બિમારીથી કંટાળેલા આધેડે કંપનીમાં ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું
પોતાના બે પુત્રોને હળીમળીને રહેવા માટે અંતિમ ચીઠ્ઠીમાં ઉલ્લેખ
મૃતક વિરેન્દ્ર ચૌધરી છેલ્લા 17 વર્ષથી ફેફસાના કેંસરની બીમારીથી પીડાતા હતા
WatchGujarat. દહેજની બિરલા કોપર કંપનીના કર્મચારીએ ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવતા ચકચાર મચી જવા પામી છે. કર્મચારીએ કંપનીની ટાઉન શીપમાં આવેલ મકાનમાં ગળે ફાસો લગાવી આપઘાત કરી લીધો હતો. આધેડ પાસેથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં લખ્યું છે કે, પિતાએ ‘ મેરે બચ્ચો કિસી પે ભરોસા મત કરના, મેં અપની બીમારી સે તંગ આ ગયા હું'
દહેજની બિરલા કોપર કંપનીમાં ફરજ બજાવતા મૂળ હરિયાણાના રહેવાસી 46 વર્ષીય વિરેન્દ્ર ચૌધરીએ આપઘાત કરી લઈ જીવન લીલ સંકેલી લીધી હતી. મૃતક વિરેન્દ્ર ચૌધરી દહેજ ખાતે આવેલ કંપનીની ટાઉનશીપમાં રહેતા હતા.
જ્યાં ગતરોજ બપોરના ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. આસપાસના રહીશોને આ અંગે જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. દહેજ પોલીસ પોલીસે ઘટના સ્થળે આવી મૃતદેહને નીચે ઉતાર્યો હતો અને તપાસ કરતાં નજીકથી સ્યૂસાઇડ નોટ મળી આવી હતી. જેમાં કોઈને મારી મોતનો જવાબદાર ન ગણવોના ઉલ્લેખ સાથે બીમારીથી કંટાળી આપઘાત કર્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.
મૃતક વિરેન્દ્ર ચૌધરી છેલ્લા 17 વર્ષથી ફેફસાના કેંસરની બીમારીથી પીડાતા હતા અને તેમનું ઓપરેશન પણ કરવાં આવ્યું હતું. જો કે ત્યાર બાદ પણ તેમની તબિયતમાં સુધારો ન થતાં તેમણે અંતિમ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે. મૃતકને સંતાનમાં 2 પુત્ર છે જેઓ માતા સાથે ભરૂચ રહેતા હતા તેઓએ પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.
[caption id="attachment_566988" align="aligncenter" width="800"] નજીકમાંથી મળેલી ડાયરી સ્યુસાઇડ નોટ માં મૃતકે આપઘાત પેહલા લખ્યું હતું કે, મેરે બચ્ચો કિસી પે ભરોસા મત કરના, મે અપની બીમારી સે તંગ આ ગયા હું. કોઈ ને મારી મોતનો જવાબદાર નહિ ગણતા, હું મારી બીમારીથી કંટાળી આપઘાત કરૂ છું, મને કોઈના થી કોઈ ફરિયાદ નથી. બન્ને બાળકો ને હળીમળીને રહેવા કહ્યું હતું.[/caption]
WatchGujarat. દહેજની બિરલા કોપર કંપનીના કર્મચારીએ ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવતા ચકચાર મચી જવા પામી છે. કર્મચારીએ કંપનીની ટાઉન શીપમાં આવેલ મકાનમાં ગળે ફાસો લગાવી આપઘાત કરી લીધો હતો. આધેડ પાસેથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં લખ્યું છે કે, પિતાએ ‘ મેરે બચ્ચો કિસી પે ભરોસા મત કરના, મેં અપની બીમારી સે તંગ આ ગયા હું'
દહેજની બિરલા કોપર કંપનીમાં ફરજ બજાવતા મૂળ હરિયાણાના રહેવાસી 46 વર્ષીય વિરેન્દ્ર ચૌધરીએ આપઘાત કરી લઈ જીવન લીલ સંકેલી લીધી હતી. મૃતક વિરેન્દ્ર ચૌધરી દહેજ ખાતે આવેલ કંપનીની ટાઉનશીપમાં રહેતા હતા.
જ્યાં ગતરોજ બપોરના ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. આસપાસના રહીશોને આ અંગે જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. દહેજ પોલીસ પોલીસે ઘટના સ્થળે આવી મૃતદેહને નીચે ઉતાર્યો હતો અને તપાસ કરતાં નજીકથી સ્યૂસાઇડ નોટ મળી આવી હતી. જેમાં કોઈને મારી મોતનો જવાબદાર ન ગણવોના ઉલ્લેખ સાથે બીમારીથી કંટાળી આપઘાત કર્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.
મૃતક વિરેન્દ્ર ચૌધરી છેલ્લા 17 વર્ષથી ફેફસાના કેંસરની બીમારીથી પીડાતા હતા અને તેમનું ઓપરેશન પણ કરવાં આવ્યું હતું. જો કે ત્યાર બાદ પણ તેમની તબિયતમાં સુધારો ન થતાં તેમણે અંતિમ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે. મૃતકને સંતાનમાં 2 પુત્ર છે જેઓ માતા સાથે ભરૂચ રહેતા હતા તેઓએ પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.
[caption id="attachment_566988" align="aligncenter" width="800"]નજીકમાંથી મળેલી ડાયરી સ્યુસાઇડ નોટ માં મૃતકે આપઘાત પેહલા લખ્યું હતું કે, મેરે બચ્ચો કિસી પે ભરોસા મત કરના, મે અપની બીમારી સે તંગ આ ગયા હું. કોઈ ને મારી મોતનો જવાબદાર નહિ ગણતા, હું મારી બીમારીથી કંટાળી આપઘાત કરૂ છું, મને કોઈના થી કોઈ ફરિયાદ નથી. બન્ને બાળકો ને હળીમળીને રહેવા કહ્યું હતું.[/caption]