ઉપરવાસમાંથી પાણીની સતત આવકના કારણે નર્મદા ડેમમાંથી છોડાતું પાણી
ગોલ્ડન બ્રિજે નર્મદા નદી 18 ફૂટે સ્પર્શી
ભરૂચમાં આભ અને ઉપરવાસ બન્ને તરફથી આફત
ભરૂચ . સરદાર સરોવર નર્મદા ડેમમાંથી સતત છોડાઈ રહેલા પાણીના કારણે ભરૂચ નજીક નર્મદા નદીનું જળસ્તર વધી રહ્યું છે. ૨૨ ફૂટના વોર્નિંગ લેવલથી નીચે હાલમાં નર્મદા ૧૮ ફૂટની સપાટીએ વહી રહી છે. જિલ્લામાં ભારે વરસાદ અને ઉપરવાસમાં છોડાયેલા પાણીના કારણે જળસ્તર વધ્યું છે.
ગઈકાલથી સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ડાઉન સ્ટ્રિમમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ૨.૩૫ લાખ ક્યુસેક પાણી છોડની શરૂઆત સાથે ૪ લાખ ક્યુસેક સુધી પાણી છોડવાની તૈયારી બતાવવામાં આવી હતી જેના પગલે ભરૂચ , નર્મદા અને વડોદરાના કાંઠાના વિસ્તારોબે સતર્ક કરાયા હતા. ભરૂચમાં નર્મદા ભયજનક સ્તરે ન પહોંચે તેવા અંદાજ લગાવાઈ રહ્યા છે.
૧૧.૪૫ કલાકે નર્મદાની સપાટી ગોલ્ડન બ્રિજ નજીક ૧૮ ફુટ નોંધાઈ હતી. નર્મદાનું વોર્નિંગ લેવલ ૨૨ ફુટ છે. ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ અને ઉપરવાસના પાણીના કારણે જળસ્તરમાં વધારો નોંધાઈ રહ્યો છે. આ સંજોગોમાં પૂરના સંકટની જોકે તંત્ર દ્વારા કોઈ ચેતવણી જાહેર ન કરતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરના પૂરમાં જીલમાં ખેતી અને ઘરવખરીનું ભારે નુકશાન થયું હતું. હાલ ભરૂચમાં ગઈકાલથી અવિરત વરસી રહેલા એકધારા વરસાદ અને સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડાતા પાણી ને લઈ આભ અને ઉપરવાસ બન્ને તરફથી આફત સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારોના હાલ બેહાલ બની રહ્યા છે.
સ્ટેન્ડ વધારવા રજુઆત કરી હતી
કોવિડ સ્મશાનનું માનવતાની દ્રષ્ટિએ સંચાલન કરતા ધર્મેશ સોલંકી એ જણાવ્યું હતું કે, શેડ વધારવા સાથે અગ્નિદાહ આપવા હાલ 2 સ્ટેન્ડ છે તેની સામે સ્ટેન્ડ વધકરવા રજુઆત કરી હતી. નદીના વધતા જળ સ્તર અને સતત વરસી રહેલા પાણી થી કામગીરી કપરી બની છે. ચોમેર થી પાણી ફરી વળવા સાથે 5 મૃતદેહો હાલ ભેગા થઈ ગયા છે.
ઉપરવાસમાંથી પાણીની સતત આવકના કારણે નર્મદા ડેમમાંથી છોડાતું પાણી
ગોલ્ડન બ્રિજે નર્મદા નદી 18 ફૂટે સ્પર્શી
ભરૂચમાં આભ અને ઉપરવાસ બન્ને તરફથી આફત
ભરૂચ . સરદાર સરોવર નર્મદા ડેમમાંથી સતત છોડાઈ રહેલા પાણીના કારણે ભરૂચ નજીક નર્મદા નદીનું જળસ્તર વધી રહ્યું છે. ૨૨ ફૂટના વોર્નિંગ લેવલથી નીચે હાલમાં નર્મદા ૧૮ ફૂટની સપાટીએ વહી રહી છે. જિલ્લામાં ભારે વરસાદ અને ઉપરવાસમાં છોડાયેલા પાણીના કારણે જળસ્તર વધ્યું છે.
ગઈકાલથી સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ડાઉન સ્ટ્રિમમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ૨.૩૫ લાખ ક્યુસેક પાણી છોડની શરૂઆત સાથે ૪ લાખ ક્યુસેક સુધી પાણી છોડવાની તૈયારી બતાવવામાં આવી હતી જેના પગલે ભરૂચ , નર્મદા અને વડોદરાના કાંઠાના વિસ્તારોબે સતર્ક કરાયા હતા. ભરૂચમાં નર્મદા ભયજનક સ્તરે ન પહોંચે તેવા અંદાજ લગાવાઈ રહ્યા છે.
૧૧.૪૫ કલાકે નર્મદાની સપાટી ગોલ્ડન બ્રિજ નજીક ૧૮ ફુટ નોંધાઈ હતી. નર્મદાનું વોર્નિંગ લેવલ ૨૨ ફુટ છે. ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ અને ઉપરવાસના પાણીના કારણે જળસ્તરમાં વધારો નોંધાઈ રહ્યો છે. આ સંજોગોમાં પૂરના સંકટની જોકે તંત્ર દ્વારા કોઈ ચેતવણી જાહેર ન કરતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરના પૂરમાં જીલમાં ખેતી અને ઘરવખરીનું ભારે નુકશાન થયું હતું. હાલ ભરૂચમાં ગઈકાલથી અવિરત વરસી રહેલા એકધારા વરસાદ અને સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડાતા પાણી ને લઈ આભ અને ઉપરવાસ બન્ને તરફથી આફત સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારોના હાલ બેહાલ બની રહ્યા છે.
સ્ટેન્ડ વધારવા રજુઆત કરી હતી
કોવિડ સ્મશાનનું માનવતાની દ્રષ્ટિએ સંચાલન કરતા ધર્મેશ સોલંકી એ જણાવ્યું હતું કે, શેડ વધારવા સાથે અગ્નિદાહ આપવા હાલ 2 સ્ટેન્ડ છે તેની સામે સ્ટેન્ડ વધકરવા રજુઆત કરી હતી. નદીના વધતા જળ સ્તર અને સતત વરસી રહેલા પાણી થી કામગીરી કપરી બની છે. ચોમેર થી પાણી ફરી વળવા સાથે 5 મૃતદેહો હાલ ભેગા થઈ ગયા છે.