પિરામણ ગામમાં કબરની તૈયારીઓ બુધવાર સવારથી જ શરૂ દેવામાં આવી હતી
સવારે 10 વાગ્યે વતન પિરામણ ગામના કબ્રસ્તાનમાં દફનવિધિ કરાશે
https://youtu.be/9ZmsQmHTV7Q
WatchGujarat. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામના વતની કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું બુધવારે નિધન થયું હતું. તેમની ઇચ્છા પ્રમાણે તેમની દફન વિધિ પીરામણ ગામમાં માતા-પિતાની કબરની બાજુમાં ગુરુવારે સવારે કરવામાં આવશે. પિરામણ ગામમાં કબરની તૈયારીઓ બુધવાર સવારથી જ શરૂ દેવામાં આવી હતી. અહેમદ પટેલના પાર્થિવ દેહને વિશેષ ચાર્ટડ પ્લેન મારફતે બુધવારે રાત્રે 9 કલાકે વડોદરા લવાયો હતો. ત્યાર બાદ તેઓના દેહને અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલ ખાતે કોલ્ડ સ્ટોરેજમાં મોડી રાત્રે મુકવામાં આવ્યો હતો. આજે સવારે 10 વાગ્યે વતન પિરામણ ગામના કબ્રસ્તાનમાં દફનવિધિ કરાશે. દફનવિધિમાં વિલંબ થઇ શકે છે.
કોંગ્રેસ પ્રેસિડેન્ટ રાહુલ ગાંધી સવારે સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા
કોંગ્રેસના ચાણક્ય અહેમદ પટેલની અંતિમ વિધિમાં ભાગ લેવા માટે કોંગ્રેસ પ્રેસિડેન્ટ રાહુલ ગાંધી ગુરુવારે સવારે સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. ત્યાંથી રોડ મારફતે તેઓ અહેમદ પટેલની પિરામન ખાતે યોજાનાર દફન વિધિમાં ભાગ લેશે. રાહુલ ગાંધીના આગમન પહેલા કોંગ્રેસ અગ્રણીઓ સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. અને એરપોર્ટ બહાર મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓનો જમાવડો જોવા માંડ્યો હતો.
[caption id="attachment_20032" align="aligncenter" width="1228"] બુધવાર રાત સુધીમાં અહેમદ પટેલની દફનવિધિ માટેની તૈયારીઓ પુરી કરી દેવામાં આવી હતી[/caption]
VVIP ની હાજરીને પગલે કબ્રસ્તાન બહાર સઘન ચેકીંગ
અહેમદ પટેલની દફન વિધિ દરમિયાન દેશના અનેક રાજ્યોમાંથી કોંગ્રેસ અગ્રણીઓ હાજર રહેનાર છે. જેને કારણે કબ્રસ્તાન બહાર લોખંડી વ્યસ્વસ્થા ગોઠવવામાં આવી હતી. પોલીસ દ્વારા કબ્રસ્તાન બહાર સ્કેનર સિસ્ટમ મુકવામાં આવી હતી.
#Bharuch #અહેમદ પટેલ #rahul gandhi
પિરામણ ગામમાં કબરની તૈયારીઓ બુધવાર સવારથી જ શરૂ દેવામાં આવી હતી
સવારે 10 વાગ્યે વતન પિરામણ ગામના કબ્રસ્તાનમાં દફનવિધિ કરાશે
WatchGujarat. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામના વતની કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું બુધવારે નિધન થયું હતું. તેમની ઇચ્છા પ્રમાણે તેમની દફન વિધિ પીરામણ ગામમાં માતા-પિતાની કબરની બાજુમાં ગુરુવારે સવારે કરવામાં આવશે. પિરામણ ગામમાં કબરની તૈયારીઓ બુધવાર સવારથી જ શરૂ દેવામાં આવી હતી. અહેમદ પટેલના પાર્થિવ દેહને વિશેષ ચાર્ટડ પ્લેન મારફતે બુધવારે રાત્રે 9 કલાકે વડોદરા લવાયો હતો. ત્યાર બાદ તેઓના દેહને અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલ ખાતે કોલ્ડ સ્ટોરેજમાં મોડી રાત્રે મુકવામાં આવ્યો હતો. આજે સવારે 10 વાગ્યે વતન પિરામણ ગામના કબ્રસ્તાનમાં દફનવિધિ કરાશે. દફનવિધિમાં વિલંબ થઇ શકે છે.
કોંગ્રેસ પ્રેસિડેન્ટ રાહુલ ગાંધી સવારે સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા
કોંગ્રેસના ચાણક્ય અહેમદ પટેલની અંતિમ વિધિમાં ભાગ લેવા માટે કોંગ્રેસ પ્રેસિડેન્ટ રાહુલ ગાંધી ગુરુવારે સવારે સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. ત્યાંથી રોડ મારફતે તેઓ અહેમદ પટેલની પિરામન ખાતે યોજાનાર દફન વિધિમાં ભાગ લેશે. રાહુલ ગાંધીના આગમન પહેલા કોંગ્રેસ અગ્રણીઓ સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. અને એરપોર્ટ બહાર મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓનો જમાવડો જોવા માંડ્યો હતો.
[caption id="attachment_20032" align="aligncenter" width="1228"] બુધવાર રાત સુધીમાં અહેમદ પટેલની દફનવિધિ માટેની તૈયારીઓ પુરી કરી દેવામાં આવી હતી[/caption]
VVIP ની હાજરીને પગલે કબ્રસ્તાન બહાર સઘન ચેકીંગ
અહેમદ પટેલની દફન વિધિ દરમિયાન દેશના અનેક રાજ્યોમાંથી કોંગ્રેસ અગ્રણીઓ હાજર રહેનાર છે. જેને કારણે કબ્રસ્તાન બહાર લોખંડી વ્યસ્વસ્થા ગોઠવવામાં આવી હતી. પોલીસ દ્વારા કબ્રસ્તાન બહાર સ્કેનર સિસ્ટમ મુકવામાં આવી હતી.