દેડિયાપાડાના મોસકુટ ગામથી મહારાષ્ટ્રના એક સહિત 3 ઇસમોને ઝડપી તેમની પાસે થી 15 આંધળી ચાકર કબ્જે કરાઇ
આંતરરાષ્ટ્રીય બજારમાં ઝડપાયેલ આંધળી ચાકળો ની કરોડોની કિંમત
ભરૂચ. નર્મદા જીલ્લા ના દેડિયાપાડા તાલુકાના મોસકુટ ગામ ખાતે થી નર્મદા જીલ્લા વનવિભાગ ના નાયબ વન સંરક્ષક નિરજકુમાર ના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે. એ. ખોખર દેડિયાપાડા રેન્જ આર. એફ. ઓ. ભરતભાઈ તડવી સાગબારા રેન્જ આર. એફ. ઓ. સપનાબેન ચોધરી સહિત વન વિભાગ ની ટીમો તેમજ એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા, વડોદરા S.P.C.A. તથા વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષા વિભાગ ના સંયુક્ત પ્રયાસોથી ગુજરાત રાજ્યમાં સૌથી મોટી સંખ્યામાં વન્ય સરીસૃપ જીવ આંધળી ચાકળ ની આંતર રાજય તસ્કરી નો પર્દાફાશ કરાયો હતો. વન વિભાગે ત્રણ આરોપીઓ ને ઝડપી પાડયા હતા તેમના પાસે થી 15 આંધળી ચાકળ જપ્ત કરી હતી.
નર્મદા જિલ્લા ના સોરાપાડા રેન્જ ના RFO જે.એ. ખોખર સહિત SPCA નર્મદા ના ધરમેનદર ખત્રી દ્વારા મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લા ના જંગલ વિસ્તારમાં થી મોટા પ્રમાણ મા વન્ય સરિસૃપો ગણાતા આંધળી ચાકળો ની તસ્કરી થતી હોવાની બાતમી એનીમલ વેલફેર બોર્ડ વડોદરા SPCA દ્વારા નર્મદા વન વિભાગ ને બાતમી આપવામાં આવી હતી કે નર્મદા જિલ્લા માથી દેડિયાપાડા તાલુકા ના મોસકુટ ગામ ખાતે થી મોટા પાયે આંધળી ચાકળ ની તસ્કરી થાય છે , આ બાતમી આધારે વન વિભાગે પોતાની ટીમો બનાવી મોસકુટ ગામ ખાતે થી આરોપીઓ 1) અતુલ હરસીગ વસાવા 2) નરેન્દ્ર મોંગીયા વસાવા બનને રહે મોસકુટ 3) ફયાજઅલી અહેમદઅલી મકરાણી રહે. અકકલકુવા મહારાષ્ટ્ર નાઓને ઝડપી પાડયા હતા અને તેમની પાસે થી 15 આંધળી ચાકળો ની તસ્કરી થતી.
વન વિભાગે હાથ ધરેલ આ ઓપરેશનમા જતીન વ્યાસ, દિપેનસિંહ પરમાર , અંકુરભાઇ પટેલ, વિશાલભાઈ મરાઠી, જૈમિન ભાઈ રાવલ અને ગુજરાત રાજ્ય વન વિભાગ ના ડેડીયાપાડા રેન્જ ફોરેસ્ટ ના ડી.સી.એફ. નીરજ કુમાર આર. એફ.ઓ. જે.બી. ખોખર. આર.એફ.ઓ સપના બેન ચૌધરી , આર.એફ.ઓ.ભરતભાઇ તડવી તથા એ.સી.એફ. એ.ડી. ચૌધરી ના ઓ ખૂબ જ પ્રયત્નશીલ રહ્યા હતા અને સમગ્ર ઓપરેશન ને પાર પાડયુ હતું.
ડેડીયાપાડા રેન્જ ફોરેસ્ટ અને વડોદરા S.P.C.A. વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા ની ટીમો સંયુક્ત રીતે છેલ્લા ત્રણ-ચાર દિવસથી સદર ગેરકાયદેસર વન્યજીવ નું ગેરકાયદેસર વેચાણ કરનાર આરોપીઓ ની વોચ માં હતા. જે સંદર્ભે સદર આરોપીઓને ૧૫ નંગ આંધળી ચાકણ સાથે ગેરકાયદેસર વેપાર કરતાં ત્રણ આરોપીઓને રંગેહાથ પકડી પાડવામાં આવેલ છે. સદર વન્યજીવોનું ગેરકાયદેસર વેચાણ રાજ્યવ્યાપી અને આંતરરાજ્ય ગેરકાયદેસર લે વેચ નો પર્દાફાશ થયેલ છે. આગામી દિવસોમાં વન વિભાગ તરફથી ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો આંતર રાજ્ય લેવલે રાજ્યવ્યાપી ખૂબ જ મોટું કૌભાંડનો પર્દાફાશ થઇ શકે છે.
વધુમાં ખાસ જણાવવાનું કે આંધણી ચાકળ નો તાંત્રિક વિધિ માં વિશ્વાસ ધરાવતા અંધશ્રદ્ધાળુ ઓ મો માંગી કિંમત મા ખરીદતા હોયછે .આવી બધી ગેરકાનુની માનસિકતામાં આવા ગુનેગારોને પ્રોત્સાહિત કરાતા હોય છે નિર્દોષ અબોલ જીવોને રંજાડી ને ક્રૂરતા આચરી ને અબોલ જીવો ની હત્યા ના ભાગીદાર લોકો થાય છે. સદર સરીસૃપ ને આ આ ગુનેગારો વજન વધારવા માટે સાયકલના બેરિંગના છરા તેઓના મોં વાટે શરીરમાં દાખલ કરે છે અને ક્રૂરતા આચરે છે જેનાથી તેનું મૃત્યુ નિશ્ચિત છે માટે સદર 15 જીવો નું મેડિકલ થવું પણ જરૂરી છે તેમજ આ જીવોને કેટલાય સમયથી ખોરાક પાણી વગર રાખવામાં આવેલ હોવાની પણ શક્યતાઓ હોય તેઓને તાત્કાલિક સારવાર પણ કરવી જરૂરી બનેલ છે.
આંતરરાષ્ટ્રીય રેકેટની આશંકા --RFO જે. એ. ખોખર
નર્મદા જિલ્લા ના દેડિયાપાડા તાલુકા ના મોસકુટ ગામ ખાતે થી ઝડપાયેલા સરિસૃપો આંધળી ચાકળ ના વેપાર ના મામલે મોસકુટ ના વન અધિકારી ખોખર ના જણાવ્યા અનુસાર મોસકુટ આંધળી ચાકળો વેચવાનું સેન્ટર બનેલ હતુ અહિયા મુંબઈ સહિત અમદાવાદ. વિગેરે સથળો થી ખરીદદારો આવતા અને ઉચી કિંમતો આપી સરિસૃપો ખરીદાતા આ મામલે પોતાની તપાસ ચાલુ છે આ ષડયંત્ર આંતરરાષ્ટ્રીય લેવલે પણ ફેલાયેલો હોવાની શકયતાઓ તેઓએ જણાવી હતી.
દેડિયાપાડાના મોસકુટ ગામથી મહારાષ્ટ્રના એક સહિત 3 ઇસમોને ઝડપી તેમની પાસે થી 15 આંધળી ચાકર કબ્જે કરાઇ
આંતરરાષ્ટ્રીય બજારમાં ઝડપાયેલ આંધળી ચાકળો ની કરોડોની કિંમત
ભરૂચ. નર્મદા જીલ્લા ના દેડિયાપાડા તાલુકાના મોસકુટ ગામ ખાતે થી નર્મદા જીલ્લા વનવિભાગ ના નાયબ વન સંરક્ષક નિરજકુમાર ના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે. એ. ખોખર દેડિયાપાડા રેન્જ આર. એફ. ઓ. ભરતભાઈ તડવી સાગબારા રેન્જ આર. એફ. ઓ. સપનાબેન ચોધરી સહિત વન વિભાગ ની ટીમો તેમજ એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા, વડોદરા S.P.C.A. તથા વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષા વિભાગ ના સંયુક્ત પ્રયાસોથી ગુજરાત રાજ્યમાં સૌથી મોટી સંખ્યામાં વન્ય સરીસૃપ જીવ આંધળી ચાકળ ની આંતર રાજય તસ્કરી નો પર્દાફાશ કરાયો હતો. વન વિભાગે ત્રણ આરોપીઓ ને ઝડપી પાડયા હતા તેમના પાસે થી 15 આંધળી ચાકળ જપ્ત કરી હતી.
નર્મદા જિલ્લા ના સોરાપાડા રેન્જ ના RFO જે.એ. ખોખર સહિત SPCA નર્મદા ના ધરમેનદર ખત્રી દ્વારા મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લા ના જંગલ વિસ્તારમાં થી મોટા પ્રમાણ મા વન્ય સરિસૃપો ગણાતા આંધળી ચાકળો ની તસ્કરી થતી હોવાની બાતમી એનીમલ વેલફેર બોર્ડ વડોદરા SPCA દ્વારા નર્મદા વન વિભાગ ને બાતમી આપવામાં આવી હતી કે નર્મદા જિલ્લા માથી દેડિયાપાડા તાલુકા ના મોસકુટ ગામ ખાતે થી મોટા પાયે આંધળી ચાકળ ની તસ્કરી થાય છે , આ બાતમી આધારે વન વિભાગે પોતાની ટીમો બનાવી મોસકુટ ગામ ખાતે થી આરોપીઓ 1) અતુલ હરસીગ વસાવા 2) નરેન્દ્ર મોંગીયા વસાવા બનને રહે મોસકુટ 3) ફયાજઅલી અહેમદઅલી મકરાણી રહે. અકકલકુવા મહારાષ્ટ્ર નાઓને ઝડપી પાડયા હતા અને તેમની પાસે થી 15 આંધળી ચાકળો ની તસ્કરી થતી.
વન વિભાગે હાથ ધરેલ આ ઓપરેશનમા જતીન વ્યાસ, દિપેનસિંહ પરમાર , અંકુરભાઇ પટેલ, વિશાલભાઈ મરાઠી, જૈમિન ભાઈ રાવલ અને ગુજરાત રાજ્ય વન વિભાગ ના ડેડીયાપાડા રેન્જ ફોરેસ્ટ ના ડી.સી.એફ. નીરજ કુમાર આર. એફ.ઓ. જે.બી. ખોખર. આર.એફ.ઓ સપના બેન ચૌધરી , આર.એફ.ઓ.ભરતભાઇ તડવી તથા એ.સી.એફ. એ.ડી. ચૌધરી ના ઓ ખૂબ જ પ્રયત્નશીલ રહ્યા હતા અને સમગ્ર ઓપરેશન ને પાર પાડયુ હતું.
ડેડીયાપાડા રેન્જ ફોરેસ્ટ અને વડોદરા S.P.C.A. વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા ની ટીમો સંયુક્ત રીતે છેલ્લા ત્રણ-ચાર દિવસથી સદર ગેરકાયદેસર વન્યજીવ નું ગેરકાયદેસર વેચાણ કરનાર આરોપીઓ ની વોચ માં હતા. જે સંદર્ભે સદર આરોપીઓને ૧૫ નંગ આંધળી ચાકણ સાથે ગેરકાયદેસર વેપાર કરતાં ત્રણ આરોપીઓને રંગેહાથ પકડી પાડવામાં આવેલ છે. સદર વન્યજીવોનું ગેરકાયદેસર વેચાણ રાજ્યવ્યાપી અને આંતરરાજ્ય ગેરકાયદેસર લે વેચ નો પર્દાફાશ થયેલ છે. આગામી દિવસોમાં વન વિભાગ તરફથી ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો આંતર રાજ્ય લેવલે રાજ્યવ્યાપી ખૂબ જ મોટું કૌભાંડનો પર્દાફાશ થઇ શકે છે.
વધુમાં ખાસ જણાવવાનું કે આંધણી ચાકળ નો તાંત્રિક વિધિ માં વિશ્વાસ ધરાવતા અંધશ્રદ્ધાળુ ઓ મો માંગી કિંમત મા ખરીદતા હોયછે .આવી બધી ગેરકાનુની માનસિકતામાં આવા ગુનેગારોને પ્રોત્સાહિત કરાતા હોય છે નિર્દોષ અબોલ જીવોને રંજાડી ને ક્રૂરતા આચરી ને અબોલ જીવો ની હત્યા ના ભાગીદાર લોકો થાય છે. સદર સરીસૃપ ને આ આ ગુનેગારો વજન વધારવા માટે સાયકલના બેરિંગના છરા તેઓના મોં વાટે શરીરમાં દાખલ કરે છે અને ક્રૂરતા આચરે છે જેનાથી તેનું મૃત્યુ નિશ્ચિત છે માટે સદર 15 જીવો નું મેડિકલ થવું પણ જરૂરી છે તેમજ આ જીવોને કેટલાય સમયથી ખોરાક પાણી વગર રાખવામાં આવેલ હોવાની પણ શક્યતાઓ હોય તેઓને તાત્કાલિક સારવાર પણ કરવી જરૂરી બનેલ છે.
આંતરરાષ્ટ્રીય રેકેટની આશંકા --RFO જે. એ. ખોખર
નર્મદા જિલ્લા ના દેડિયાપાડા તાલુકા ના મોસકુટ ગામ ખાતે થી ઝડપાયેલા સરિસૃપો આંધળી ચાકળ ના વેપાર ના મામલે મોસકુટ ના વન અધિકારી ખોખર ના જણાવ્યા અનુસાર મોસકુટ આંધળી ચાકળો વેચવાનું સેન્ટર બનેલ હતુ અહિયા મુંબઈ સહિત અમદાવાદ. વિગેરે સથળો થી ખરીદદારો આવતા અને ઉચી કિંમતો આપી સરિસૃપો ખરીદાતા આ મામલે પોતાની તપાસ ચાલુ છે આ ષડયંત્ર આંતરરાષ્ટ્રીય લેવલે પણ ફેલાયેલો હોવાની શકયતાઓ તેઓએ જણાવી હતી.