જિલ્લા ન્યાયાલય સંકુલ બહાર એકત્ર થઈ 22 એફિડેવિટની જાહેરાતને અન્યાય કરતા ગણાવી
રાજ્ય સરકાર કેન્દ્રના કાયદા ઉપરવટ જઇ બહાર પાડેલો પરીપત્ર પરત ખેંચે
ભરૂચ. ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા તલાટીઓને સોગંધનામાની સત્તા આપવા માટેનું નોટીફીકેશન જાહેર કરાયું છે . જેનો ભરૂચ વકીલ અને નોટરી એસોસિયેશને વિરોધ કર્યો છે.
નોટીફીકેશનને સખત શબ્દોમાં વખોડી કાઢી આ નોટીફીકેશનથી ગુજરાતના તમામ વકીલોના હક્ક પર તડાપ મારવામાં આવેલ છે તેવો સુર વ્યક્ત કરાયો છે. ભરૂચ ન્યાયાલય સંકુલ બહાર 22 પ્રકારની એફિડેવિટમાં તલાટીઓને સત્તાનો વિરોધ કરતા વકીલો અને નોટરી એસો. ના સભ્યોએ જણાવ્યું હતું કે, વકીલોને 7 તથા 10 વર્ષના અનુભવ બાદ નોટરી ની સત્તા મળે છે. વર્ષો બાદ નોટરી વકીલોને સોગંદનામું કરવાનો હક્ક મળતો હોય છે.
સદર પરીપત્ર થી તેમની સત્તામાં ઘટાડો કરી તેમની સાથે અન્યાય કરવામાં આવ્યો છે. જેથી રાજ્ય સરકાર સેન્ટ્રલ ગર્વમેન્ટ ના કાયદા ઉપરવટ જઇ બહાર પાડેલો પરીપત્ર પરત ખેંચે . સેન્ટ્રલ ગર્વમેન્ટ એકટ નો કાયદો હોય જેથી રાજ્ય સરકાર પરીપત્ર બહાર પાડી શકે નહી અને કાયદા મુજબ ગેજેટેડ અધીકારી જ સોગંધ લેવડાવી શકે. તલાટીને સત્તા આપતો જે પરીપત્ર બહાર પાડવામાં આવ્યો છે તે ગેર બંધારણીય છે . જેથી રાજ્ય સરકાર તે પરીપત્ર પરત ખેંચે અને રદ કરે તે બાબતે વકીલોની માતૃ સંસ્થા બાર કાઉન્સીલ ઓફ ગુજરાત અમદાવાદ ને યોગ્ય તે ઘટતુ કરવા ઠરાવ મોકલાયો છે .
- જિલ્લા ન્યાયાલય સંકુલ બહાર એકત્ર થઈ 22 એફિડેવિટની જાહેરાતને અન્યાય કરતા ગણાવી
- રાજ્ય સરકાર કેન્દ્રના કાયદા ઉપરવટ જઇ બહાર પાડેલો પરીપત્ર પરત ખેંચે
ભરૂચ. ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા તલાટીઓને સોગંધનામાની સત્તા આપવા માટેનું નોટીફીકેશન જાહેર કરાયું છે . જેનો ભરૂચ વકીલ અને નોટરી એસોસિયેશને વિરોધ કર્યો છે.
નોટીફીકેશનને સખત શબ્દોમાં વખોડી કાઢી આ નોટીફીકેશનથી ગુજરાતના તમામ વકીલોના હક્ક પર તડાપ મારવામાં આવેલ છે તેવો સુર વ્યક્ત કરાયો છે. ભરૂચ ન્યાયાલય સંકુલ બહાર 22 પ્રકારની એફિડેવિટમાં તલાટીઓને સત્તાનો વિરોધ કરતા વકીલો અને નોટરી એસો. ના સભ્યોએ જણાવ્યું હતું કે, વકીલોને 7 તથા 10 વર્ષના અનુભવ બાદ નોટરી ની સત્તા મળે છે. વર્ષો બાદ નોટરી વકીલોને સોગંદનામું કરવાનો હક્ક મળતો હોય છે.
સદર પરીપત્ર થી તેમની સત્તામાં ઘટાડો કરી તેમની સાથે અન્યાય કરવામાં આવ્યો છે. જેથી રાજ્ય સરકાર સેન્ટ્રલ ગર્વમેન્ટ ના કાયદા ઉપરવટ જઇ બહાર પાડેલો પરીપત્ર પરત ખેંચે . સેન્ટ્રલ ગર્વમેન્ટ એકટ નો કાયદો હોય જેથી રાજ્ય સરકાર પરીપત્ર બહાર પાડી શકે નહી અને કાયદા મુજબ ગેજેટેડ અધીકારી જ સોગંધ લેવડાવી શકે. તલાટીને સત્તા આપતો જે પરીપત્ર બહાર પાડવામાં આવ્યો છે તે ગેર બંધારણીય છે . જેથી રાજ્ય સરકાર તે પરીપત્ર પરત ખેંચે અને રદ કરે તે બાબતે વકીલોની માતૃ સંસ્થા બાર કાઉન્સીલ ઓફ ગુજરાત અમદાવાદ ને યોગ્ય તે ઘટતુ કરવા ઠરાવ મોકલાયો છે .