ભરૂચ નજીક નર્મદા નદી ના ઘાટો બંધ કરાતા મનન આશ્રમ નજીક લોકોના સ્નાન માટે ટોળા ઉમટ્યા
રવિવારની રજા વચ્ચે લોકો ઊમટતા સ્થાનિકોને કોરોનાનો ભય
મનન આશ્રમ નજીક નર્મદા નદી ઉપર નદી ઊંડી હોવા છતાં લોકો સ્નાન કરવા મગ્ન બન્યા
ભરૂચ.કોરોનાના ભયના પગલે નર્મદા નદીના કેટલાય ઘાટો લોકો ની અવરજવર માટે બંધ કરાયા છે.છતાં પણ નીલકંઠેશ્વર નજીક ના મનન આશ્રમ ના અવાવરું જગ્યાએ થી નર્મદા નદી સુધી પહોંચી નર્મદા નદી ના ઊંડા વહેણ હોવા છતાં નર્મદા નદી માં ડૂબકી લગાવવા માં મગ્ન બન્યા હતા.જેના કારણે સ્થાનિકો એ પોલીસ કાફલા ને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લોકો ને વેર વિખરે કર્યા હતા.
ભરૂચ જીલ્લા માં છેલ્લા 8 મહિના થી કોરોના ના કહેર થી ભરૂચ નજીક ના નર્મદા નદી ના તમામ ઘાટો ઉપર લોકો ની અવરજવર માટે પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો.છતાં પણ નર્મદા નદી ઉપર લોકો સ્નાન અર્થે વિવિધ અવાવરું જગ્યાએ થી નર્મદા નદી સુધી સ્નાન અર્થે ઉમટી રહ્યા છે.ત્યારે નીલકંઠેશ્વર ના મન આશ્રમ ના અવાવરું જગ્યા એ થી પ્રવાસીઓ સ્નાન અર્થે એકત્ર થતા સ્થાનિકો ને કોરોના નો ભય સતાવી રહ્યો હોવાના કારણે લોકોએ પોલીસ ને જાણ કરતા પોલીસે સ્થળ ઉપર દોડી આવી નર્મદા નદી ના ઘાટ ઉપર થી લોકો ને દૂર કરી સ્થળ ઉપર પોલીસ કાફલો ખડકી દેવાયો હતો.ત્યારે લોકો માં પણ સાવચેતી નો અભાવ જોવા મળી રહ્યો છે.
રવિવારની રજા વચ્ચે હાલ હરવા ફરવાના તમાંમ જાહેર સ્થળો બંધ છે ત્યારે કોરોનાનાં કારણે છેલ્લા કેટલાય મહિનાઓથી ઘરમાં રહેલા લોકો હવે શેર સપાટા અને આનંદ પ્રમોદ માટે નર્મદા નદી કિનારે અંતરિયાળ વિસ્તારો ને પસંદ કરી રહ્યા છે. જોકે ત્યાં વધુ ભીડ એકત્ર થઈ જવા સાથે હોબાળો મચતા પોલીસ આવી પોહચતા લટાર મારવા નીકળેલા લોકોની મજા બગડી ગઈ હતી.
ભરૂચ નજીક નર્મદા નદી ના ઘાટો બંધ કરાતા મનન આશ્રમ નજીક લોકોના સ્નાન માટે ટોળા ઉમટ્યા
રવિવારની રજા વચ્ચે લોકો ઊમટતા સ્થાનિકોને કોરોનાનો ભય
મનન આશ્રમ નજીક નર્મદા નદી ઉપર નદી ઊંડી હોવા છતાં લોકો સ્નાન કરવા મગ્ન બન્યા
ભરૂચ.કોરોનાના ભયના પગલે નર્મદા નદીના કેટલાય ઘાટો લોકો ની અવરજવર માટે બંધ કરાયા છે.છતાં પણ નીલકંઠેશ્વર નજીક ના મનન આશ્રમ ના અવાવરું જગ્યાએ થી નર્મદા નદી સુધી પહોંચી નર્મદા નદી ના ઊંડા વહેણ હોવા છતાં નર્મદા નદી માં ડૂબકી લગાવવા માં મગ્ન બન્યા હતા.જેના કારણે સ્થાનિકો એ પોલીસ કાફલા ને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લોકો ને વેર વિખરે કર્યા હતા.
ભરૂચ જીલ્લા માં છેલ્લા 8 મહિના થી કોરોના ના કહેર થી ભરૂચ નજીક ના નર્મદા નદી ના તમામ ઘાટો ઉપર લોકો ની અવરજવર માટે પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો.છતાં પણ નર્મદા નદી ઉપર લોકો સ્નાન અર્થે વિવિધ અવાવરું જગ્યાએ થી નર્મદા નદી સુધી સ્નાન અર્થે ઉમટી રહ્યા છે.ત્યારે નીલકંઠેશ્વર ના મન આશ્રમ ના અવાવરું જગ્યા એ થી પ્રવાસીઓ સ્નાન અર્થે એકત્ર થતા સ્થાનિકો ને કોરોના નો ભય સતાવી રહ્યો હોવાના કારણે લોકોએ પોલીસ ને જાણ કરતા પોલીસે સ્થળ ઉપર દોડી આવી નર્મદા નદી ના ઘાટ ઉપર થી લોકો ને દૂર કરી સ્થળ ઉપર પોલીસ કાફલો ખડકી દેવાયો હતો.ત્યારે લોકો માં પણ સાવચેતી નો અભાવ જોવા મળી રહ્યો છે.
રવિવારની રજા વચ્ચે હાલ હરવા ફરવાના તમાંમ જાહેર સ્થળો બંધ છે ત્યારે કોરોનાનાં કારણે છેલ્લા કેટલાય મહિનાઓથી ઘરમાં રહેલા લોકો હવે શેર સપાટા અને આનંદ પ્રમોદ માટે નર્મદા નદી કિનારે અંતરિયાળ વિસ્તારો ને પસંદ કરી રહ્યા છે. જોકે ત્યાં વધુ ભીડ એકત્ર થઈ જવા સાથે હોબાળો મચતા પોલીસ આવી પોહચતા લટાર મારવા નીકળેલા લોકોની મજા બગડી ગઈ હતી.