ગોવા જેવી મજા મા'ણો હવે ગુજરાતમાં, શરૂ થઇ રહી છે આ સુવિધા ટૂંક સમયમાં PM ના હસ્તે
કેવડીયાથી સ્ટેચ્યુ સુધી 6 KM ક્રુઝમાં શાનદાર સફર માણી શકાશે
વિશ્વની 182 મીટર ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓને આકર્ષવા એક બાદ એક આકર્ષણો ઉભા કરી વિશ્વકક્ષાના પ્રવાસનધામ વિકસાવવા કામગીરી કરાઈ રહી છે.
હવે SOU ખાતે ગોવા જેવી લોકોને મજા કરાવવા ક્રૂઝની સફર ટૂંક સમયમાં શરૂ થવા જઇ રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા પ્રવાસીઓ હવે ક્રુઝ બોટની પણ મજા માણી શકશે. પીએમ નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે ક્રુઝ બોટ સેવાની શરૂઆત કરાવશે.
પ્રવાસીઓ કેવડિયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 6 કિલોમીટર ક્રુઝમાં સફર કરી શકશે. ક્રુઝમાં હશે તમામ સુવિધાઓ. આ ક્રુઝમાં 200 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે હાલ કોરોનાના કારણે 100 લોકોને જ ક્રુઝમાં પ્રવેશવાની મંજૂરી અપાશે. આ ક્રુઝ બોટમાં પ્રવાસીઓ માટે જમવાની અને નાસ્તાની પણ વ્યવસ્થા છે. અને ક્રુઝ બોટની ટિકિટ લગભગ 430 રૂપિયા હાલ નક્કી કરવામાં આવી છે. અમદાવાદ સાબરમતી થી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબર એકતા દિવસ સરદાર પટેલ જ્યંતીએ સી પ્લેનમાં કેવડિયા આવી સી પ્લેનનું ઉદ્ઘાટન કરવા સાથે રાષ્ટ્રીય એકતા દિવસનો ઉજવણી SOU ખાતે કરવાના છે જ્યાં તેઓ દ્વારા ક્રૂઝ નું પણ લોકાર્પણ કરવામાં આવશે.
1 વર્ષમાં 40 લાખ કરતા વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત
નર્મદા જિલ્લામાં આવેલ દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી જે દેશ અને દુનિયામાં પ્રચલિત થઈ છે જેને જોવા 1 વર્ષમાં 40 લાખ કરતા વધુ પ્રવાસીઓ આવી ચૂક્યા છે, અને સરકાર દ્વારા પણ અહીં આવતા પ્રવાસીઓ માટે અનેક આકર્ષણ ઉભા કરવામાં આવ્યા છે, જેમાં આજે પ્રવાસીઓ માટે એક વધુ આકર્ષણ ઉભુ કરવામાં આવી રહ્યું છે.
ક્રુઝ બોટને ગરુડેશ્વરથી 6 કિમીના અંતરમાં ચલાવાશે
ક્રુઝ બોટને ગરુડેશ્વરથી 6 કિમીના અંતરમાં ચલાવવામાં આવશે, જેમાં રાત્રી દરમ્યાન સ્ટેજ પર આદિવાસી ડાન્સ, સાથે ગીત સંગીત પણ હશે, જેથી બોટમાં બેસેલા પ્રવાસીઓને આનંદ તેમજ મનોરંજન મળી રહે.
કેવી હશે ક્રુઝમાં સુવિધા
- 200 પ્રવાસીઓ બેસી શકે એવી વ્યવસ્થા
- ક્રુઝ બોટ 6 કિલોમીટર ફેરવવામાં આવશે
- ગરુડેશ્વરથી SOU સુધી પ્રવાસીઓ માટે 4 કલાકનો ફેરો
- સ્ટેજ પર આદિવાસી ડાન્સ સાથે ગીત સંગીત દ્વારા મનોરંજન
- ક્રુઝનું ભાડું 430 રૂપિયા રાખવામાં આવશે
- જમવાનું અને નાસ્તાની સુવિધા પણ રહશે
દશેરા પેહલા ખુલશે સ્ટેચ્યુ, રોજના 2500 લોકો મુલાકાત લઈ શકશે
નર્મદા નિગમના એમ.ડી. ડો. રાજીવ ગુપ્તા એ સ્ટેચ્યુ ઓફ યુનિટી ને 7 મહિના બાદ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવાના સંકેત આપ્યા છે. દશેરા પેહલા નવરાત્રીમાં SOU લોકો માટે ખુલી જશે. રોજ માત્ર 2500 પ્રવાસીઓને અપાશે પ્રવેશ. જે પૈકી 500 પ્રવાસીને જ વ્યૂઈંગ ગેલેરીમાં પ્રવેશ અપાશે. ઓનલાઈન ટિકિટથી જ મળશે પ્રવેશ. બે કલાકના સ્લોટમાં ઓનલાઈન ટિકિટ વેંચાશે. જે બે કલાકના સ્લોટની ટિકિટ હશે તેમાં જ પ્રવેશ મળશે. કેવડીયા ખાતેની ટિકિટબારીથી ટિકિટ નહીં મળે.
ગોવા જેવી મજા મા'ણો હવે ગુજરાતમાં, શરૂ થઇ રહી છે આ સુવિધા ટૂંક સમયમાં PM ના હસ્તે
કેવડીયાથી સ્ટેચ્યુ સુધી 6 KM ક્રુઝમાં શાનદાર સફર માણી શકાશે
વિશ્વની 182 મીટર ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓને આકર્ષવા એક બાદ એક આકર્ષણો ઉભા કરી વિશ્વકક્ષાના પ્રવાસનધામ વિકસાવવા કામગીરી કરાઈ રહી છે.
હવે SOU ખાતે ગોવા જેવી લોકોને મજા કરાવવા ક્રૂઝની સફર ટૂંક સમયમાં શરૂ થવા જઇ રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા પ્રવાસીઓ હવે ક્રુઝ બોટની પણ મજા માણી શકશે. પીએમ નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે ક્રુઝ બોટ સેવાની શરૂઆત કરાવશે.
પ્રવાસીઓ કેવડિયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 6 કિલોમીટર ક્રુઝમાં સફર કરી શકશે. ક્રુઝમાં હશે તમામ સુવિધાઓ. આ ક્રુઝમાં 200 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે હાલ કોરોનાના કારણે 100 લોકોને જ ક્રુઝમાં પ્રવેશવાની મંજૂરી અપાશે. આ ક્રુઝ બોટમાં પ્રવાસીઓ માટે જમવાની અને નાસ્તાની પણ વ્યવસ્થા છે. અને ક્રુઝ બોટની ટિકિટ લગભગ 430 રૂપિયા હાલ નક્કી કરવામાં આવી છે. અમદાવાદ સાબરમતી થી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબર એકતા દિવસ સરદાર પટેલ જ્યંતીએ સી પ્લેનમાં કેવડિયા આવી સી પ્લેનનું ઉદ્ઘાટન કરવા સાથે રાષ્ટ્રીય એકતા દિવસનો ઉજવણી SOU ખાતે કરવાના છે જ્યાં તેઓ દ્વારા ક્રૂઝ નું પણ લોકાર્પણ કરવામાં આવશે.
1 વર્ષમાં 40 લાખ કરતા વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત
નર્મદા જિલ્લામાં આવેલ દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી જે દેશ અને દુનિયામાં પ્રચલિત થઈ છે જેને જોવા 1 વર્ષમાં 40 લાખ કરતા વધુ પ્રવાસીઓ આવી ચૂક્યા છે, અને સરકાર દ્વારા પણ અહીં આવતા પ્રવાસીઓ માટે અનેક આકર્ષણ ઉભા કરવામાં આવ્યા છે, જેમાં આજે પ્રવાસીઓ માટે એક વધુ આકર્ષણ ઉભુ કરવામાં આવી રહ્યું છે.
ક્રુઝ બોટને ગરુડેશ્વરથી 6 કિમીના અંતરમાં ચલાવાશે
ક્રુઝ બોટને ગરુડેશ્વરથી 6 કિમીના અંતરમાં ચલાવવામાં આવશે, જેમાં રાત્રી દરમ્યાન સ્ટેજ પર આદિવાસી ડાન્સ, સાથે ગીત સંગીત પણ હશે, જેથી બોટમાં બેસેલા પ્રવાસીઓને આનંદ તેમજ મનોરંજન મળી રહે.
કેવી હશે ક્રુઝમાં સુવિધા
- 200 પ્રવાસીઓ બેસી શકે એવી વ્યવસ્થા
- ક્રુઝ બોટ 6 કિલોમીટર ફેરવવામાં આવશે
- ગરુડેશ્વરથી SOU સુધી પ્રવાસીઓ માટે 4 કલાકનો ફેરો
- સ્ટેજ પર આદિવાસી ડાન્સ સાથે ગીત સંગીત દ્વારા મનોરંજન
- ક્રુઝનું ભાડું 430 રૂપિયા રાખવામાં આવશે
- જમવાનું અને નાસ્તાની સુવિધા પણ રહશે
દશેરા પેહલા ખુલશે સ્ટેચ્યુ, રોજના 2500 લોકો મુલાકાત લઈ શકશે
નર્મદા નિગમના એમ.ડી. ડો. રાજીવ ગુપ્તા એ સ્ટેચ્યુ ઓફ યુનિટી ને 7 મહિના બાદ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવાના સંકેત આપ્યા છે. દશેરા પેહલા નવરાત્રીમાં SOU લોકો માટે ખુલી જશે. રોજ માત્ર 2500 પ્રવાસીઓને અપાશે પ્રવેશ. જે પૈકી 500 પ્રવાસીને જ વ્યૂઈંગ ગેલેરીમાં પ્રવેશ અપાશે. ઓનલાઈન ટિકિટથી જ મળશે પ્રવેશ. બે કલાકના સ્લોટમાં ઓનલાઈન ટિકિટ વેંચાશે. જે બે કલાકના સ્લોટની ટિકિટ હશે તેમાં જ પ્રવેશ મળશે. કેવડીયા ખાતેની ટિકિટબારીથી ટિકિટ નહીં મળે.