અંધારામાં લાકડીઓ, ધારીયા સહિતના હથિયારો સાથે 30 થી 40 વ્યક્તિઓનું ટોળું ચોરીના ઇરાદે ઘુસ્યું
સક્કરપુર ગામ નજીક અશોક બિલ્ડકોન કંપનીના ઇજાગ્રસ્ત 3 સિક્યુરિટી ગાર્ડને ભરૂચ સિવિલમાં ખસેડાયા
ધારીયા, લાકડીઓ સહિતના હથિયાર સાથે ટોળું ચોરી કરવા આવ્યું હોવાની શકયતા
અંકલેશ્વર. સક્કરપુરા ગામે એક્સપ્રેસ વે ની ચાલી રહેલી કામગીરીમાં અશોક બિલ્ડકોનની સાઇટ ઉપર રવિવારે મોડી રાત્રે ચોરીના ઇરાદે મારક હથિયારો સાથે આવી ચઢેલા 30 થી 40 હથિયારધારી ટોળા એ રાત્રી પેટ્રોલીંગ માં રહેલા 3 સિક્યોરિટી ગાર્ડ પર હુમલો કર્યો હતો. ત્રણેય ઇજાગ્રસ્ત સિક્યોરિટી ગાર્ડને સારવાર અર્થે ભરૂચ સિવિલમાં ખસેડી અંકલેશ્વર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ જિલ્લામાં હાલ એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેન, ડેડીકેટેડ ફ્રેઈટ વેસ્ટર્ન કોરિડોર સહિતની કામગીરી ચાલી રહી છે. અંકલેશ્વર તાલુકામાંથી હાઇવે નજીક થી પસાર થનાર એક્સપ્રેસ વે ની ચાલતી કામગીરીમાં કોન્ટ્રાકટ અશોકા બિલ્ડકોનનો ચાલી રહ્યો છે.
રવિવારે મોડી રાત્રે સાઇટ ઉપર સક્કરપોર ગામ પાસે 3 સિક્યોરિટી જવાનો રાત્રી ફરજમાં હતા. જે સમયે તેઓ સરફુદ્દીન-ખાલપીયા માં રાઉન્ડ ઉપર નિકળા હતા. અંધારામાં લાકડીઓ, ધારીયા સહિતના હથિયારો સાથે 30 થી 40 વ્યક્તિઓનું ટોળું ચોરીના ઇરાદે ઘુસ્યું હતું ગાર્ડને ઇજા પહોંચતા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી હતી. ટોળાએ ચોરી કે લૂંટના ઇરાદે હુમલો કર્યો તે અંગે હજી વિગતો બહાર આવી નથી. સાઇટ પરથી સાધનો કે મશીનરીની ચોરી થઈ છે કે નહીં તેની પણ પોલીસ દ્વારા વિગતો મેળવાઈ રહી છે.
હુમલામાં સિક્યોરિટી જવાન જીજ્ઞેશકુમાર સુભાષભાઈ વસાવા ઉ.વ. 25 રહે. જુના સક્કરપુરા, પ્રવિણ અરવિંદભાઈ વસાવા ઉ.વ. 29 રહે, જુના ભાટા અને સતીશ શભુંભાઈ વસાવા ઉ.વ. 21 ફહે. ખાલપીયા ગામ અંકલેશ્વરને સળિયા, લાકડીના સપાટા ઝીકતાં હાથ, પગ અને શરીરે નાની મોટી ઇજાઓ પોહચી હતી.
અંધારામાં લાકડીઓ, ધારીયા સહિતના હથિયારો સાથે 30 થી 40 વ્યક્તિઓનું ટોળું ચોરીના ઇરાદે ઘુસ્યું
સક્કરપુર ગામ નજીક અશોક બિલ્ડકોન કંપનીના ઇજાગ્રસ્ત 3 સિક્યુરિટી ગાર્ડને ભરૂચ સિવિલમાં ખસેડાયા
ધારીયા, લાકડીઓ સહિતના હથિયાર સાથે ટોળું ચોરી કરવા આવ્યું હોવાની શકયતા
અંકલેશ્વર. સક્કરપુરા ગામે એક્સપ્રેસ વે ની ચાલી રહેલી કામગીરીમાં અશોક બિલ્ડકોનની સાઇટ ઉપર રવિવારે મોડી રાત્રે ચોરીના ઇરાદે મારક હથિયારો સાથે આવી ચઢેલા 30 થી 40 હથિયારધારી ટોળા એ રાત્રી પેટ્રોલીંગ માં રહેલા 3 સિક્યોરિટી ગાર્ડ પર હુમલો કર્યો હતો. ત્રણેય ઇજાગ્રસ્ત સિક્યોરિટી ગાર્ડને સારવાર અર્થે ભરૂચ સિવિલમાં ખસેડી અંકલેશ્વર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ જિલ્લામાં હાલ એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેન, ડેડીકેટેડ ફ્રેઈટ વેસ્ટર્ન કોરિડોર સહિતની કામગીરી ચાલી રહી છે. અંકલેશ્વર તાલુકામાંથી હાઇવે નજીક થી પસાર થનાર એક્સપ્રેસ વે ની ચાલતી કામગીરીમાં કોન્ટ્રાકટ અશોકા બિલ્ડકોનનો ચાલી રહ્યો છે.
રવિવારે મોડી રાત્રે સાઇટ ઉપર સક્કરપોર ગામ પાસે 3 સિક્યોરિટી જવાનો રાત્રી ફરજમાં હતા. જે સમયે તેઓ સરફુદ્દીન-ખાલપીયા માં રાઉન્ડ ઉપર નિકળા હતા. અંધારામાં લાકડીઓ, ધારીયા સહિતના હથિયારો સાથે 30 થી 40 વ્યક્તિઓનું ટોળું ચોરીના ઇરાદે ઘુસ્યું હતું ગાર્ડને ઇજા પહોંચતા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી હતી. ટોળાએ ચોરી કે લૂંટના ઇરાદે હુમલો કર્યો તે અંગે હજી વિગતો બહાર આવી નથી. સાઇટ પરથી સાધનો કે મશીનરીની ચોરી થઈ છે કે નહીં તેની પણ પોલીસ દ્વારા વિગતો મેળવાઈ રહી છે.
હુમલામાં સિક્યોરિટી જવાન જીજ્ઞેશકુમાર સુભાષભાઈ વસાવા ઉ.વ. 25 રહે. જુના સક્કરપુરા, પ્રવિણ અરવિંદભાઈ વસાવા ઉ.વ. 29 રહે, જુના ભાટા અને સતીશ શભુંભાઈ વસાવા ઉ.વ. 21 ફહે. ખાલપીયા ગામ અંકલેશ્વરને સળિયા, લાકડીના સપાટા ઝીકતાં હાથ, પગ અને શરીરે નાની મોટી ઇજાઓ પોહચી હતી.