દેડિયાપાડા તાલુકાના 8 ગામના જંગલની જમીનના સનદી ખેડુતોની લાભ આપવા રજુઆત
રાજ્યમાં આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે એવા ટાણે નર્મદા જિલ્લાના આદિવાસીઓએ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે.
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના 8 ગામોના આદિવાસીઓ જંગલની જમીન સરકારે રેવન્યુમાં તબદીલ ન કરી હોવાથી રોષે ભરાયા છે.
ડેડિયાપાડાના આદિવાસીઓ દ્વારા કલેકટર સમક્ષ રજૂઆત કરવા આવી છે. માંગણી પુરી નહિ થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરી તાલુકા-જિલ્લા પંચાયત ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ આપી છે.
ગુજરાત નર્મદા ઝોન સરપંચ પરિષદ પ્રમુખ નિરંજન વસાવા, નર્મદા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન બહાદુર વસાવા સહિત ડેડિયાપાડા તાલુકાના કમોદવાવ, શેરવાઇ, કલતર, ગોલવાણ, ખોડાઆંબા, ઓલગામ, કાંટીપાણી, આંબાવાડી ગામના મોટી સંખ્યામાં આદિવાસી ખેડૂતો નર્મદા જિલ્લા કલેકટર કચેરી ખાતે પોતાની માંગોને લઈને પહોંચ્યા હતા.
સનદ હોવા છતાં જમીન રેવન્યુમાં તબદીલ થતી નથી તેવી રજૂઆત કરતા જણાવ્યું હતું કે, અમારા બાપ દાદાના સમયથી અમે જંગલ ખાતાની જમીન ખેડી પાક લેતા આવ્યા છે. જેમાં જંગલ ખાતાને પણ કોઈ પ્રકારનો વાંધો નથી. જોકે આ 8 ગામના ખેડુતો પાસે સનદ હોવા છંતા તે જમીન રેવન્યુમાં તબદીલ થયેલ નથી. સરકારના નિયમોનુસાર અને ધારા ધોરણ મુજબ સરકારની યોજના માત્ર રેવન્યુ જમીન ધરાવતા ખેડુતોને જ આપવામાં આવે છે.
જયારે અમે 8 ગામના તદ્દન ગરીબ અને અત્યંત અંતરિયાળ વિસ્તારમાં રહેતા સનદી ખેડુતોને સરકારનો લાભ મળતો ન હોવાથી ભારે અન્યાય થાય છે. જેને કારણે ઘર આંગણાના આ ખેડૂતો સામાજીક અલગતાનો અનુભવ કરી રહ્યા છે.સરકારની આ નીતિ અમારા 8 ગામોના ખેડૂતો માટે અન્યાય કર્તા સમાન છે.
અમને પણ સરકારી યોજનાઓનો લાભ મળવો જોઈએ અને જો એમ શક્ય ન હોય તો સનદ ધરાવનારા ખેડુતોની જમીન રેવન્યુમાં તબદીલ કરવા સરકારે કાર્યવાહી કરવી જોઈએ. જો અમારી માંગ નહી સ્વીકારાય અને અમારા ખેડૂતોને ન્યાય નહી મળે તો અમારે ના છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.
એટલું જ નહી આગામી સમયમા આવનારી તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની ચુંટણીઓનો પણ અમે બહિષ્કાર કરીશું. 10 દિવસમાં આ મામલે કાર્યવાહી થાય તેવી ઈચ્છા વ્યક્ત કરાઇ હતી.
રાજ્યમાં આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે એવા ટાણે નર્મદા જિલ્લાના આદિવાસીઓએ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે.
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના 8 ગામોના આદિવાસીઓ જંગલની જમીન સરકારે રેવન્યુમાં તબદીલ ન કરી હોવાથી રોષે ભરાયા છે.
ડેડિયાપાડાના આદિવાસીઓ દ્વારા કલેકટર સમક્ષ રજૂઆત કરવા આવી છે. માંગણી પુરી નહિ થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરી તાલુકા-જિલ્લા પંચાયત ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ આપી છે.
ગુજરાત નર્મદા ઝોન સરપંચ પરિષદ પ્રમુખ નિરંજન વસાવા, નર્મદા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન બહાદુર વસાવા સહિત ડેડિયાપાડા તાલુકાના કમોદવાવ, શેરવાઇ, કલતર, ગોલવાણ, ખોડાઆંબા, ઓલગામ, કાંટીપાણી, આંબાવાડી ગામના મોટી સંખ્યામાં આદિવાસી ખેડૂતો નર્મદા જિલ્લા કલેકટર કચેરી ખાતે પોતાની માંગોને લઈને પહોંચ્યા હતા.
સનદ હોવા છતાં જમીન રેવન્યુમાં તબદીલ થતી નથી તેવી રજૂઆત કરતા જણાવ્યું હતું કે, અમારા બાપ દાદાના સમયથી અમે જંગલ ખાતાની જમીન ખેડી પાક લેતા આવ્યા છે. જેમાં જંગલ ખાતાને પણ કોઈ પ્રકારનો વાંધો નથી. જોકે આ 8 ગામના ખેડુતો પાસે સનદ હોવા છંતા તે જમીન રેવન્યુમાં તબદીલ થયેલ નથી. સરકારના નિયમોનુસાર અને ધારા ધોરણ મુજબ સરકારની યોજના માત્ર રેવન્યુ જમીન ધરાવતા ખેડુતોને જ આપવામાં આવે છે.
જયારે અમે 8 ગામના તદ્દન ગરીબ અને અત્યંત અંતરિયાળ વિસ્તારમાં રહેતા સનદી ખેડુતોને સરકારનો લાભ મળતો ન હોવાથી ભારે અન્યાય થાય છે. જેને કારણે ઘર આંગણાના આ ખેડૂતો સામાજીક અલગતાનો અનુભવ કરી રહ્યા છે.સરકારની આ નીતિ અમારા 8 ગામોના ખેડૂતો માટે અન્યાય કર્તા સમાન છે.
અમને પણ સરકારી યોજનાઓનો લાભ મળવો જોઈએ અને જો એમ શક્ય ન હોય તો સનદ ધરાવનારા ખેડુતોની જમીન રેવન્યુમાં તબદીલ કરવા સરકારે કાર્યવાહી કરવી જોઈએ. જો અમારી માંગ નહી સ્વીકારાય અને અમારા ખેડૂતોને ન્યાય નહી મળે તો અમારે ના છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.
એટલું જ નહી આગામી સમયમા આવનારી તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની ચુંટણીઓનો પણ અમે બહિષ્કાર કરીશું. 10 દિવસમાં આ મામલે કાર્યવાહી થાય તેવી ઈચ્છા વ્યક્ત કરાઇ હતી.