સરદાર પટેલ હોસ્પિટલ, નિવાસસ્થાન અને પીરામણ કબ્રસ્તાન ખાતે વહેલી સવારથી જ સમર્થકો, આગેવાનો, ગ્રામજનોની ઉમટવાના શરૂ
કોવિડ-19 ના ચુસ્ત અમલ સાથે ઠેર ઠેર વ્યવસ્થા જાળવવા પોલીસ કાફલો ખડેપગે
કબ્રસ્તાન આગળ મેટલ ડિટેકટિવ સાથે માસ સેનિટાઈઝેશન અને માસ્ક વિતરણ
મરહુમ અહેમદ પટેલના પરિજનો દ્વારા લોકોને અપીલ, જે સ્થળે હોય તે સ્થળે જ રહી શ્રદ્ધાંજલિ આપી એમના માટે પ્રાર્થના
રાહુલ ગાંધી બાય રોડ સુરતથી અંકલેશ્વર આવવા રવાના
અહેમદ પટેલના પાર્થિવ દેહને સરદાર પટેલ હોસ્પિટલ બહાર દર્શનાર્થે મુકાશે
અંતિમ ઈચ્છા મુજબ પીરામણ નિવાસસ્થાને દર્શનાર્થે લવાશે
અંતે લોકલાડીલા રાષ્ટ્રીય નેતાના પાક દેહને કબ્રસ્તાન દફનવિધિ માટે લવાશે
WatchGujarat. પીરામણ કબ્રસ્તાન ખાતે પાર્થિવ દેહને આખરી દિદાર માટે મૂકી, ખાસ દુઆ અદા કરવામાં આવશે, સાથે જ જનાજાની નમાજ અદાયગી બાદ માતા-પિતાની કબરની વચ્ચે તેમની દફનવિધિ સંપન્ન કરાશે.
રાષ્ટ્રીય નેતા અહેમદ પટેલના નિધન બાદ તેઓનો પાર્થિવ દેહ કોવિડ 19 ની ગાઈડલાઈનને મુજબ દિલ્હીથી માદરે વતન અંકલેશ્વર લવાયો હતો. સરદાર પટેલ હોસ્પિટલના કોલ્ડરૂમમાં રખાયેલા પાર્થિવ દેહને હોસ્પિટલ બહાર દર્શન માટે મુકવામાં આવનાર છે. જ્યાં રાહુલ ગાંધી પોહચ્યા બાદ દિવંગત અહેમદ પટેલની ઈચ્છા મુજબ તેઓના પીરામણ સ્થિત નિવાસસ્થાને તેઓના દેહને લવાશે. જ્યાં આગેવાનો, ગ્રામજનો માટે પાર્થિવ દેહ દર્શનાર્થે મુકાશે.
જ્યાંથી ભારે હૈયે લોકનેતાના પાક દેહને તેઓની આખરી ખ્વાહિશ મુજબ પીરામણ ગામના કબ્રસ્તાન પુત્ર ફેઝલ પટેલ, પરિજનો, સ્વજનો, રાહુલ ગાંધી સહિતના રાષ્ટ્રીય અને પ્રાદેશિક વિવિઆઈપીની હાજરીમાં લવાશે. કબ્રસ્તાન સામે ના તૈયાર કરાયેલા મેદાનમાં અહેમદ પટેલ માટે ખાસ દુઆ ગુજારવામાં આવશે. જનાજા ની નમાઝ અદાયગી બાદ મહરૂમ અહેમદ પટેલના પાક દેહને દફનવિધિ હાથ ધરવામાં આવશે.
રાષ્ટ્રીય લોકનેતા સાંસદ અહેમદ પટેલની અંતિમ યાત્રામાં જોડાવવા અને આખરી દિદાર માટે ગુરુવારે વહેલી સવારથી અંકલેશ્વર અને પીરામણ ગામે જનમેદની ઉમટવાની શરૂ થઈ ગઈ હતી. પોલીસ દ્વારા પણ પ્રોટોકોલ અને કોવિડ 19 ની ગાઈડલાઈન જાળવવા પૂરતી વ્યવસ્થા સાથે કાફલો ખડકી દેવાયો છે. સાથે જ કબ્રસ્તાન આગળ સુરક્ષાને ધ્યાને રાખી ડોર મેટલ ડિટેક્ટર, સેનેટાઇઝર અને માસ્ક સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.
Read More
સરદાર પટેલ હોસ્પિટલ, નિવાસસ્થાન અને પીરામણ કબ્રસ્તાન ખાતે વહેલી સવારથી જ સમર્થકો, આગેવાનો, ગ્રામજનોની ઉમટવાના શરૂ
કોવિડ-19 ના ચુસ્ત અમલ સાથે ઠેર ઠેર વ્યવસ્થા જાળવવા પોલીસ કાફલો ખડેપગે
કબ્રસ્તાન આગળ મેટલ ડિટેકટિવ સાથે માસ સેનિટાઈઝેશન અને માસ્ક વિતરણ
મરહુમ અહેમદ પટેલના પરિજનો દ્વારા લોકોને અપીલ, જે સ્થળે હોય તે સ્થળે જ રહી શ્રદ્ધાંજલિ આપી એમના માટે પ્રાર્થના
રાહુલ ગાંધી બાય રોડ સુરતથી અંકલેશ્વર આવવા રવાના
અહેમદ પટેલના પાર્થિવ દેહને સરદાર પટેલ હોસ્પિટલ બહાર દર્શનાર્થે મુકાશે
અંતિમ ઈચ્છા મુજબ પીરામણ નિવાસસ્થાને દર્શનાર્થે લવાશે
અંતે લોકલાડીલા રાષ્ટ્રીય નેતાના પાક દેહને કબ્રસ્તાન દફનવિધિ માટે લવાશે
WatchGujarat. પીરામણ કબ્રસ્તાન ખાતે પાર્થિવ દેહને આખરી દિદાર માટે મૂકી, ખાસ દુઆ અદા કરવામાં આવશે, સાથે જ જનાજાની નમાજ અદાયગી બાદ માતા-પિતાની કબરની વચ્ચે તેમની દફનવિધિ સંપન્ન કરાશે.
રાષ્ટ્રીય નેતા અહેમદ પટેલના નિધન બાદ તેઓનો પાર્થિવ દેહ કોવિડ 19 ની ગાઈડલાઈનને મુજબ દિલ્હીથી માદરે વતન અંકલેશ્વર લવાયો હતો. સરદાર પટેલ હોસ્પિટલના કોલ્ડરૂમમાં રખાયેલા પાર્થિવ દેહને હોસ્પિટલ બહાર દર્શન માટે મુકવામાં આવનાર છે. જ્યાં રાહુલ ગાંધી પોહચ્યા બાદ દિવંગત અહેમદ પટેલની ઈચ્છા મુજબ તેઓના પીરામણ સ્થિત નિવાસસ્થાને તેઓના દેહને લવાશે. જ્યાં આગેવાનો, ગ્રામજનો માટે પાર્થિવ દેહ દર્શનાર્થે મુકાશે.
જ્યાંથી ભારે હૈયે લોકનેતાના પાક દેહને તેઓની આખરી ખ્વાહિશ મુજબ પીરામણ ગામના કબ્રસ્તાન પુત્ર ફેઝલ પટેલ, પરિજનો, સ્વજનો, રાહુલ ગાંધી સહિતના રાષ્ટ્રીય અને પ્રાદેશિક વિવિઆઈપીની હાજરીમાં લવાશે. કબ્રસ્તાન સામે ના તૈયાર કરાયેલા મેદાનમાં અહેમદ પટેલ માટે ખાસ દુઆ ગુજારવામાં આવશે. જનાજા ની નમાઝ અદાયગી બાદ મહરૂમ અહેમદ પટેલના પાક દેહને દફનવિધિ હાથ ધરવામાં આવશે.
રાષ્ટ્રીય લોકનેતા સાંસદ અહેમદ પટેલની અંતિમ યાત્રામાં જોડાવવા અને આખરી દિદાર માટે ગુરુવારે વહેલી સવારથી અંકલેશ્વર અને પીરામણ ગામે જનમેદની ઉમટવાની શરૂ થઈ ગઈ હતી. પોલીસ દ્વારા પણ પ્રોટોકોલ અને કોવિડ 19 ની ગાઈડલાઈન જાળવવા પૂરતી વ્યવસ્થા સાથે કાફલો ખડકી દેવાયો છે. સાથે જ કબ્રસ્તાન આગળ સુરક્ષાને ધ્યાને રાખી ડોર મેટલ ડિટેક્ટર, સેનેટાઇઝર અને માસ્ક સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.