હજી પણ મન માનતું નથી કે અહેમદ ભાઈ આપણી વચ્ચે નથી - અર્જુન મોઢવાડીયા
ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે અહેમદ પટેલનો સેવાકીય ભાવ અને સામાજિક અભિગમ યાદ કરી તેઓને અંજલી આપી
WatchGujarat. ભરૂચ રોટરી હોલમાં મરહુમ સાંસદ અહેમદ પટેલને શ્રદ્ધાસુમન પાઠવવા આયોજિત કાર્યક્રમમાં પ્રેદશના કોંગી આગેવાનો અને જિલ્લાના ભાજપના આગેવાનોએ શબ્દાંજલિ પાઠવી હતી. #મરહુમ અહેમદ પટેલ
અર્જુન મોઢવાડીયા એ અહેમદ પટેલને શ્રદ્ધાસુમન આપતા કહ્યું હતું કે, હજી પણ મન માનતું નથી કે અહેમદ ભાઈ આપણી વચ્ચે નથી. હમણાં જ ક્યાંકથી આપણા નામનો સાદ પાડશે તેવા સતત ભણકારા થયા કરે છે. ભાગ્યેજ મળે એવું વ્યક્તિત્વ દેશ, ગુજરાત અને ભરૂચને મળ્યું હતું. નાના માંથી મોટા તો અનેક લોકો થયા પણ વડાપ્રધાન જેટલી જ સહજતાથી નાનામાં નાના વ્યક્તિ જોડે વાત કરવી તેવો ભાવ અને પ્રેમ, અહેમદ પટેલ જેવું વ્યક્તિત્વ જીવનમાં આપણ ને ભાગ્યે જ મળશે. #મરહુમ અહેમદ પટેલ
ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે અહેમદ પટેલનો સેવાકીય ભાવ અને સામાજિક અભિગમ યાદ કરી તેઓને અંજલી આપી હતી. છેવાડાના માનવીને મદદરૂપ થવું સહિતના તેઓના અનેક કાર્યો ને અનન્ય ગણાવ્યા હતા. વ્યક્તિ કેટલું જીવ્યો તે મહત્વનું નહીં પણ કેવું જીવ્યો તે અહેમદ પટેલથી પ્રતિસ્થાપિત થતું હોવાનું કહી, તેઓએ પદ-પ્રતિસ્થાને હંમેશા સેવાના ભાવથી મૂલવી હોવાનું ઉમેર્યું હતું. ભરૂચ જિલ્લા માટે તેઓએ કરેલા કાર્યો અને તેમની યાદો ચિરંજીવી રહેશે તેમ કહી પરિવારને સાંત્વના પાઠવી હતી.
તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, મુમતાઝ અને ફેઝલે તો પિતા ગુમાવ્યા છે પરંતુ હું અને મારા જેવા આદિવાસી યુવાનો તો રાજકીય અનાથ થઈ ગયા છે. દક્ષિણ ગુજરાત અને આદિવાસી યુવાનો દિશા શૂન્ય થઈ ગયા છે. જેઓએ એક પિતા તરીકેનું પીઠબળ અને છત્રછાયા ગુમાવી છે.
વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા એ શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે, અહેમદ પટેલ સાહેબ એક એવું વ્યક્તિત્વ હતા કે જે ન ભૂતો કે ભવિષ્યમાં કોઈ થઈ શકે. આપણા ભરૂચ જિલ્લાનું ગૌરવ એવા અહેમદ પટેલનું નામ સમગ્ર રાષ્ટ્ર અને દરેક પક્ષમાં માન સાથે લેવાતું. ગરીબ થી લઈ તમામ વર્ગ અને સમાજને સાથે રાખવાનું કામ તેમણે કર્યું છે. રોટરી હોલ ખાતે ભાજપ-કોંગ્રેસના આગેવાનોએ સ્વ. અહેમદ પટેલને શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફડવાલા સહિતના આગેવાનો તેમની વસમી વિદાયથી હજી પણ શોકમાંથી બહાર આવી શક્યા નથી.
More #મરહુમ #Ahmed Patel #Congress-BJP #prayer-meeting #Political #Harmony #Bharuch #Gujaratinews #WatchGujarat
હજી પણ મન માનતું નથી કે અહેમદ ભાઈ આપણી વચ્ચે નથી - અર્જુન મોઢવાડીયા
ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે અહેમદ પટેલનો સેવાકીય ભાવ અને સામાજિક અભિગમ યાદ કરી તેઓને અંજલી આપી
WatchGujarat. ભરૂચ રોટરી હોલમાં મરહુમ સાંસદ અહેમદ પટેલને શ્રદ્ધાસુમન પાઠવવા આયોજિત કાર્યક્રમમાં પ્રેદશના કોંગી આગેવાનો અને જિલ્લાના ભાજપના આગેવાનોએ શબ્દાંજલિ પાઠવી હતી. #મરહુમ અહેમદ પટેલ
અર્જુન મોઢવાડીયા એ અહેમદ પટેલને શ્રદ્ધાસુમન આપતા કહ્યું હતું કે, હજી પણ મન માનતું નથી કે અહેમદ ભાઈ આપણી વચ્ચે નથી. હમણાં જ ક્યાંકથી આપણા નામનો સાદ પાડશે તેવા સતત ભણકારા થયા કરે છે. ભાગ્યેજ મળે એવું વ્યક્તિત્વ દેશ, ગુજરાત અને ભરૂચને મળ્યું હતું. નાના માંથી મોટા તો અનેક લોકો થયા પણ વડાપ્રધાન જેટલી જ સહજતાથી નાનામાં નાના વ્યક્તિ જોડે વાત કરવી તેવો ભાવ અને પ્રેમ, અહેમદ પટેલ જેવું વ્યક્તિત્વ જીવનમાં આપણ ને ભાગ્યે જ મળશે. #મરહુમ અહેમદ પટેલ
ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે અહેમદ પટેલનો સેવાકીય ભાવ અને સામાજિક અભિગમ યાદ કરી તેઓને અંજલી આપી હતી. છેવાડાના માનવીને મદદરૂપ થવું સહિતના તેઓના અનેક કાર્યો ને અનન્ય ગણાવ્યા હતા. વ્યક્તિ કેટલું જીવ્યો તે મહત્વનું નહીં પણ કેવું જીવ્યો તે અહેમદ પટેલથી પ્રતિસ્થાપિત થતું હોવાનું કહી, તેઓએ પદ-પ્રતિસ્થાને હંમેશા સેવાના ભાવથી મૂલવી હોવાનું ઉમેર્યું હતું. ભરૂચ જિલ્લા માટે તેઓએ કરેલા કાર્યો અને તેમની યાદો ચિરંજીવી રહેશે તેમ કહી પરિવારને સાંત્વના પાઠવી હતી.
તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, મુમતાઝ અને ફેઝલે તો પિતા ગુમાવ્યા છે પરંતુ હું અને મારા જેવા આદિવાસી યુવાનો તો રાજકીય અનાથ થઈ ગયા છે. દક્ષિણ ગુજરાત અને આદિવાસી યુવાનો દિશા શૂન્ય થઈ ગયા છે. જેઓએ એક પિતા તરીકેનું પીઠબળ અને છત્રછાયા ગુમાવી છે.
વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા એ શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે, અહેમદ પટેલ સાહેબ એક એવું વ્યક્તિત્વ હતા કે જે ન ભૂતો કે ભવિષ્યમાં કોઈ થઈ શકે. આપણા ભરૂચ જિલ્લાનું ગૌરવ એવા અહેમદ પટેલનું નામ સમગ્ર રાષ્ટ્ર અને દરેક પક્ષમાં માન સાથે લેવાતું. ગરીબ થી લઈ તમામ વર્ગ અને સમાજને સાથે રાખવાનું કામ તેમણે કર્યું છે. રોટરી હોલ ખાતે ભાજપ-કોંગ્રેસના આગેવાનોએ સ્વ. અહેમદ પટેલને શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફડવાલા સહિતના આગેવાનો તેમની વસમી વિદાયથી હજી પણ શોકમાંથી બહાર આવી શક્યા નથી.