વાગરા પંથકમાં જીઆઈડીસીએ કરેલ જમીન સંપાદનની પ્રક્રિયામાં કથિત કૌભાંડ અંગે અવાજ ઉઠાવ્યો હતો
સી.એમ.ને પત્ર લખી સુરક્ષાની માંગ કરાઈ
[caption id="attachment_33002" align="aligncenter" width="1280"] પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસીયા[/caption]
WatchGujarat. Bharuch - જીઆઇડીસીમાં હજારો કરોડ રૂપિયાનું કૌભાંડ ઉજાગર કરનાર પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસીયાએ તેમના પર હિંસક હુમલાની શક્યતા વ્યક્ત કરતા ચકચાર મચી જવા પામી છે.વાગરા પંથકમાં જીઆઈડીસીએ કરેલ જમીન સંપાદનની પ્રક્રિયામાં કથિત કૌભાંડ અંગે અવાજ ઉઠાવતા હુમલાનો ડર વ્યક્ત કર્યો છે
ભાજપમાંથી ચૂંટણી લડી મંત્રી બનેલા અને ગત વિધાનસભાની ચૂંટણીમાં જંબુસર બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ખુમાનસિંહ વાંસિયાએ પોતાના પર હિંસક હુમલાનો ડર વ્યક્ત કર્યો છે. તાજેતરમાં ખુમાનસિંહ વાસીયાએ સરકાર દ્વારા કરાતી જમીન સંપાદન પ્રક્રિયામાં કથિત કૌભાંડ અંગે અવાજ ઉઠાવ્યો હતો. #Bharuch
ભરૂચના વાગરા તાલુકામાં જીઆઈડીસી દ્વારા જમીન સંપાદન કરવામાં આવી હતી જેમાં જીઆઈડીસીના અધિકારીઓની મિલી ભગતથી ગરીબ અને આદિવાસી ખેડૂતોને અંધારામાં રાખી મળતીયાઓને સસ્તા ભાવે જમીન આપી દઈ મોટા પાટે ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો તેઓએ આક્ષેપ કર્યો હતો ત્યારે હવે ખુમાનસિંહ વાસીયાએ તેમના પર હિંસક હુમલાની શક્યતા વ્યક્ત કરી છે.
આ અંગે પૂર્વમંત્રી ખુમાનસિંહ વાસીયાએ જણાવ્યું હતું કે આ કૌભાંડમાં જીઆઈડીસીના એમ.ડી સહિતના મોટા અધિકારીઓની સંડોવણી છે.આ બાબતે કિસાન સંઘના ભરૂચ જિલ્લાના પ્રમુખ અજીતસિંહ રાજ, એડવોકેટ મહેશ પરમાર અને તેઓ દ્વારા કાયદાકીય લડત લડવામાં આવી રહી છે ત્યારે તમામનું મોઢું બંધ કરાવવા તેમના પર હિંસક હુમલો થઈ શકે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને સી.એમ.ને પત્ર લખી સુરક્ષાની માંગની માંગ કરાઈ છે.
આ અગાઉ ખુમાનસીહ વાસીયાએ ગુજરાતમાંથી દારૂ બંધી હટે તો લોકોને સારો દારૂ પીવા મળે એવુ એક નિવેદન આપ્યું હતુ.આ અંગે જણાવ્યું હતું કે ગુજરાતમાં દારૂ બંધીના કારણે ખરાબ ક્વોલિટીનો દારૂ બને છે અને પોલીસની.મિલીભગતથી દારૂ વેચાઈ છે.ખરાબ ક્વોલિટીના દારૂના કારણે લઠ્ઠા કાંડ થાય છે અને લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે.
More #Ex-minister #Khumansinh #Land scam case #Threat #Bharuch News
વાગરા પંથકમાં જીઆઈડીસીએ કરેલ જમીન સંપાદનની પ્રક્રિયામાં કથિત કૌભાંડ અંગે અવાજ ઉઠાવ્યો હતો
સી.એમ.ને પત્ર લખી સુરક્ષાની માંગ કરાઈ
[caption id="attachment_33002" align="aligncenter" width="1280"] પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસીયા[/caption]
WatchGujarat. Bharuch - જીઆઇડીસીમાં હજારો કરોડ રૂપિયાનું કૌભાંડ ઉજાગર કરનાર પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસીયાએ તેમના પર હિંસક હુમલાની શક્યતા વ્યક્ત કરતા ચકચાર મચી જવા પામી છે.વાગરા પંથકમાં જીઆઈડીસીએ કરેલ જમીન સંપાદનની પ્રક્રિયામાં કથિત કૌભાંડ અંગે અવાજ ઉઠાવતા હુમલાનો ડર વ્યક્ત કર્યો છે
ભાજપમાંથી ચૂંટણી લડી મંત્રી બનેલા અને ગત વિધાનસભાની ચૂંટણીમાં જંબુસર બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ખુમાનસિંહ વાંસિયાએ પોતાના પર હિંસક હુમલાનો ડર વ્યક્ત કર્યો છે. તાજેતરમાં ખુમાનસિંહ વાસીયાએ સરકાર દ્વારા કરાતી જમીન સંપાદન પ્રક્રિયામાં કથિત કૌભાંડ અંગે અવાજ ઉઠાવ્યો હતો. #Bharuch
ભરૂચના વાગરા તાલુકામાં જીઆઈડીસી દ્વારા જમીન સંપાદન કરવામાં આવી હતી જેમાં જીઆઈડીસીના અધિકારીઓની મિલી ભગતથી ગરીબ અને આદિવાસી ખેડૂતોને અંધારામાં રાખી મળતીયાઓને સસ્તા ભાવે જમીન આપી દઈ મોટા પાટે ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો તેઓએ આક્ષેપ કર્યો હતો ત્યારે હવે ખુમાનસિંહ વાસીયાએ તેમના પર હિંસક હુમલાની શક્યતા વ્યક્ત કરી છે.
આ અંગે પૂર્વમંત્રી ખુમાનસિંહ વાસીયાએ જણાવ્યું હતું કે આ કૌભાંડમાં જીઆઈડીસીના એમ.ડી સહિતના મોટા અધિકારીઓની સંડોવણી છે.આ બાબતે કિસાન સંઘના ભરૂચ જિલ્લાના પ્રમુખ અજીતસિંહ રાજ, એડવોકેટ મહેશ પરમાર અને તેઓ દ્વારા કાયદાકીય લડત લડવામાં આવી રહી છે ત્યારે તમામનું મોઢું બંધ કરાવવા તેમના પર હિંસક હુમલો થઈ શકે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને સી.એમ.ને પત્ર લખી સુરક્ષાની માંગની માંગ કરાઈ છે.
આ અગાઉ ખુમાનસીહ વાસીયાએ ગુજરાતમાંથી દારૂ બંધી હટે તો લોકોને સારો દારૂ પીવા મળે એવુ એક નિવેદન આપ્યું હતુ.આ અંગે જણાવ્યું હતું કે ગુજરાતમાં દારૂ બંધીના કારણે ખરાબ ક્વોલિટીનો દારૂ બને છે અને પોલીસની.મિલીભગતથી દારૂ વેચાઈ છે.ખરાબ ક્વોલિટીના દારૂના કારણે લઠ્ઠા કાંડ થાય છે અને લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે.
More #Ex-minister #Khumansinh #Land scam case #Threat #Bharuch News