આગામી સમયમાં કે.જે. ચોકસી લાઇબ્રેરીમાં વાંચકો માટે શરૂ થશે કેન્ટીન, વર્ષે 33,000 વાંચકો લે છે મુલાકાત
નવીનતાથી સજ્જ ભવ્ય ભરુચનું ભવ્ય પુસ્તકાલય એટ્લે ‘કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરી
ભરૂચ. જ્યાં વર્ષના 33000 સાહિત્ય પૂજકો આ ભવ્ય શારદા મંદિર સમા પુસ્તકાલયની મુલાકાત લેતા હતાં તે સાહિત્ય રથ અચાનક થંભી ગયો. જેનું કારણ કોરોનાકાળ હતો. જેણે સમસ્ત વિશ્વની વિકાસની ગતિને ક્યાં તો બંધ કરી દીધી ક્યાં તો સાવ જ ધીમી કરી દીધી. છતાં પણ લોકોનો ઉત્સાહ અને ઉમંગ જળવાઈ રહે એ માટે આ પુસ્તકાલયના સંસ્થાપકો દ્વારા બને એટલા પ્રયત્નો થયા.
સરકારની દોરવણી મુજબ પહેલાં પુસ્તક આપલે વિભાગ શરૂ કરાયો અને ત્યાર બાદ વાંચનખંડની ખુલ્લો રાખવાની મંજૂરી મળતા ઉચ્ચ અભ્યાસ માટે આવતા વિધાર્થીઓ માટે આ પુસ્તકાલયમાં ભવ્ય નવો વાંચનખંડ જે માર્ચ -2020માં જ તૈયાર થઈ ગયો હતો તે ખુલ્લો મુકાયો.
ભરુચની ભવ્યતાની યશ કલગીમાં આ પુસ્તકાલય તો પહેલેથી જ સ્થાન પામેલું જ હતું એમાં નવું પીછું ઉમેરાયું
સંપૂર્ણ વાતાનુકૂલિત આ વાંચનખંડ સુવિધાસંપન્ન છે. જેમાં સામાજિક અંતર જળવાય એ મુજબની 135 લોકો બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથે સાથે સુરક્ષા સંદર્ભે પણ એટલી જ કાળજી લેવામાં આવી છે. આ વાંચનખંડ શરૂ કરવાથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનારા વિધાર્થીઓ ખૂબ જ ખુશ છે અને તેઓ આવી ઉત્તમ સુવિધા પૂરી પાડવા બદલ કે જે ચોક્સી ચેરીટેબલ ટ્રસ્ટનો આભાર માને છે કે જેના સાન્નિધ્યમાં ધબકતું આ પુસ્તકાલયમાં વાંચન કરી સફળતાના શિખરો સર કરવામાં વિધાર્થીઓને શાંત વાતાવરણ મળી રહ્યું છે.
પુસ્તકાલય વર્ષ 2008થી ભરૂચની જનતા માટે ખુલ્લુ મુકાયું હતું જે સમસ્ત ભરુચનું પ્રિય બની ગયું છે.
આ પુસ્તકાલયમાં કુલ 4 ભાષાના 45000 થી વધુ પુસ્તકો ઉપલબ્ધ છે જેમાં ગુજરાતી, હિન્દી , મરાઠી અને અંગ્રેજી ભાષાના પુસ્તકો સામેલ છે. ગ્રંથપાલ નરેન સોનારે જણાવ્યું હતું કે , રોજ લાઇબ્રેરીમાં 2 વખત ખાસ સેનેટાઇઝ કરવામાં આવે છે. આગામી સમયમાં આ પુસ્તકાલયમાં કેન્ટીનની વ્યવસ્થા પણ ઉભી કરાશે જેથી કરી વિદ્યાર્થીઓ અને વાંચકો વાંચન સાથે નાસ્તો તેમજ ચાની ચૂસકી પણ માણી શકે.
આગામી સમયમાં કે.જે. ચોકસી લાઇબ્રેરીમાં વાંચકો માટે શરૂ થશે કેન્ટીન, વર્ષે 33,000 વાંચકો લે છે મુલાકાત
ભરૂચ. જ્યાં વર્ષના 33000 સાહિત્ય પૂજકો આ ભવ્ય શારદા મંદિર સમા પુસ્તકાલયની મુલાકાત લેતા હતાં તે સાહિત્ય રથ અચાનક થંભી ગયો. જેનું કારણ કોરોનાકાળ હતો. જેણે સમસ્ત વિશ્વની વિકાસની ગતિને ક્યાં તો બંધ કરી દીધી ક્યાં તો સાવ જ ધીમી કરી દીધી. છતાં પણ લોકોનો ઉત્સાહ અને ઉમંગ જળવાઈ રહે એ માટે આ પુસ્તકાલયના સંસ્થાપકો દ્વારા બને એટલા પ્રયત્નો થયા.
સરકારની દોરવણી મુજબ પહેલાં પુસ્તક આપલે વિભાગ શરૂ કરાયો અને ત્યાર બાદ વાંચનખંડની ખુલ્લો રાખવાની મંજૂરી મળતા ઉચ્ચ અભ્યાસ માટે આવતા વિધાર્થીઓ માટે આ પુસ્તકાલયમાં ભવ્ય નવો વાંચનખંડ જે માર્ચ -2020માં જ તૈયાર થઈ ગયો હતો તે ખુલ્લો મુકાયો.
ભરુચની ભવ્યતાની યશ કલગીમાં આ પુસ્તકાલય તો પહેલેથી જ સ્થાન પામેલું જ હતું એમાં નવું પીછું ઉમેરાયું
સંપૂર્ણ વાતાનુકૂલિત આ વાંચનખંડ સુવિધાસંપન્ન છે. જેમાં સામાજિક અંતર જળવાય એ મુજબની 135 લોકો બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથે સાથે સુરક્ષા સંદર્ભે પણ એટલી જ કાળજી લેવામાં આવી છે. આ વાંચનખંડ શરૂ કરવાથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનારા વિધાર્થીઓ ખૂબ જ ખુશ છે અને તેઓ આવી ઉત્તમ સુવિધા પૂરી પાડવા બદલ કે જે ચોક્સી ચેરીટેબલ ટ્રસ્ટનો આભાર માને છે કે જેના સાન્નિધ્યમાં ધબકતું આ પુસ્તકાલયમાં વાંચન કરી સફળતાના શિખરો સર કરવામાં વિધાર્થીઓને શાંત વાતાવરણ મળી રહ્યું છે.
પુસ્તકાલય વર્ષ 2008થી ભરૂચની જનતા માટે ખુલ્લુ મુકાયું હતું જે સમસ્ત ભરુચનું પ્રિય બની ગયું છે.
આ પુસ્તકાલયમાં કુલ 4 ભાષાના 45000 થી વધુ પુસ્તકો ઉપલબ્ધ છે જેમાં ગુજરાતી, હિન્દી , મરાઠી અને અંગ્રેજી ભાષાના પુસ્તકો સામેલ છે. ગ્રંથપાલ નરેન સોનારે જણાવ્યું હતું કે , રોજ લાઇબ્રેરીમાં 2 વખત ખાસ સેનેટાઇઝ કરવામાં આવે છે. આગામી સમયમાં આ પુસ્તકાલયમાં કેન્ટીનની વ્યવસ્થા પણ ઉભી કરાશે જેથી કરી વિદ્યાર્થીઓ અને વાંચકો વાંચન સાથે નાસ્તો તેમજ ચાની ચૂસકી પણ માણી શકે.