ભરૂચ હાઇવે 4 દિવસે ખુલ્યા બાદ હવે દહેજ પોર્ટને જોડતા માર્ગ પર ચક્કાજામ
દહેજ બાયપાસ પરના નદેલાવ ઓવરબ્રિજ પર સળિયા નીકળી આવ્યા
ભાગ્યું ભાગ્યું ભરૂચના માર્ગો અને બ્રિજોના ખાડાઓથી વાહનચાલકો ત્રાહિમામ
ભરૂચ. હાઇવે 4 દિવસથી કિલોમીટર અને કલાકો ટ્રાફિકજામ રહ્યા બાદ શનિવારે વાહન વ્યવહાર પૂર્વવત થતો જોવા મળ્યો હતો. બીજી તરફ દહેજ બાય પાસ રોડ પર આવેલ નદેલાવ રેલવે ઓવરબ્રિજ પર સળિયા બહાર નીકળી જતા વાહન ચાલકો ને જોખમ વચ્ચે ચક્કજમની સમસ્યા સર્જાય છે.
ચોમાસામાં ભરૂચ જિલ્લા અને નેશનલ હાઇવે પરથી પસાર થતા હજારો વાહન ચાલકો શહેર, જિલ્લા સહિત રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગના રસ્તા અત્યંત ખાડવાળા બિસ્માર થઈ જતા વાહનચાલકોની યાતનાનો પાર રહયો નથી. છેલ્લા 3 દિવસથી નેશનલ હાઇવે નંબર 48 કલાકો સુધી ચક્કાજામ રહેવા સાથે વડોદરાથી સુરત તરફની લેનમાં ટ્રાફિકજામ નો રેલો 30 કિલોમીટર સુધી છેક કરજણ સુધી પોહચી ગયો હતો.
ચોથા દિવસે હાઇવે પર ટ્રાફિકજામમાંથી લોકોને છુટકારો મળ્યો છે ત્યાં હવે દહેજ બાયપાસ રોડ ટ્રાફિકજામની ચપેટમાં આવી ગયો છે. દહેજ બાયપાસ રોડ પર નદેલાવ રેલવે ઓવરબ્રિજ પર રસ્તાના સળિયા બહાર નીકળી આવતા ઓવરબ્રિજ વાહન ચાલકો માટે જોખમી બની ગયો છે.
બ્રિજના બહાર નીકળી ગયેલા સળિયા અને ઠેર ઠેર પડેલા ગાબડા ને લઈ વાહનોની કતારો પડી રહી છે. દહેજ તરફ જતા અને ઔદ્યોગિક વસાહતમાંથી આવતા ભારદારી વાહનો સહિત નાના વાહનો ટ્રાફિક જામમાં અટવાઈ રહ્યા છે. તંત્ર દ્વારા વહેલી તકે ઓવરબ્રિજના માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ચોમાસા માં અતિભારે વરસાદના કારણે શહેર, જિલ્લાના માર્ગોનું વ્યાપક ધોવાણ થતા ફરી ભાગ્યું ભાગ્યું ભરૂચને લઈ પ્રજા હેરાન પરેશાન થઈ ઉઠી છે
ભરૂચ હાઇવે 4 દિવસે ખુલ્યા બાદ હવે દહેજ પોર્ટને જોડતા માર્ગ પર ચક્કાજામ
દહેજ બાયપાસ પરના નદેલાવ ઓવરબ્રિજ પર સળિયા નીકળી આવ્યા
ભાગ્યું ભાગ્યું ભરૂચના માર્ગો અને બ્રિજોના ખાડાઓથી વાહનચાલકો ત્રાહિમામ
ભરૂચ. હાઇવે 4 દિવસથી કિલોમીટર અને કલાકો ટ્રાફિકજામ રહ્યા બાદ શનિવારે વાહન વ્યવહાર પૂર્વવત થતો જોવા મળ્યો હતો. બીજી તરફ દહેજ બાય પાસ રોડ પર આવેલ નદેલાવ રેલવે ઓવરબ્રિજ પર સળિયા બહાર નીકળી જતા વાહન ચાલકો ને જોખમ વચ્ચે ચક્કજમની સમસ્યા સર્જાય છે.
ચોમાસામાં ભરૂચ જિલ્લા અને નેશનલ હાઇવે પરથી પસાર થતા હજારો વાહન ચાલકો શહેર, જિલ્લા સહિત રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગના રસ્તા અત્યંત ખાડવાળા બિસ્માર થઈ જતા વાહનચાલકોની યાતનાનો પાર રહયો નથી. છેલ્લા 3 દિવસથી નેશનલ હાઇવે નંબર 48 કલાકો સુધી ચક્કાજામ રહેવા સાથે વડોદરાથી સુરત તરફની લેનમાં ટ્રાફિકજામ નો રેલો 30 કિલોમીટર સુધી છેક કરજણ સુધી પોહચી ગયો હતો.
ચોથા દિવસે હાઇવે પર ટ્રાફિકજામમાંથી લોકોને છુટકારો મળ્યો છે ત્યાં હવે દહેજ બાયપાસ રોડ ટ્રાફિકજામની ચપેટમાં આવી ગયો છે. દહેજ બાયપાસ રોડ પર નદેલાવ રેલવે ઓવરબ્રિજ પર રસ્તાના સળિયા બહાર નીકળી આવતા ઓવરબ્રિજ વાહન ચાલકો માટે જોખમી બની ગયો છે.
બ્રિજના બહાર નીકળી ગયેલા સળિયા અને ઠેર ઠેર પડેલા ગાબડા ને લઈ વાહનોની કતારો પડી રહી છે. દહેજ તરફ જતા અને ઔદ્યોગિક વસાહતમાંથી આવતા ભારદારી વાહનો સહિત નાના વાહનો ટ્રાફિક જામમાં અટવાઈ રહ્યા છે. તંત્ર દ્વારા વહેલી તકે ઓવરબ્રિજના માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ચોમાસા માં અતિભારે વરસાદના કારણે શહેર, જિલ્લાના માર્ગોનું વ્યાપક ધોવાણ થતા ફરી ભાગ્યું ભાગ્યું ભરૂચને લઈ પ્રજા હેરાન પરેશાન થઈ ઉઠી છે