WatchGujarat. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના નિધનને પગલે તેમનો પરિચય ધરાવતા લોકો તેમના સંસ્મરણો વાગોળી રહ્યા છે. પાંચ વર્ષ પહેલા મુશ્કેલીમાં મુકાયેલા નરેન્દ્ર મોદી પરિવારને અહેમદ પટેલે મદદ કરી હતી.
અંકલેશ્વરમાં રહેતા નરેન્દ્ર મોદી શેરબજાર સાથે સંકળાયેલા છે. પાંચ વર્ષ પૂર્વે તેમનો દીકરો ઘરેથી ગુમ થઈ ગયો હતો. તેની સતત બે મહિના સુધી શોધખોળ કરી હતી. છતાં પુત્રનો કોઈ પત્તો નહીં લાગતાં નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતે સાંસદ અહેમદ પટેલનો મદદ માટે સંપર્ક કર્યો હતો. સાંસદ અહેમદ પટેલે દિલ્હીમાં વિવિધ એજન્સીઓનો સંપર્ક કરી મોદી પરિવારના પુત્રને શોધવા માટે કામે લગાવી હતી. આખરે મોદી પરિવારનો પુત્ર દિલ્હી ખાતેથી ટેક્નિકલ સર્વેલન્સથી તપાસ કરતાં મળી આવ્યો હતો અને આખરે પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
અહેમદ પટેલને જાણ કાર્યના 24 કલાકમાં જ મારા દીકરાને શોધી આપ્યો હતો
અંકલેશ્વરના શેરબ્રોકર નરેન્દ્ર મોદીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મારો દીકરો રાજકોટ કોલેજથી બારોબાર દિલ્હી જતો રહ્યો હતો. જેથી અમે તુરંત જ દિલ્હી પહોંચી ગયા હતા. જ્યાં અહેમદ પટેલે અમને ખુબ જ સપોર્ટ કર્યો હતો અને એસીપી ક્રાઇમને તપાસ સોંપીને 24 કલાકમાં જ મારા દીકરાને શોધી આપ્યો હતો અને પોતાના ખર્ચે તેઓએ રાજધાનની ટિકિટ બુક કરાવીને અમને ઘરે મોકલ્યા હતા. હું ભગવાનને પ્રાર્થના કરૂં છું કે, ભગવાન તેમના આત્માને શાંતિ આપે.
WatchGujarat. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના નિધનને પગલે તેમનો પરિચય ધરાવતા લોકો તેમના સંસ્મરણો વાગોળી રહ્યા છે. પાંચ વર્ષ પહેલા મુશ્કેલીમાં મુકાયેલા નરેન્દ્ર મોદી પરિવારને અહેમદ પટેલે મદદ કરી હતી.
અંકલેશ્વરમાં રહેતા નરેન્દ્ર મોદી શેરબજાર સાથે સંકળાયેલા છે. પાંચ વર્ષ પૂર્વે તેમનો દીકરો ઘરેથી ગુમ થઈ ગયો હતો. તેની સતત બે મહિના સુધી શોધખોળ કરી હતી. છતાં પુત્રનો કોઈ પત્તો નહીં લાગતાં નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતે સાંસદ અહેમદ પટેલનો મદદ માટે સંપર્ક કર્યો હતો. સાંસદ અહેમદ પટેલે દિલ્હીમાં વિવિધ એજન્સીઓનો સંપર્ક કરી મોદી પરિવારના પુત્રને શોધવા માટે કામે લગાવી હતી. આખરે મોદી પરિવારનો પુત્ર દિલ્હી ખાતેથી ટેક્નિકલ સર્વેલન્સથી તપાસ કરતાં મળી આવ્યો હતો અને આખરે પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
અહેમદ પટેલને જાણ કાર્યના 24 કલાકમાં જ મારા દીકરાને શોધી આપ્યો હતો
અંકલેશ્વરના શેરબ્રોકર નરેન્દ્ર મોદીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મારો દીકરો રાજકોટ કોલેજથી બારોબાર દિલ્હી જતો રહ્યો હતો. જેથી અમે તુરંત જ દિલ્હી પહોંચી ગયા હતા. જ્યાં અહેમદ પટેલે અમને ખુબ જ સપોર્ટ કર્યો હતો અને એસીપી ક્રાઇમને તપાસ સોંપીને 24 કલાકમાં જ મારા દીકરાને શોધી આપ્યો હતો અને પોતાના ખર્ચે તેઓએ રાજધાનની ટિકિટ બુક કરાવીને અમને ઘરે મોકલ્યા હતા. હું ભગવાનને પ્રાર્થના કરૂં છું કે, ભગવાન તેમના આત્માને શાંતિ આપે.