્ર સુધી પસાર થતી ફોલ્ટ લાઇન
રક્ષાબંધને શહેરથી 7 કિમિ દૂર અંકલેશ્વર છેડે ભૂકંપનું કેન્દ્ર નોંધાયું
આજે ભરૂચથી 36 કિમી દૂર ઝઘડિયાના ધારોલી પાસે ભૂકંપનું કેન્દ્ર
3 સેકન્ડ કરતા વધુ ધરા ધ્રુજી હોત તો 4.3 ની તીવ્રતાને લીધે ખાનાખરાબી સર્જાત
ભરૂચ. રક્ષાબંધનના 96 દિવસ બાદ આજે શનિવારે દિવાળી ટાણે એક તરફ કોરોના કહેર વચ્ચે ભરૂચ, સુરત, આણંદ સહિત અરબી સમુદ્ર સમીપ આવેલા વિસ્તારોમાં 4.3 ની તીવ્રતા સુધીના ભૂકંપના આંચકા નોંધાતા લોકો માં ભયનો માહોલ છવાયો હતો.
કોરોના મહામારીએ એક તરફ હાહાકાર મચાવ્યો છે ત્યાં રક્ષાબંધન બાદ દિવાળીના આગમન પેહલા બપોરે 3.39 કલાકે ભરૂચમાં આવેલા 4.3 ની તીવ્રતાના ભૂકંપથી લોકો ભયભીત બની ઘર,ઓફિસો, ફ્લેટની બહાર દોટ લગાવી હતી.
ભરૂચથી 36 કિમી દૂર ઝઘડિયા તાલુકાના ધરોલી પાસે ભૂકંપનું એપી સેન્ટર નોંધાયું હતું. ઔદ્યોગિક ગઢ ભરૂચ જિલ્લામાં મેગા સિટી કરતા ભૂકંપનું જોખમ વધુ રહેલું છે. ભરૂચ નીચેથી છેક અરબી સમુદ્ર સુધી ભૂકંપની ફોલ્ટ લાઇન પસાર થાય છે.
સરદાર સરોવર નર્મદા ડેમના પગલે અતિભારે દબાણના કારણે ભૂગર્ભ માં થયેલા ફેરફાર તેમજ ડેમથી અરબી સમુદ્ર સુધી વહેતી નર્મદા નીચે જ ભૂકંપની ફોલ્ટ લાઇન આવેલી છે.
આજે ભૂકંપથી ભરૂચની ધરા ફરી ધણધનતા માત્ર ગણતરીની 2 થી 3 સેકન્ડ જ આંચકો અનુભવાયો હોય તેમજ ઓછી તિવ્રતાને કારણે કોઈ જ નુકસાની નોંધાઇ નથી. લોકોને 19 વર્ષ પહેલાં 26 જાન્યુઆરીએ 2001માં આવેલા ભૂકંપની યાદો ફરી તાજી થઈ ગઇ હતી. જેમાં ભારે ખાનાખરાબી સાથે ઐતિહાસિક વિક્ટોરિયા ટાવર જમીનદોસ્ત થઈ ગયો હતો.
ભરૂચ ભૂકંપ ઝોન 4 થી રિસ્ક ફેક્ટર વધુ
એસવીએનાઇટી કોલેજના એપ્લાય મિકેનિકલ ડિપાર્ટમેન્ટના વડા અને ભૂકંપ વિષયને લઈ પીએચડી કરનાર ડો. અતુલ દેસાઈએ રજૂ કરેલા મત મુજબ ભરૂચ પર ભૂકંપનું જોખમ વધુ રહેલું છે. સુરત ભૂકંપ ઝોન 3 માં જ્યારે ભરૂચ ઝોન 4 માં આવે છે જેને લઈ ભરૂચમાં રિસ્ક ફેક્ટર વધી જાય છે. ધરતીકંપને લઈ 1 થી 5 ઝોનમાં દેશમાં અલગ અલગ વિસ્તારો અને શહેરોને વર્ગીકૃત કરાયા છે. ભૂકંપમાં સલામત અને ઓછી નુક્સાનિવાળું ઝોન 1 તો દેશમાંથી નીકળી ગયું છે.
શોકઓબ્ઝરવર નર્મદા નદીથી જિલ્લાને ધરતીકંપથી રક્ષણ
ભૌતિક અને જિયોલોજીકલ નિષ્ણાતોના મતે નર્મદા નદી દ્વારા ભરૂચ જિલ્લાને રક્ષણ મળી રહ્યું છે. આ તર્કને 1970 મા આવેલા ભૂકંપ વેળા સમર્થન મળ્યું હતું. તે સમયે ભરૂચમાં પુર આવવા સાથે 23 માર્ચની રાતે 1.00 કલાકે ભરૂચમાં 5.4 ની તીવ્રતા સાથે ધરા ધ્રુજી ઉઠી હતી. શહેરના જે વિસ્તારમાં પૂરના પાણી હતા ત્યાં મહત્તમ લોકો ધરતીકંપથી અજાણ હતા. ભૂકંપની ફોલ્ટ લાઇન તે સમયે નદીને અડીને પસાર થતી હતી. જેથી ફોલ્ટ લાઇન શહેરને અસર વર્તાવવામાં સફળ થઈ ન હતી. નર્મદા નદી અને તેના નીર શોક ઓબ્ઝરવરની ભૂમિકા બજવી રહ્યા છે.
જો ભૂકંપ 3 સેકન્ડ કરતા વધુ ચાલ્યો હોત તો 4.3 ની તીવ્રતાને લઈ ખાનાખરાબી સર્જાત.
3 દાયકામાં આવેલા ભૂકંપની તવારીખ
તારીખ. તીવ્રતા
23-04-1970 5.4
09-08-1970 3.5
30-08-1970 4.1
10-09-1970 3.4
18-09-1971 3.4
10-06-1982 3.1
26-01-2001 4.0
21-06-2014 3.6
22-04-2018 3.7
03-08-2020 3.3
07-11-2020 4.3
સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમને કોઈ અસર નહિ
નર્મદા ડેમ પર ગભાન પાસે જ સિસમોલોજીકલ સેન્ટર દ્વારા ભૂકંપ માપવા સેન્ટર બનાવાયું છે. ડેમને 8.5 રિકટર સ્કેલની તીવ્રતા સુધી ભૂકંપની અસર થઈ શકતી નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ભૂકંપની તીવ્રતા સહન કરવાની ક્ષમતા 15 રિકટર સ્કેલ છે. જેને લઈ આ આંચકાની કોઈ અસર નહિ વર્તાઈ હોવાનું નર્મદા વહીવટી તંત્ર તેમજ ડેમ સત્તાધીશોએ જનવગુ હતું.
રક્ષાબંધને ગુજરાત અને મહારાષ્ટ્રમાં 17.30 કલાકમાં 9 સ્થળે 3.6 તીવ્રતાના આંચકા
રક્ષાબંધને 3 ઓગસ્ટના રાતેના 12 કલાક થી સાંજના 5.30 કલાકમાં ગુજરાત અને મહારાષ્ટ્રના 9 સ્થળે 17.30 કલાકમાં ભૂકંપના આચકાઓ નોંધાયા હતા. ગાંધીનગર સિસમોલોજીકલ સેન્ટર ખાતે નોફયેલ આંચકા મુજબ કચ્છ ના ભચાઉમાં 1.1, ફાટેગઢમાં 2.7, ખવડામાં 3.6, ખવડા 1.6, ધરોઈ 1.3, રાજકોટ 1.7, ભરૂચ 3.3 તેમજ મહારાષ્ટ્રના પાલઘરમાં 1.5 અને 1.9 ની તીવ્રતા નો ભુકમ્પ નોંધાયો હતો.
ગુજરાત અને મહારાષ્ટ્રમા રક્ષાબંધને 17.30 કલાકમાં જ 9 સ્થળે ભૂકંપના આંચકા આવ્યા હતા
ભરૂચમાં રક્ષાબંધનની સાંજે 3.3 ની તિવ્રતા, જ્યારે આજે 4.3 ની તિવ્રતાએ લોકોને 3 સેકન્ડ સુધી ધ્રુજાવ્યા
કોરોના કહેર વચ્ચે દિવાળી ટાણે ધરા ધ્રુજતા લોકોમા ભારે ભય
50 વર્ષમાં 22 વખત ભરૂચની ધરા ધ્રુજી
નર્મદા ડેમ બન્યા બાદ ભરૂચ નીચેથી અરબી સમુદ્ર સુધી પસાર થતી ફોલ્ટ લાઇન
રક્ષાબંધને શહેરથી 7 કિમિ દૂર અંકલેશ્વર છેડે ભૂકંપનું કેન્દ્ર નોંધાયું
આજે ભરૂચથી 36 કિમી દૂર ઝઘડિયાના ધારોલી પાસે ભૂકંપનું કેન્દ્ર
3 સેકન્ડ કરતા વધુ ધરા ધ્રુજી હોત તો 4.3 ની તીવ્રતાને લીધે ખાનાખરાબી સર્જાત
ભરૂચ. રક્ષાબંધનના 96 દિવસ બાદ આજે શનિવારે દિવાળી ટાણે એક તરફ કોરોના કહેર વચ્ચે ભરૂચ, સુરત, આણંદ સહિત અરબી સમુદ્ર સમીપ આવેલા વિસ્તારોમાં 4.3 ની તીવ્રતા સુધીના ભૂકંપના આંચકા નોંધાતા લોકો માં ભયનો માહોલ છવાયો હતો.
કોરોના મહામારીએ એક તરફ હાહાકાર મચાવ્યો છે ત્યાં રક્ષાબંધન બાદ દિવાળીના આગમન પેહલા બપોરે 3.39 કલાકે ભરૂચમાં આવેલા 4.3 ની તીવ્રતાના ભૂકંપથી લોકો ભયભીત બની ઘર,ઓફિસો, ફ્લેટની બહાર દોટ લગાવી હતી.
ભરૂચથી 36 કિમી દૂર ઝઘડિયા તાલુકાના ધરોલી પાસે ભૂકંપનું એપી સેન્ટર નોંધાયું હતું. ઔદ્યોગિક ગઢ ભરૂચ જિલ્લામાં મેગા સિટી કરતા ભૂકંપનું જોખમ વધુ રહેલું છે. ભરૂચ નીચેથી છેક અરબી સમુદ્ર સુધી ભૂકંપની ફોલ્ટ લાઇન પસાર થાય છે.
સરદાર સરોવર નર્મદા ડેમના પગલે અતિભારે દબાણના કારણે ભૂગર્ભ માં થયેલા ફેરફાર તેમજ ડેમથી અરબી સમુદ્ર સુધી વહેતી નર્મદા નીચે જ ભૂકંપની ફોલ્ટ લાઇન આવેલી છે.
આજે ભૂકંપથી ભરૂચની ધરા ફરી ધણધનતા માત્ર ગણતરીની 2 થી 3 સેકન્ડ જ આંચકો અનુભવાયો હોય તેમજ ઓછી તિવ્રતાને કારણે કોઈ જ નુકસાની નોંધાઇ નથી. લોકોને 19 વર્ષ પહેલાં 26 જાન્યુઆરીએ 2001માં આવેલા ભૂકંપની યાદો ફરી તાજી થઈ ગઇ હતી. જેમાં ભારે ખાનાખરાબી સાથે ઐતિહાસિક વિક્ટોરિયા ટાવર જમીનદોસ્ત થઈ ગયો હતો.
ભરૂચ ભૂકંપ ઝોન 4 થી રિસ્ક ફેક્ટર વધુ
એસવીએનાઇટી કોલેજના એપ્લાય મિકેનિકલ ડિપાર્ટમેન્ટના વડા અને ભૂકંપ વિષયને લઈ પીએચડી કરનાર ડો. અતુલ દેસાઈએ રજૂ કરેલા મત મુજબ ભરૂચ પર ભૂકંપનું જોખમ વધુ રહેલું છે. સુરત ભૂકંપ ઝોન 3 માં જ્યારે ભરૂચ ઝોન 4 માં આવે છે જેને લઈ ભરૂચમાં રિસ્ક ફેક્ટર વધી જાય છે. ધરતીકંપને લઈ 1 થી 5 ઝોનમાં દેશમાં અલગ અલગ વિસ્તારો અને શહેરોને વર્ગીકૃત કરાયા છે. ભૂકંપમાં સલામત અને ઓછી નુક્સાનિવાળું ઝોન 1 તો દેશમાંથી નીકળી ગયું છે.
શોકઓબ્ઝરવર નર્મદા નદીથી જિલ્લાને ધરતીકંપથી રક્ષણ
ભૌતિક અને જિયોલોજીકલ નિષ્ણાતોના મતે નર્મદા નદી દ્વારા ભરૂચ જિલ્લાને રક્ષણ મળી રહ્યું છે. આ તર્કને 1970 મા આવેલા ભૂકંપ વેળા સમર્થન મળ્યું હતું. તે સમયે ભરૂચમાં પુર આવવા સાથે 23 માર્ચની રાતે 1.00 કલાકે ભરૂચમાં 5.4 ની તીવ્રતા સાથે ધરા ધ્રુજી ઉઠી હતી. શહેરના જે વિસ્તારમાં પૂરના પાણી હતા ત્યાં મહત્તમ લોકો ધરતીકંપથી અજાણ હતા. ભૂકંપની ફોલ્ટ લાઇન તે સમયે નદીને અડીને પસાર થતી હતી. જેથી ફોલ્ટ લાઇન શહેરને અસર વર્તાવવામાં સફળ થઈ ન હતી. નર્મદા નદી અને તેના નીર શોક ઓબ્ઝરવરની ભૂમિકા બજવી રહ્યા છે.
જો ભૂકંપ 3 સેકન્ડ કરતા વધુ ચાલ્યો હોત તો 4.3 ની તીવ્રતાને લઈ ખાનાખરાબી સર્જાત.
નર્મદા ડેમ પર ગભાન પાસે જ સિસમોલોજીકલ સેન્ટર દ્વારા ભૂકંપ માપવા સેન્ટર બનાવાયું છે. ડેમને 8.5 રિકટર સ્કેલની તીવ્રતા સુધી ભૂકંપની અસર થઈ શકતી નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ભૂકંપની તીવ્રતા સહન કરવાની ક્ષમતા 15 રિકટર સ્કેલ છે. જેને લઈ આ આંચકાની કોઈ અસર નહિ વર્તાઈ હોવાનું નર્મદા વહીવટી તંત્ર તેમજ ડેમ સત્તાધીશોએ જનવગુ હતું.
રક્ષાબંધને ગુજરાત અને મહારાષ્ટ્રમાં 17.30 કલાકમાં 9 સ્થળે 3.6 તીવ્રતાના આંચકા
રક્ષાબંધને 3 ઓગસ્ટના રાતેના 12 કલાક થી સાંજના 5.30 કલાકમાં ગુજરાત અને મહારાષ્ટ્રના 9 સ્થળે 17.30 કલાકમાં ભૂકંપના આચકાઓ નોંધાયા હતા. ગાંધીનગર સિસમોલોજીકલ સેન્ટર ખાતે નોફયેલ આંચકા મુજબ કચ્છ ના ભચાઉમાં 1.1, ફાટેગઢમાં 2.7, ખવડામાં 3.6, ખવડા 1.6, ધરોઈ 1.3, રાજકોટ 1.7, ભરૂચ 3.3 તેમજ મહારાષ્ટ્રના પાલઘરમાં 1.5 અને 1.9 ની તીવ્રતા નો ભુકમ્પ નોંધાયો હતો.