ભરૂચ જિલ્લાના 3.35 લાખ ઘરો નલ સે જલ માં આવરી લેવાયા, હવે 36000 જ બાકી
વલિયામાં ₹387 કરોડની પાણી પુરવઠાની 6 યોજનાનું ભૂમિપૂજન, 3.50 લાખ લોકોને મળશે પાણી
WatchGujarat. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકા ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ₹387 કરોડની પાણી પુરવઠાની 6 યોજનાઓનું ભૂમિપૂજન કરાયું હતું. ગુજરાતને પાણીદાર બનાવી 2022 સુધીમાં નલ સે જલ હેઠળ તમાંમ ઘરને આવરી લેવાનો લક્ષ્યાંક વ્યક્ત કરાયો હતો.
વાલિયા સીતારામ ટ્રસ્ટ નરસિંગ કોલેજ કમ્પાઉન્ડ માં શનિવારે ભરૂચ જિલ્લાના 3.50 લાખ લોકોને આવરી લેતી પાણી પુરવઠાની ₹387 કરોડની વિવિધ 6 યોજનાઓનું મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ભૂમિપૂજન કર્યું હતું.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે , વર્ષ 2022 સુધીમાં ગુજરાતને પાણીદાર બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. નલ સે જલ હેઠળની યોજનામાં ભરૂચ જિલ્લાના 3.71 લાખ ઘરો પેકી 3.35 લાખ ઘરને આવરી લેવાયા છે. હવે બાકીના 36000 ઘરોને પણ સમાવી લેવાશે.
ગુજરાતને પાણીદાર બનાવવાની દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે, પાણી, પર્યાવરણ અને પ્રકાશ સાથે જ વિકાસ શક્ય છે. ભરૂચ જિલ્લામાં દહેજમાં ડિસેલીનેશન પ્લાન અને ભાડભૂત બેરેજ યોજના થકી ખારા પાણી ની લોકો તેમજ ઉદ્યોગોની સમસ્યાનો કાયમી ઉકેલ લવાશે.
મુખ્યમંત્રી દ્વારા શનિવારે ભૂમિપૂજન કરાયેલી પાણી પુરવઠાની 6 યોજના થકી જિલ્લાના 3.50 લાખ લોકો, 158 ગામ, 4 શહેર, 93 ફળિયાને આવરી લેવાતા શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ થશે.
More #CM #Vijaybhai Rupani #Water #2022 #Gujarat #Watchgujarat
ભરૂચ જિલ્લાના 3.35 લાખ ઘરો નલ સે જલ માં આવરી લેવાયા, હવે 36000 જ બાકી
વલિયામાં ₹387 કરોડની પાણી પુરવઠાની 6 યોજનાનું ભૂમિપૂજન, 3.50 લાખ લોકોને મળશે પાણી
WatchGujarat. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકા ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ₹387 કરોડની પાણી પુરવઠાની 6 યોજનાઓનું ભૂમિપૂજન કરાયું હતું. ગુજરાતને પાણીદાર બનાવી 2022 સુધીમાં નલ સે જલ હેઠળ તમાંમ ઘરને આવરી લેવાનો લક્ષ્યાંક વ્યક્ત કરાયો હતો.
વાલિયા સીતારામ ટ્રસ્ટ નરસિંગ કોલેજ કમ્પાઉન્ડ માં શનિવારે ભરૂચ જિલ્લાના 3.50 લાખ લોકોને આવરી લેતી પાણી પુરવઠાની ₹387 કરોડની વિવિધ 6 યોજનાઓનું મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ભૂમિપૂજન કર્યું હતું.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે , વર્ષ 2022 સુધીમાં ગુજરાતને પાણીદાર બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. નલ સે જલ હેઠળની યોજનામાં ભરૂચ જિલ્લાના 3.71 લાખ ઘરો પેકી 3.35 લાખ ઘરને આવરી લેવાયા છે. હવે બાકીના 36000 ઘરોને પણ સમાવી લેવાશે.
ગુજરાતને પાણીદાર બનાવવાની દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે, પાણી, પર્યાવરણ અને પ્રકાશ સાથે જ વિકાસ શક્ય છે. ભરૂચ જિલ્લામાં દહેજમાં ડિસેલીનેશન પ્લાન અને ભાડભૂત બેરેજ યોજના થકી ખારા પાણી ની લોકો તેમજ ઉદ્યોગોની સમસ્યાનો કાયમી ઉકેલ લવાશે.
મુખ્યમંત્રી દ્વારા શનિવારે ભૂમિપૂજન કરાયેલી પાણી પુરવઠાની 6 યોજના થકી જિલ્લાના 3.50 લાખ લોકો, 158 ગામ, 4 શહેર, 93 ફળિયાને આવરી લેવાતા શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ થશે.
More #CM #Vijaybhai Rupani #Water #2022 #Gujarat #Watchgujarat