પાલિકાના ગેટ બંધ કરાતા કોંગ્રેસે સંકુલમાં નીચે બેસી સભા યોજી
પાલિકાની આગામી ચૂંટણીઓને લઈ ભાજપ-કોંગ્રેસના સામ સામે આક્ષેપ-પ્રતિ આક્ષેપો
પાલિકા પ્રમુખે વિરોધ પક્ષના નેતા રાજકીય સ્ટંટ કરી રહ્યા હોવાનો અને પ્રજા ભાજપ પડખે હોવાનો કર્યો દાવો
વિરોધ પક્ષના નેતાએ ભાજપના ભ્રષ્ટ વહીવટને પ્રજા સમક્ષ આગામી દિવસોમાં લઈ જઈ પ્રજા વચ્ચે જનતા સભા યોજવાનું આપ્યું અલ્ટીમેટમ
ભરૂચ. પાલિકામાં છેલ્લા કેટલાક દિવસોથી જાહેર સભા યોજવા અંગે ચાલતા વિવાદમાં આજે શનિવારે કોંગ્રેસનું 72 કલાકનું અલ્ટીમેટમ પૂર્ણ થતાં વિરોધ પક્ષના નેતાની આગેવાનીમાં કોંગી સભ્યો, આગેવાનોએ જનતા ને સાથે રાખી જનતા સભા યોજવા પાલિકામાં પ્રવેશ કરતા મુખ્ય ગેટ બંધ કરી પોલીસ પેહરા વચ્ચે તેઓને અટકાવાતા ઘમાસાણ સર્જાયું હતું. પોલીસે 16 કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી.
દિવાળી ટાણે ભરૂચ પાલિકામાં ઓક્ટોબરનું રેગ્યુલર બોર્ડ યોજવાના મુદ્દે શાસક ભાજપ અને વિપક્ષ વચ્ચે રાજકીય દંગલ સર્જાયું હતું. શાસકે કોરોના કાળમાં પાલિકાના કર્મચારીઓ પણ સંક્રમણ નો ભોગ બનવા સાથે 2 કર્મીના મૃત્યુ થયા હોય જેને લઈ સભા અંગે સર્ક્યુલર ઠરાવ જારી કર્યો હતો.
જોકે વિરોધ પક્ષના નેતા સમસાદ અલી સૈયદ અને અન્ય સભ્યોએ તેને માન્ય નહિ રાખી જાહેર સભા યોજવા પર ભાર મૂકી હવે છેલ્લી ટર્મ હોય અને આગામી ચૂંટણી ને લઈ ભ્રષ્ટ ભાજપ બેટિંગ કરી લેવાના મૂડમાં હોય સામાન્ય સભા બોલાવવા માંગતી નહિ હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા.
બીજી તરફ પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા એ પણ વિરોધ પક્ષના નેતા આગામી ચૂંટણીને લઈ રાજકીય સ્ટંટ કરી રહ્યા હોવાના તેમજ જનતા તેઓની સાથે અને કામો થતા હોવાની સ્પષ્ટત્તા કરી વિરોધ પક્ષના નેતા ને આડે હાથે લીધા હતા.
દરમિયાન વિરોધ પક્ષના નેતા એ સભા યોજવા શાસક પક્ષને 72 કલાકનું અલ્ટીમેટમ આપતા બીજા જ દિવસે પાલિકા પોલીસ પહેરો મૂકી દેવામાં આવ્યો હતો. જેને લઈ વિપક્ષ વધુ આક્રમક બની પત્રકાર પરિષદ યોજી શનિવારે જનતા સભા યોજવાની ઘોષણા કરી હતી.
આજે સવારથી જ એ ડિવિઝન પી.આઈ. સહિત મહિલા પોલીસ સાથેનો કાફલો પાલિકા પર તહેનાત થયો હતો. વિરોધ પક્ષના નેતા સમસાદ અલી, દંડક હેમેન્દ્ર કોઠીવાલા, સલીમ અમદાવાદી, શહેર પ્રમુખ તેજપ્રીત શોખી સહિત અન્ય આગેવાનો, કાર્યકરો અને વિપક્ષી સભ્યોએ પ્રજા સાથે પાલિકા તરફ કૂચ કરી હતી. જાહેર જનતાને સભા માટે પહેલાથી જ આમંત્રણ અપાયું હોય 150 થી વધુ લોકો પાલિકા પર ઊમટતા પોલીસ એક્શનમાં આવી હતી.
પોલીસે પાલિકાનો આગળ-પાછળ નો દરવાજો બન્ધ કરી જનતા સભા યોજવા પાલિકામાં પ્રવેશતા અટકાવતા ધમાસન શરૂ થયું હતું. કોંગ્રેસે પાલિકા સંકુલમાં નીચે બેસી જનતા સભા યોજી હતી. જેમાં રસ્તા, ડ્રેનેજ, વેરા, સફાઈ સહિતના પ્રજાને નડતી અનેક સમસ્યાઓનો મારો કરાયો હોવાનું વિપક્ષે જણાવ્યું હતું.
બીજી તરફ કોંગ્રેસ અને પોલીસ વચ્ચે જનતા સભા પાલિકામાં યોજવા ભારે ખેંચતાણ થઈ હતી. પોલીસ દ્રારા વિરોધ પક્ષના નેતા, કોંગી આગેવાનો, સભ્યો સહિત 16 ની અટકાયત કરી જનતા સભા પર પૂર્ણવિરામ લાવવામાં આવ્યું હતું.
સ્ટેશન રોડ અને સિવિલ રોડ પરથી પાલિકા પર આવતા લોકોને અટકવાયા
જનતા સભાને લઈ પાલિકા કચેરીને શાસકોએ પોલીસ પહેરામાં તબદીલ કરી દીધી હતી. સાથે જ સ્ટેશન રોડ અને સિવિલ રોડ પરથી પણ પાલિકા તરફ જતા લોકોને પોલીસે અટકાવ્યા હોવાનો કોંગ્રેસે આક્રોશ સાથે રોષ ઠાલવ્યો હતો. પાછળના સંકુલના ગેટ પરથી પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી કેટલાય લોકો અને કોંગી આગેવાનો પરિસરમાં ઘુસી આવ્યા હતા.
ભરૂચ પાલિકા કૌભાંડોનું હબ- AHP એ પ્લે કાર્ડ સાથે રોષ ઠાલવ્યો
જનતા સભાનું આયોજન કરવામાં આવતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનાં આગેવાનો અને કાર્યકરો પણ પાલિકાના વિસ્તારમાં આવી પહોંચ્યા હતા. તેમના હાથમાં ભાજપ પ્રેરિત ભરૂચ નગરપાલિકા કૌભાંડોનું હબ અને પાલિકા નગરસેવકો માટે કમાણીનું સાધન તેવા સૂત્રો લખેલ પ્લે કાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો હતો.
રોષ : ક્યાં કાયદા કે જાહેરનામા હેઠળ લોકોને પાલિકામાં જતા અટકાવાયા
પોલીસે કોંગી આગેવાનો સાથે રહેલા લોકોને પાલિકામાં જતા રોકતા ભારે ખેંચતાણ થઈ હતી. કાર્યકરોએ રોષ સાથે સવાલ ઉઠાવ્યો હતો કે કયા કાયદા કે જાહેરનામા હેઠળ લોકોને પાલિકામાં જતા અટકવાઈ રહ્યા છે.
વિપક્ષનો રાજકીય સ્ટંટ, વિરોધ પક્ષના 12 સભ્યો પણ ન દેખાયા
ભરૂચ પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા એ જનતા સભાને વિરોધ પક્ષનો આગામી ચૂંટણી ટાણે રાજકીય સ્ટંટ ગણાવ્યો હતો. આજના વિરોધ પક્ષના આ કાર્યક્રમમાં 12વિરોધ પક્ષ દ્વારા જનતા સભા યોજાઈ જેમાં પોલીસની કિલ્લેબંધી વચ્ચે પણ લોકો ઉમટી પડ્યા ત્યારે નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાળાએ કોંગ્રેસના 12 સભ્યો પેકી મોટા ભાગના હાજર ન હતા તેવો દાવો કર્યો હતો. સાથે પ્રજાના કામો થઈ જ રહ્યા હોવાની પણ વાત મૂકી હતી.
ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડાશે, હવે જનતા વચ્ચે જઈ સભા, 12 માંથી 1 જ સભ્ય ન હતું
વિરોધ પક્ષના નેતા સમસાદ અલી સૈયદે જણાવ્યું હતું કે, આજે યોજાયેલી જનતા સભામાં શહેરની પ્રજાના અનેક પ્રશ્નો તેમની પાસે આવ્યા છે. જે અંગે પ્રજાના કામો કરાવવા પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરના ધ્યાને લવાશે. પ્રજાની સમસ્યાઓ નિવારવા આગામી સમયમાં જનતા વચ્ચે જઇ સભા યોજાશે. વધુમાં દાવો કરાયો હતો કે કોંગ્રેસના 12 પેકી 11 સભ્યો આજે હાજર હતા. ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડાશે અને સર્ક્યુલર ઠરાવને કાયદાકીય રીતે આગામી સમયમાં પડકારવામાં આવશે.
ભરૂચ. પાલિકામાં છેલ્લા કેટલાક દિવસોથી જાહેર સભા યોજવા અંગે ચાલતા વિવાદમાં આજે શનિવારે કોંગ્રેસનું 72 કલાકનું અલ્ટીમેટમ પૂર્ણ થતાં વિરોધ પક્ષના નેતાની આગેવાનીમાં કોંગી સભ્યો, આગેવાનોએ જનતા ને સાથે રાખી જનતા સભા યોજવા પાલિકામાં પ્રવેશ કરતા મુખ્ય ગેટ બંધ કરી પોલીસ પેહરા વચ્ચે તેઓને અટકાવાતા ઘમાસાણ સર્જાયું હતું. પોલીસે 16 કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી.
દિવાળી ટાણે ભરૂચ પાલિકામાં ઓક્ટોબરનું રેગ્યુલર બોર્ડ યોજવાના મુદ્દે શાસક ભાજપ અને વિપક્ષ વચ્ચે રાજકીય દંગલ સર્જાયું હતું. શાસકે કોરોના કાળમાં પાલિકાના કર્મચારીઓ પણ સંક્રમણ નો ભોગ બનવા સાથે 2 કર્મીના મૃત્યુ થયા હોય જેને લઈ સભા અંગે સર્ક્યુલર ઠરાવ જારી કર્યો હતો.
જોકે વિરોધ પક્ષના નેતા સમસાદ અલી સૈયદ અને અન્ય સભ્યોએ તેને માન્ય નહિ રાખી જાહેર સભા યોજવા પર ભાર મૂકી હવે છેલ્લી ટર્મ હોય અને આગામી ચૂંટણી ને લઈ ભ્રષ્ટ ભાજપ બેટિંગ કરી લેવાના મૂડમાં હોય સામાન્ય સભા બોલાવવા માંગતી નહિ હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા.
બીજી તરફ પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા એ પણ વિરોધ પક્ષના નેતા આગામી ચૂંટણીને લઈ રાજકીય સ્ટંટ કરી રહ્યા હોવાના તેમજ જનતા તેઓની સાથે અને કામો થતા હોવાની સ્પષ્ટત્તા કરી વિરોધ પક્ષના નેતા ને આડે હાથે લીધા હતા.
દરમિયાન વિરોધ પક્ષના નેતા એ સભા યોજવા શાસક પક્ષને 72 કલાકનું અલ્ટીમેટમ આપતા બીજા જ દિવસે પાલિકા પોલીસ પહેરો મૂકી દેવામાં આવ્યો હતો. જેને લઈ વિપક્ષ વધુ આક્રમક બની પત્રકાર પરિષદ યોજી શનિવારે જનતા સભા યોજવાની ઘોષણા કરી હતી.
આજે સવારથી જ એ ડિવિઝન પી.આઈ. સહિત મહિલા પોલીસ સાથેનો કાફલો પાલિકા પર તહેનાત થયો હતો. વિરોધ પક્ષના નેતા સમસાદ અલી, દંડક હેમેન્દ્ર કોઠીવાલા, સલીમ અમદાવાદી, શહેર પ્રમુખ તેજપ્રીત શોખી સહિત અન્ય આગેવાનો, કાર્યકરો અને વિપક્ષી સભ્યોએ પ્રજા સાથે પાલિકા તરફ કૂચ કરી હતી. જાહેર જનતાને સભા માટે પહેલાથી જ આમંત્રણ અપાયું હોય 150 થી વધુ લોકો પાલિકા પર ઊમટતા પોલીસ એક્શનમાં આવી હતી.
પોલીસે પાલિકાનો આગળ-પાછળ નો દરવાજો બન્ધ કરી જનતા સભા યોજવા પાલિકામાં પ્રવેશતા અટકાવતા ધમાસન શરૂ થયું હતું. કોંગ્રેસે પાલિકા સંકુલમાં નીચે બેસી જનતા સભા યોજી હતી. જેમાં રસ્તા, ડ્રેનેજ, વેરા, સફાઈ સહિતના પ્રજાને નડતી અનેક સમસ્યાઓનો મારો કરાયો હોવાનું વિપક્ષે જણાવ્યું હતું.
બીજી તરફ કોંગ્રેસ અને પોલીસ વચ્ચે જનતા સભા પાલિકામાં યોજવા ભારે ખેંચતાણ થઈ હતી. પોલીસ દ્રારા વિરોધ પક્ષના નેતા, કોંગી આગેવાનો, સભ્યો સહિત 16 ની અટકાયત કરી જનતા સભા પર પૂર્ણવિરામ લાવવામાં આવ્યું હતું.
સ્ટેશન રોડ અને સિવિલ રોડ પરથી પાલિકા પર આવતા લોકોને અટકવાયા
જનતા સભાને લઈ પાલિકા કચેરીને શાસકોએ પોલીસ પહેરામાં તબદીલ કરી દીધી હતી. સાથે જ સ્ટેશન રોડ અને સિવિલ રોડ પરથી પણ પાલિકા તરફ જતા લોકોને પોલીસે અટકાવ્યા હોવાનો કોંગ્રેસે આક્રોશ સાથે રોષ ઠાલવ્યો હતો. પાછળના સંકુલના ગેટ પરથી પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી કેટલાય લોકો અને કોંગી આગેવાનો પરિસરમાં ઘુસી આવ્યા હતા.
ભરૂચ પાલિકા કૌભાંડોનું હબ- AHP એ પ્લે કાર્ડ સાથે રોષ ઠાલવ્યો
જનતા સભાનું આયોજન કરવામાં આવતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનાં આગેવાનો અને કાર્યકરો પણ પાલિકાના વિસ્તારમાં આવી પહોંચ્યા હતા. તેમના હાથમાં ભાજપ પ્રેરિત ભરૂચ નગરપાલિકા કૌભાંડોનું હબ અને પાલિકા નગરસેવકો માટે કમાણીનું સાધન તેવા સૂત્રો લખેલ પ્લે કાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો હતો.
રોષ : ક્યાં કાયદા કે જાહેરનામા હેઠળ લોકોને પાલિકામાં જતા અટકાવાયા
પોલીસે કોંગી આગેવાનો સાથે રહેલા લોકોને પાલિકામાં જતા રોકતા ભારે ખેંચતાણ થઈ હતી. કાર્યકરોએ રોષ સાથે સવાલ ઉઠાવ્યો હતો કે કયા કાયદા કે જાહેરનામા હેઠળ લોકોને પાલિકામાં જતા અટકવાઈ રહ્યા છે.
વિપક્ષનો રાજકીય સ્ટંટ, વિરોધ પક્ષના 12 સભ્યો પણ ન દેખાયા
ભરૂચ પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા એ જનતા સભાને વિરોધ પક્ષનો આગામી ચૂંટણી ટાણે રાજકીય સ્ટંટ ગણાવ્યો હતો. આજના વિરોધ પક્ષના આ કાર્યક્રમમાં 12વિરોધ પક્ષ દ્વારા જનતા સભા યોજાઈ જેમાં પોલીસની કિલ્લેબંધી વચ્ચે પણ લોકો ઉમટી પડ્યા ત્યારે નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાળાએ કોંગ્રેસના 12 સભ્યો પેકી મોટા ભાગના હાજર ન હતા તેવો દાવો કર્યો હતો. સાથે પ્રજાના કામો થઈ જ રહ્યા હોવાની પણ વાત મૂકી હતી.
ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડાશે, હવે જનતા વચ્ચે જઈ સભા, 12 માંથી 1 જ સભ્ય ન હતું
વિરોધ પક્ષના નેતા સમસાદ અલી સૈયદે જણાવ્યું હતું કે, આજે યોજાયેલી જનતા સભામાં શહેરની પ્રજાના અનેક પ્રશ્નો તેમની પાસે આવ્યા છે. જે અંગે પ્રજાના કામો કરાવવા પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરના ધ્યાને લવાશે. પ્રજાની સમસ્યાઓ નિવારવા આગામી સમયમાં જનતા વચ્ચે જઇ સભા યોજાશે. વધુમાં દાવો કરાયો હતો કે કોંગ્રેસના 12 પેકી 11 સભ્યો આજે હાજર હતા. ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડાશે અને સર્ક્યુલર ઠરાવને કાયદાકીય રીતે આગામી સમયમાં પડકારવામાં આવશે.