ETP પ્લાન્ટમાં કેમિકલ અનબેલેન્સ થતા ભભૂકેલી આગ પર 3 ફાયર ફાઈટરોએ કાબુ મેળવ્યો, કોઈ જાનહાની નહિ
ભરૂચ ઔદ્યોગિક વસાહતોમાં વધતા જતા આગના ચિંતાજનક બનાવો
WatchGujarat. ઝઘડિયા જીઆઈડીસીની એશિયાટિક ફાર્મા કેમ માં આજે વહેલી સવારે કંપનીના ઈટીપી પ્લાન્ટમાં કેમિકલ અનબેલેન્સ થવાના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગવાની ઘટનામાં કંપનીને મોટું નુકસાન થયું છે, પરંતુ કોઇ જાનહાની નહી થતા કંપનીના સંચાલકોએ હાશકારો અનુભવ્યો હતો. ફાયર ફાઈટરોએ સમયસર આગ પર કાબુ ન મેળવ્યો હોત તો બાજુમાં આવેલી કંપનીનો પ્લાન્ટ ચપેટમાં આવતા મોટી દુર્ઘટના સર્જાઈ શક્ત.
ઝઘડિયા જીઆઇડીસીના પ્લોટ નંબર 37 માં આવેલ એશિયાટિક ફાર્મા કેમ એક કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે. કંપનીમાં આજે વહેલી સવારે અચાનક પ્લાન્ટમાં આગ લાગી હોવાની ઘટના બની હતી. એકદમ તીવ્રતાથી આગ લાગતા કંપનીના પ્લાન્ટમાં દોડધામ મચી ગઇ હતી. કંપનીના ઈટીપી પ્લાન્ટમાં આગ લાગવાની ઘટના કારણે ઝઘડિયા જીઆઇડીસીના ત્રણથી વધુ ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
પ્રાથમિક વિગતો મુજબ એશિયાટિક ફાર્મા કંપનીના ઈટીપી પ્લાન્ટમાં કેમિકલ અનબેલેન્સ થવાના કારણે ભયંકર આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. ઝઘડિયા જીઆઇડીસીના ફાયર ટેન્ડરો સમયસર પહોંચી જતા ગણતરીના કલાકોમાં જ આગ પર સંપૂર્ણ રીતે કાબુ મેળવી લેવાયો હતો. આગ લાગવાની ઘટના કારણે કંપનીમાં મોટું નુકશાન થયાનો અંદાજ છે પરંતુ કોઇ જાનહાની ન થવાના કારણે કંપનીના સંચાલકોએ હાશકારો અનુભવ્યો હતો.
ઝઘડિયા જીઆઈડીસી વર્તુળોમાંથી જાણવા મળતી માહિતી પ્રમાણે એશિયાટિક ફાર્મા કેમ ના ઈટીપી પ્લાન્ટમાં લાગેલી આગ જો સમયસર કાબૂમાં ન લેવામાં આવી હોત તો આગ લાગવાની ઘટનાની બિલકુલ નજીકમાં અન્ય કંપનીનો એક કેમિકલનો પ્લાન્ટ હતો ત્યાં આગ વધુ પ્રસરતે તો બાજુની કંપનીના પ્લાન્ટમાં આગ ફેલાઇ હોત તો અકલ્પનીય ઘટના આજરોજ ઝઘડીયા જીઆઈડીસીમાં બની હોત તેવું ચર્ચાઈ રહ્યું હતું. ઝઘડિયા જીઆઇડીસી માં અવારનવાર જીવલેણ ઘટનાઓ બનતી રહે છે.
https://youtu.be/smeKjFmBqA8
અગાઉ પણ ઝઘડિયા જીઆઈડીસીની શ્રીરામ અલી એન્ડ કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થવાના પગલે 7 જેટલા કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા ત્યારબાદ પણ ઝઘડિયા જીઆઇડીસીના કંપની સંચાલકો સાથે સાથે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી વિભાગ પણ સતર્કતા રાખવામાં બેદરકારી દાખવવા બદલ નિષ્ફળ નિવડયું છે તેમ ચર્ચાઈ રહ્યુ છે. ઔદ્યોગિક ભરૂચ જિલ્લામાં દિવાળી પેહલા અને પછીના સમયગાળામાં દહેજ, અંકલેશ્વર, પાનોલી તેમજ ઝઘડિયા વસાહતોમાં આગજનીની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો હતો.
ETP પ્લાન્ટમાં કેમિકલ અનબેલેન્સ થતા ભભૂકેલી આગ પર 3 ફાયર ફાઈટરોએ કાબુ મેળવ્યો, કોઈ જાનહાની નહિ
ભરૂચ ઔદ્યોગિક વસાહતોમાં વધતા જતા આગના ચિંતાજનક બનાવો
WatchGujarat. ઝઘડિયા જીઆઈડીસીની એશિયાટિક ફાર્મા કેમ માં આજે વહેલી સવારે કંપનીના ઈટીપી પ્લાન્ટમાં કેમિકલ અનબેલેન્સ થવાના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગવાની ઘટનામાં કંપનીને મોટું નુકસાન થયું છે, પરંતુ કોઇ જાનહાની નહી થતા કંપનીના સંચાલકોએ હાશકારો અનુભવ્યો હતો. ફાયર ફાઈટરોએ સમયસર આગ પર કાબુ ન મેળવ્યો હોત તો બાજુમાં આવેલી કંપનીનો પ્લાન્ટ ચપેટમાં આવતા મોટી દુર્ઘટના સર્જાઈ શક્ત.
ઝઘડિયા જીઆઇડીસીના પ્લોટ નંબર 37 માં આવેલ એશિયાટિક ફાર્મા કેમ એક કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે. કંપનીમાં આજે વહેલી સવારે અચાનક પ્લાન્ટમાં આગ લાગી હોવાની ઘટના બની હતી. એકદમ તીવ્રતાથી આગ લાગતા કંપનીના પ્લાન્ટમાં દોડધામ મચી ગઇ હતી. કંપનીના ઈટીપી પ્લાન્ટમાં આગ લાગવાની ઘટના કારણે ઝઘડિયા જીઆઇડીસીના ત્રણથી વધુ ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
પ્રાથમિક વિગતો મુજબ એશિયાટિક ફાર્મા કંપનીના ઈટીપી પ્લાન્ટમાં કેમિકલ અનબેલેન્સ થવાના કારણે ભયંકર આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. ઝઘડિયા જીઆઇડીસીના ફાયર ટેન્ડરો સમયસર પહોંચી જતા ગણતરીના કલાકોમાં જ આગ પર સંપૂર્ણ રીતે કાબુ મેળવી લેવાયો હતો. આગ લાગવાની ઘટના કારણે કંપનીમાં મોટું નુકશાન થયાનો અંદાજ છે પરંતુ કોઇ જાનહાની ન થવાના કારણે કંપનીના સંચાલકોએ હાશકારો અનુભવ્યો હતો.
ઝઘડિયા જીઆઈડીસી વર્તુળોમાંથી જાણવા મળતી માહિતી પ્રમાણે એશિયાટિક ફાર્મા કેમ ના ઈટીપી પ્લાન્ટમાં લાગેલી આગ જો સમયસર કાબૂમાં ન લેવામાં આવી હોત તો આગ લાગવાની ઘટનાની બિલકુલ નજીકમાં અન્ય કંપનીનો એક કેમિકલનો પ્લાન્ટ હતો ત્યાં આગ વધુ પ્રસરતે તો બાજુની કંપનીના પ્લાન્ટમાં આગ ફેલાઇ હોત તો અકલ્પનીય ઘટના આજરોજ ઝઘડીયા જીઆઈડીસીમાં બની હોત તેવું ચર્ચાઈ રહ્યું હતું. ઝઘડિયા જીઆઇડીસી માં અવારનવાર જીવલેણ ઘટનાઓ બનતી રહે છે.
અગાઉ પણ ઝઘડિયા જીઆઈડીસીની શ્રીરામ અલી એન્ડ કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થવાના પગલે 7 જેટલા કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા ત્યારબાદ પણ ઝઘડિયા જીઆઇડીસીના કંપની સંચાલકો સાથે સાથે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી વિભાગ પણ સતર્કતા રાખવામાં બેદરકારી દાખવવા બદલ નિષ્ફળ નિવડયું છે તેમ ચર્ચાઈ રહ્યુ છે. ઔદ્યોગિક ભરૂચ જિલ્લામાં દિવાળી પેહલા અને પછીના સમયગાળામાં દહેજ, અંકલેશ્વર, પાનોલી તેમજ ઝઘડિયા વસાહતોમાં આગજનીની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો હતો.