જૂન 2016 થી પાલિકાએ નર્મદા નિગમમાં પાણીના રૂપિયા જમા કરાવ્યા નથી
આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ ડાઉનસ્ટ્રીમમાં પ્રજાને મળવું જોઈએ મફત પાણી, શાસકો અને સરકાર ભરૂચને નિઃશુલ્ક પાણી આપવામાં નિષફળ : બીપીનચન્દ્ર જગદીશવાલા
ભરૂચની પ્રજા પાસેથી ઉઘરાવતા ₹900 ના પાણી વેરાની આવક સામે ખર્ચ વધુ, સરકારમાં પાણી મફત અપાવવા રજુઆત : પાલિકા પ્રમુખ
WatchGujarat. Bharuch - નર્મદા કાંઠે વસેલા ભરૂચ શહેરને જ નર્મદાના નીર વિના મૂલ્યે પુરા પાડવામાં જ્યાં આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ શાસકો અને સરકાર વિફળ રહી છે ત્યાં ભરૂચના નિવૃત સરકારી અધિકારીએ પાલિકાના માથે નર્મદા નિગમના ₹25.86 કરોડના દેવામાં રૂપિયા નહિ ચૂકવાઈ ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો છે.
ભરૂચ નગર પાલિકા દ્વારા ઉઘરાવતા વિવિધ ટેક્સ અને મળતી ગ્રાન્ટો સામે પ્રજાને પ્રાથમિક સુવિધા તેમજ વિકાસ કામોની સુવિધા આપવામાં નિષ્ફળ રહી હોવાના આક્ષેપો સાથે નિવૃત સરકારી અધિકારી બિપિનચંદ્ર જગદીશવાલા વર્ષ 2019 થી પાલિકા શાસકો સામે મોરચો માંડી બેઠા હતા.
[caption id="attachment_29500" align="aligncenter" width="300"] બિપીનચંદ્ર જગદીશવાલા[/caption]
ભરૂચ પાલિકા શાસકોની 5 વર્ષની ટર્મ પુરી થવા આવી છે અને હવે ચૂંટણીના ઢોલ ઢબુકી રહ્યા છે. ત્યારે પાલિકાએ નર્મદા નિગમને ₹25.86 કરોડનું જૂન 2016 થી પાણીનું બિલ નહિ ચૂકવી ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપ સાથે સોમવારે બીપીનચન્દ્ર એ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં જાગૃત નાગરિક અને નિવૃત અધિકારીએ જણાવ્યું હતું કે, ભરૂચ પાલિકા પ્રજાને સફાઈ, રોડ-રસ્તા, ડોર ટુ ડોર ગારબેજ, પીવાના પાણી સહિતની સુવિધાઓ આપવામાં નિષફળ રહી છે. #Bharuch
પ્રજા પાસેથી પાણી વેરાના વાર્ષિક ₹900 વસુલાય છે. ત્યારે પાલિકાએ નર્મદા નિગમને જૂન 2016 થી પીવાના પાણીના બિલ પેટે ₹26.86 કરોડ નહિ ચૂકવી કરેલા દેવામાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનો સીધો આક્ષેપ કરાયો છે. જે માટે જાગૃત નાગરિકે કોર્ટમાં પણ રીટ પિટિશન કરવા તૈયારી બતાવી છે.#Bharuch
બીજી તરફ ભરૂચની નેતાગીરીને પણ તેઓએ પાણી મુદ્દે પાણી વિહોણી ગણાવી હતી. આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ ડાઉન સ્ટ્રીમમાં નર્મદા નદી કાંઠે વસેલા ભરૂચની જનતાને નર્મદાના નીર નિઃશુલ્ક મળવા જોઈએ જોકે સરકાર અને શાસકો ભરૂચને મફતમાં નર્મદાનું પાણી અપાવવામાં પણ ઊના ઉતર્યા છે. નર્મદા નિગમને પાલિકાએ કરોડો રૂપિયા ચૂકવવાના બાકી છે ત્યારે, પાલિકા પાણી વેરો વસુલ કરે છે તો તેના રૂપિયા જાય છે ક્યાં તેવા પણ સવાલો ઉઠાવ્યા છે.
ભરૂચ શહેરમાં કોમર્શિયલ અને રહેણાંક મળી કુલ 67,000 મિલકત ધારકો છે. જેમાં 34000 જેટલા પાણીના કનેકશન છે. વળી 1300 ભૂતિયા કનેક્શનો શોધી કાઢ્યા હોવાનો પાલિકાનો દાવો છે.
ભરૂચને રોજ અપાતું 42 MLD પાણી
સરદાર સરોવર નર્મદા નિગમની અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાંથી પાણી મેળવી રોજનું 42 એમ.એલ.ડી.પાણી શહેરમાં પૂરું પડાય છે. દર મહિને સરદાર સરોવરનું પાણીનું બિલ રૂપિયા 50 લાખ જેટલું થાય છે. મેઇન્ટેનસ અને વીજળી બિલ સહિત પાલિકાનો દર મહિને ઘરે ઘરે પાણી પોહચડવાનોનો ખર્ચો રૂપિયા 83 લાખ થઈ જાય છે. જેને જોતા પાણી વેરાની આવક ખર્ચ સામે ઓછી હોવાની પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા એ જણાવ્યું છે.
ભરૂચને વિનામૂલ્યે કે રાહતદરે પાણી મળી રહે તે માટે રજુઆત
પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા એ ભ્રષ્ટાચારના આક્ષેપો સામે સ્પષ્ટતા કરતા ખુલાસો કર્યો છે કે, પહેલા 14 માં નાણાં પંચની ગ્રાન્ટ સ્વ ભંડોળમાં વપરાતી હતી. પરંતુ સરકારે ગ્રાન્ટને સ્વભંડોળમાં વાપરવા પર રોક લગાવતા મુશ્કેલી ઉભી થઇ છે. ભરૂચ નર્મદા કિનારે વસેલું છે એટલે ભરૂચને વિનામૂલ્યે અથવા રાહતદરે પાણી મળે તે માટે સરકારમાં રજુઆત કરાઈ છે. #Bharuch
ભરૂચ પાલિકાને મહિને ₹83 લાખનો ખર્ચ, આવક ₹50 લાખ આસપાસ
પાલિકાને દર મહિને પાણી વિતરણનો 83 લાખનો ખર્ચ સામે આવક 50.25 લાખ જ થઈ રહી છે. જેને લઈ ઘટ પડી રહી હોવાની પાલિકાની સ્પષ્ટતા સામે 4 વર્ષથી નિગમમાં પાણીના કરોડો રૂપિયા ભરાયા નથી ત્યારે જો પુરવઠો બંધ કરાયો તો શહેરીજનો ને પાણી માટે તરસવાનો વારો આવશે જેના માટે જવાબદાર કોણ તેવા સવાલો પણ જાગૃત નાગરિકે ઉભા કરી લડત આગળ ચલાવવા મક્કમતા બતાવી છે.
માર્ચ 2021 થી પાણી થશે 1000 લીટરે 38 પૈસા મોંઘું
હાલમાં જ નર્મદા નિગમે માર્ચ 2021 થી સરદાર સરોવરમાંથી પીવા અને ઔદ્યોગિક વપરાશ માટે પુરા પડાતા પાણીના ભાવોમાં 10 ટકાના વધારાની જાહેરાત કરી હતી. હાલ પીવા માટે 1000 લીટરે ₹3.80 છે, જે વધી 4.18 રૂપિયા થશે. હવે ભરૂચને રોજનું 42 લાખ લીટર પાણી મળે છે ત્યારે તે પાછળ નિગમનું બિલ માર્ચ 2021 થી રોજનું 17556 અને મહિને ₹52.66 લાખ થઈ જશે. ભરૂચ પાલિકા શાસકો કે સત્તાધીશો નર્મદાના નીર નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવા સફળ થાય છે કે નહીં તે તો સમય જ બતાવશે.
More #Narmada water #Corruption #Baruch News
જૂન 2016 થી પાલિકાએ નર્મદા નિગમમાં પાણીના રૂપિયા જમા કરાવ્યા નથી
આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ ડાઉનસ્ટ્રીમમાં પ્રજાને મળવું જોઈએ મફત પાણી, શાસકો અને સરકાર ભરૂચને નિઃશુલ્ક પાણી આપવામાં નિષફળ : બીપીનચન્દ્ર જગદીશવાલા
ભરૂચની પ્રજા પાસેથી ઉઘરાવતા ₹900 ના પાણી વેરાની આવક સામે ખર્ચ વધુ, સરકારમાં પાણી મફત અપાવવા રજુઆત : પાલિકા પ્રમુખ
WatchGujarat. Bharuch - નર્મદા કાંઠે વસેલા ભરૂચ શહેરને જ નર્મદાના નીર વિના મૂલ્યે પુરા પાડવામાં જ્યાં આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ શાસકો અને સરકાર વિફળ રહી છે ત્યાં ભરૂચના નિવૃત સરકારી અધિકારીએ પાલિકાના માથે નર્મદા નિગમના ₹25.86 કરોડના દેવામાં રૂપિયા નહિ ચૂકવાઈ ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો છે.
ભરૂચ નગર પાલિકા દ્વારા ઉઘરાવતા વિવિધ ટેક્સ અને મળતી ગ્રાન્ટો સામે પ્રજાને પ્રાથમિક સુવિધા તેમજ વિકાસ કામોની સુવિધા આપવામાં નિષ્ફળ રહી હોવાના આક્ષેપો સાથે નિવૃત સરકારી અધિકારી બિપિનચંદ્ર જગદીશવાલા વર્ષ 2019 થી પાલિકા શાસકો સામે મોરચો માંડી બેઠા હતા.
ભરૂચ પાલિકા શાસકોની 5 વર્ષની ટર્મ પુરી થવા આવી છે અને હવે ચૂંટણીના ઢોલ ઢબુકી રહ્યા છે. ત્યારે પાલિકાએ નર્મદા નિગમને ₹25.86 કરોડનું જૂન 2016 થી પાણીનું બિલ નહિ ચૂકવી ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપ સાથે સોમવારે બીપીનચન્દ્ર એ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં જાગૃત નાગરિક અને નિવૃત અધિકારીએ જણાવ્યું હતું કે, ભરૂચ પાલિકા પ્રજાને સફાઈ, રોડ-રસ્તા, ડોર ટુ ડોર ગારબેજ, પીવાના પાણી સહિતની સુવિધાઓ આપવામાં નિષફળ રહી છે. #Bharuch
પ્રજા પાસેથી પાણી વેરાના વાર્ષિક ₹900 વસુલાય છે. ત્યારે પાલિકાએ નર્મદા નિગમને જૂન 2016 થી પીવાના પાણીના બિલ પેટે ₹26.86 કરોડ નહિ ચૂકવી કરેલા દેવામાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનો સીધો આક્ષેપ કરાયો છે. જે માટે જાગૃત નાગરિકે કોર્ટમાં પણ રીટ પિટિશન કરવા તૈયારી બતાવી છે.#Bharuch
બીજી તરફ ભરૂચની નેતાગીરીને પણ તેઓએ પાણી મુદ્દે પાણી વિહોણી ગણાવી હતી. આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ ડાઉન સ્ટ્રીમમાં નર્મદા નદી કાંઠે વસેલા ભરૂચની જનતાને નર્મદાના નીર નિઃશુલ્ક મળવા જોઈએ જોકે સરકાર અને શાસકો ભરૂચને મફતમાં નર્મદાનું પાણી અપાવવામાં પણ ઊના ઉતર્યા છે. નર્મદા નિગમને પાલિકાએ કરોડો રૂપિયા ચૂકવવાના બાકી છે ત્યારે, પાલિકા પાણી વેરો વસુલ કરે છે તો તેના રૂપિયા જાય છે ક્યાં તેવા પણ સવાલો ઉઠાવ્યા છે.
ભરૂચ શહેરમાં કોમર્શિયલ અને રહેણાંક મળી કુલ 67,000 મિલકત ધારકો છે. જેમાં 34000 જેટલા પાણીના કનેકશન છે. વળી 1300 ભૂતિયા કનેક્શનો શોધી કાઢ્યા હોવાનો પાલિકાનો દાવો છે.
ભરૂચને રોજ અપાતું 42 MLD પાણી
સરદાર સરોવર નર્મદા નિગમની અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાંથી પાણી મેળવી રોજનું 42 એમ.એલ.ડી.પાણી શહેરમાં પૂરું પડાય છે. દર મહિને સરદાર સરોવરનું પાણીનું બિલ રૂપિયા 50 લાખ જેટલું થાય છે. મેઇન્ટેનસ અને વીજળી બિલ સહિત પાલિકાનો દર મહિને ઘરે ઘરે પાણી પોહચડવાનોનો ખર્ચો રૂપિયા 83 લાખ થઈ જાય છે. જેને જોતા પાણી વેરાની આવક ખર્ચ સામે ઓછી હોવાની પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા એ જણાવ્યું છે.
ભરૂચને વિનામૂલ્યે કે રાહતદરે પાણી મળી રહે તે માટે રજુઆત
પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા એ ભ્રષ્ટાચારના આક્ષેપો સામે સ્પષ્ટતા કરતા ખુલાસો કર્યો છે કે, પહેલા 14 માં નાણાં પંચની ગ્રાન્ટ સ્વ ભંડોળમાં વપરાતી હતી. પરંતુ સરકારે ગ્રાન્ટને સ્વભંડોળમાં વાપરવા પર રોક લગાવતા મુશ્કેલી ઉભી થઇ છે. ભરૂચ નર્મદા કિનારે વસેલું છે એટલે ભરૂચને વિનામૂલ્યે અથવા રાહતદરે પાણી મળે તે માટે સરકારમાં રજુઆત કરાઈ છે. #Bharuch
ભરૂચ પાલિકાને મહિને ₹83 લાખનો ખર્ચ, આવક ₹50 લાખ આસપાસ
પાલિકાને દર મહિને પાણી વિતરણનો 83 લાખનો ખર્ચ સામે આવક 50.25 લાખ જ થઈ રહી છે. જેને લઈ ઘટ પડી રહી હોવાની પાલિકાની સ્પષ્ટતા સામે 4 વર્ષથી નિગમમાં પાણીના કરોડો રૂપિયા ભરાયા નથી ત્યારે જો પુરવઠો બંધ કરાયો તો શહેરીજનો ને પાણી માટે તરસવાનો વારો આવશે જેના માટે જવાબદાર કોણ તેવા સવાલો પણ જાગૃત નાગરિકે ઉભા કરી લડત આગળ ચલાવવા મક્કમતા બતાવી છે.
માર્ચ 2021 થી પાણી થશે 1000 લીટરે 38 પૈસા મોંઘું
હાલમાં જ નર્મદા નિગમે માર્ચ 2021 થી સરદાર સરોવરમાંથી પીવા અને ઔદ્યોગિક વપરાશ માટે પુરા પડાતા પાણીના ભાવોમાં 10 ટકાના વધારાની જાહેરાત કરી હતી. હાલ પીવા માટે 1000 લીટરે ₹3.80 છે, જે વધી 4.18 રૂપિયા થશે. હવે ભરૂચને રોજનું 42 લાખ લીટર પાણી મળે છે ત્યારે તે પાછળ નિગમનું બિલ માર્ચ 2021 થી રોજનું 17556 અને મહિને ₹52.66 લાખ થઈ જશે. ભરૂચ પાલિકા શાસકો કે સત્તાધીશો નર્મદાના નીર નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવા સફળ થાય છે કે નહીં તે તો સમય જ બતાવશે.