દહેજ OPAL કંપની નજીક નર્મદા સાગર સંગમ નર્મદા નદીના મુખમાં દહેજની કંપનીઓ દ્વારા ટ્રીટમેન્ટ કર્યા વગરનું પ્રદુષિત પાણીનો ખુલ્લેઆમ નિકાલ કરાય છે.
મામલે વારંવાર રજુઆત બાદ પણ સ્થિતીમાં કોઇ સુધારો નહિ
ભરૂચ.નર્મદા સાગર સંગમ દહેજ OPAL કંપની નજીક નર્મદા સાગર સંગમ નર્મદા નદીના મુખમાં દહેજની કંપનીઓ દ્વારા ટ્રીટમેન્ટ કર્યા વગરનું પ્રદુષિત પાણી સીધેસીધું ખુલ્લેઆમ નર્મદા નદીના મુખમાં છોડી દેવાના કારણે હજારો લાખોની સંખ્યામાં માછલીઓ અને બચ્ચાઓ મરી રહેલા છે.
આ બાબતે ફરિયાદ કરતાં GPCB ની ટીમ દ્વારા સ્થળ મુલાકાત કરી જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા, પણ સવાલ એ છે કે, જવાબદાર કંપનીઓ સામું અધિકારીઓ દ્વારા ફરિયાદ કેમ કરવામાં આવતી નથી ? કાયદેસરના પગલાં લેવામાં કેમ નથી આવતાં ?
સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા વારંવાર લાગતાં વળગતા સ્થાનિક કક્ષાએ અને વિવિધ રાજ્ય સરકારના તથા કેન્દ્ર સરકારના ખાતાઓમાં પણ વારંવાર રજૂઆતો કરવામાં આવેલી હોવા છતા આ બાબતે સરકાર ગંભીર કેમ નથી ?
આ ગંભીર મુદ્દે યોગ્ય તપાસ થાય તેવી સમસ્ત માછીમાર સમાજના પ્રમુખ એડવોકેટ કમલેશ મઢીવાલા અને સમજે માંગ કરી છે, રોજેરોજના ગંભીર નજારાઓ જોઈને વારંવાર એ પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે કે, શું નદી અને દરિયો કંપનીઓનું પ્રદુષણ છોડવા માટેની ઉદ્યોગપતિઓની જાગીર છે...???
શું દેશના પર્યાવરણનું સત્યાનાશ કરી દેશના નાગરિકોને અને દેશને ગંભીર નુકશાન કરવાનું સત્તાધીશોનું આ કાવતરું તો નથી ને ? આવા સવાલો વારંવાર ઉભા થઈ રહ્યા છે.
દહેજ OPAL કંપની નજીક નર્મદા સાગર સંગમ નર્મદા નદીના મુખમાં દહેજની કંપનીઓ દ્વારા ટ્રીટમેન્ટ કર્યા વગરનું પ્રદુષિત પાણીનો ખુલ્લેઆમ નિકાલ કરાય છે.
મામલે વારંવાર રજુઆત બાદ પણ સ્થિતીમાં કોઇ સુધારો નહિ
ભરૂચ.નર્મદા સાગર સંગમ દહેજ OPAL કંપની નજીક નર્મદા સાગર સંગમ નર્મદા નદીના મુખમાં દહેજની કંપનીઓ દ્વારા ટ્રીટમેન્ટ કર્યા વગરનું પ્રદુષિત પાણી સીધેસીધું ખુલ્લેઆમ નર્મદા નદીના મુખમાં છોડી દેવાના કારણે હજારો લાખોની સંખ્યામાં માછલીઓ અને બચ્ચાઓ મરી રહેલા છે.
આ બાબતે ફરિયાદ કરતાં GPCB ની ટીમ દ્વારા સ્થળ મુલાકાત કરી જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા, પણ સવાલ એ છે કે, જવાબદાર કંપનીઓ સામું અધિકારીઓ દ્વારા ફરિયાદ કેમ કરવામાં આવતી નથી ? કાયદેસરના પગલાં લેવામાં કેમ નથી આવતાં ?
સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા વારંવાર લાગતાં વળગતા સ્થાનિક કક્ષાએ અને વિવિધ રાજ્ય સરકારના તથા કેન્દ્ર સરકારના ખાતાઓમાં પણ વારંવાર રજૂઆતો કરવામાં આવેલી હોવા છતા આ બાબતે સરકાર ગંભીર કેમ નથી ?
આ ગંભીર મુદ્દે યોગ્ય તપાસ થાય તેવી સમસ્ત માછીમાર સમાજના પ્રમુખ એડવોકેટ કમલેશ મઢીવાલા અને સમજે માંગ કરી છે, રોજેરોજના ગંભીર નજારાઓ જોઈને વારંવાર એ પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે કે, શું નદી અને દરિયો કંપનીઓનું પ્રદુષણ છોડવા માટેની ઉદ્યોગપતિઓની જાગીર છે...???
શું દેશના પર્યાવરણનું સત્યાનાશ કરી દેશના નાગરિકોને અને દેશને ગંભીર નુકશાન કરવાનું સત્તાધીશોનું આ કાવતરું તો નથી ને ? આવા સવાલો વારંવાર ઉભા થઈ રહ્યા છે.