અહેમદ પટેલની ગણતરી કોંગ્રેસના શક્તિશાળી નેતાઓમાં થતી હતી
1977માં જ્યારે તેઓ માત્ર 28 વર્ષના હતા ત્યારે ઈન્દિરા ગાંધીએ તેમને ભરૂચથી ચૂંટણી લડાવી
મોડી રાત સુધી કામ કરવું અહેમદ પટેલની આદત હતી
WatchGujarat. કોંગ્રેસ નેતા અને રાજ્યસભા સંસદ અહેમદ પટેલનું 71 વર્ષની ઉંમરે બુધવારે નિધન થયું છે. અહેમદ પટેલ કોંગ્રેસના સંકટમોચક હતા. તેઓ સોનિયા ગાંધીના સૌથી અંગત સલાહકારોમાં સામેલ હતા. અહેમદ પટેલની ગણતરી કોંગ્રેસના શક્તિશાળી નેતાઓમાં થતી હતી, પણ તેઓ ક્યારેય સરકારનો હિસ્સો ન હતા રહ્યા. ગાંધી પરિવાર સાથે પટેલનો સંબંધ ઈન્દિરાના જમાનાથી હતો. 1977માં જ્યારે તેઓ માત્ર 28 વર્ષના હતા ત્યારે ઈન્દિરા ગાંધીએ તેમને ભરૂચથી ચૂંટણી લડાવી હતી.
રાજીવ ગાંધીના સમયમાં અહેમદ પટેલનું મહત્વ રાષ્ટ્રીય કક્ષાએ વધ્યું
કોંગ્રેસમાં અહેમદ પટેલનું રાષ્ટ્રીય કક્ષાએ કદ 1980 અને 1984ના સમયે વધ્યું હતું. ઈન્દિરા ગાંધીના પછી જવાબદારી સંભાળવા માટે રાજીવ ગાંધીને તૈયાર કરવામાં આવી રહ્યા હતા. ત્યારે અહેમદ પટેલ રાજીવ ગાંધીના નજીક આવ્યા. ઈન્દિરા ગાંધીની હત્યા પછી રાજીવ ગાંધી 1984માં લોકસભાની 400 બેઠકની બહુમતી સાથે સત્તામાં આવ્યા હતા. ત્યારે અહેમદ પટેલને કોંગ્રેસ સાંસદ હોવાની સાથે પાર્ટીના સંયુક્ત સચિવ બનાવાયા હતા. તેમણે થોડાક સમય માટે સંસદીય સચિવ અને પછી કોંગ્રેસ મહાસચિવ પણ બનાવવામાં આવ્યા હતા.
અહેમદ પટેલ સ્ટ્રેટેજિક કામ કરતા હતા
જાણકારોના મતે, મોડી રાત સુધી કામ કરવું અને કોઈપણ કોંગ્રેસી કાર્યકર્તાને કોઈ પણ સમયે ફોન પર કોઈપણ કામ સોંપી દેવું એ પટેલની આદત હતી. કહેવામાં આવે છે કે તેઓ એક મોબાઈલ ફોન હંમેશાં ફ્રી રાખતા હતા, જેની પર માત્ર 10 જનપથથી જ ફોન આવતા હતા. તેઓ એકદમ સ્ટ્રેટેજિક રીતે કામ કરતા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પડકારોનો સામનો કરવા માટે પણ નિવેદનબાજી કરવાની જગ્યાએ સ્ટ્રેટેજીથી કામ કરવાની વાત કહેતા હતા.
અહેમદ પટેલની ગણતરી કોંગ્રેસના શક્તિશાળી નેતાઓમાં થતી હતી
1977માં જ્યારે તેઓ માત્ર 28 વર્ષના હતા ત્યારે ઈન્દિરા ગાંધીએ તેમને ભરૂચથી ચૂંટણી લડાવી
મોડી રાત સુધી કામ કરવું અહેમદ પટેલની આદત હતી
WatchGujarat. કોંગ્રેસ નેતા અને રાજ્યસભા સંસદ અહેમદ પટેલનું 71 વર્ષની ઉંમરે બુધવારે નિધન થયું છે. અહેમદ પટેલ કોંગ્રેસના સંકટમોચક હતા. તેઓ સોનિયા ગાંધીના સૌથી અંગત સલાહકારોમાં સામેલ હતા. અહેમદ પટેલની ગણતરી કોંગ્રેસના શક્તિશાળી નેતાઓમાં થતી હતી, પણ તેઓ ક્યારેય સરકારનો હિસ્સો ન હતા રહ્યા. ગાંધી પરિવાર સાથે પટેલનો સંબંધ ઈન્દિરાના જમાનાથી હતો. 1977માં જ્યારે તેઓ માત્ર 28 વર્ષના હતા ત્યારે ઈન્દિરા ગાંધીએ તેમને ભરૂચથી ચૂંટણી લડાવી હતી.
રાજીવ ગાંધીના સમયમાં અહેમદ પટેલનું મહત્વ રાષ્ટ્રીય કક્ષાએ વધ્યું
કોંગ્રેસમાં અહેમદ પટેલનું રાષ્ટ્રીય કક્ષાએ કદ 1980 અને 1984ના સમયે વધ્યું હતું. ઈન્દિરા ગાંધીના પછી જવાબદારી સંભાળવા માટે રાજીવ ગાંધીને તૈયાર કરવામાં આવી રહ્યા હતા. ત્યારે અહેમદ પટેલ રાજીવ ગાંધીના નજીક આવ્યા. ઈન્દિરા ગાંધીની હત્યા પછી રાજીવ ગાંધી 1984માં લોકસભાની 400 બેઠકની બહુમતી સાથે સત્તામાં આવ્યા હતા. ત્યારે અહેમદ પટેલને કોંગ્રેસ સાંસદ હોવાની સાથે પાર્ટીના સંયુક્ત સચિવ બનાવાયા હતા. તેમણે થોડાક સમય માટે સંસદીય સચિવ અને પછી કોંગ્રેસ મહાસચિવ પણ બનાવવામાં આવ્યા હતા.
અહેમદ પટેલ સ્ટ્રેટેજિક કામ કરતા હતા
જાણકારોના મતે, મોડી રાત સુધી કામ કરવું અને કોઈપણ કોંગ્રેસી કાર્યકર્તાને કોઈ પણ સમયે ફોન પર કોઈપણ કામ સોંપી દેવું એ પટેલની આદત હતી. કહેવામાં આવે છે કે તેઓ એક મોબાઈલ ફોન હંમેશાં ફ્રી રાખતા હતા, જેની પર માત્ર 10 જનપથથી જ ફોન આવતા હતા. તેઓ એકદમ સ્ટ્રેટેજિક રીતે કામ કરતા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પડકારોનો સામનો કરવા માટે પણ નિવેદનબાજી કરવાની જગ્યાએ સ્ટ્રેટેજીથી કામ કરવાની વાત કહેતા હતા.