રાજ્યમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા શૈક્ષણિક સંસ્થાઓએ વધુ ધ્યાન આપવાની જરૂર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમ નર્મદા જિલ્લા BJP એ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નિહાળ્યો
[caption id="attachment_1418000" align="aligncenter" width="1600"] MP Mansukh Vasava From SOU[/caption]
WatchGujarat. કેવડિયા SOU ઉપર રવિવારે PM નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યકમને નિહાળવાનું આયોજન નર્મદા જિલ્લા BJP દ્વારા કરાયું હતું. પ્રધાનમંત્રીના મન કી બાત બાદ ભરૂચ-નર્મદા BJP સાંસદ મનસુખ વસાવાએ પોતાના મનની વાત મીડિયા સમક્ષ કહી હતી. MP એ નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના લોકો માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર રાહત દરે પ્રવેશ આપવાંની માંગ કરી છે. જે અંગે આગામી સમયમાં તેઓ રજુઆત પણ કરશે.
કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થયું ત્યારેથી નર્મદા જિલ્લાના લોકોને મફતમાં પ્રવેશ આપો એવી માંગો ઉઠી હતી. અગાઉ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવાએ પણ એવી માંગ કરી હતી કે, SOU ના નિર્માણ માટે સ્થાનિક આદિવાસીઓએ પોતાની મહામૂલી જમીનો આપી દીધી છે. એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત અન્ય પ્રવાસન સ્થળો પર સ્થાનિક આદિવાસીઓ અને એમની આવનારી પેઢી સહીત નર્મદા જિલ્લાના લોકોને મફત પ્રવેશ માટે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી CM વિજય રૂપાણીને લેખીત રજૂઆત કરી હતી.
હવે BJP સાંસદ મનસુખ વસાવાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નર્મદા, ભરૂચ અને વડોદરાના લોકોને રાહત દરે પ્રવેશ આપવાની માંગ કરી છે. રવિવારે SOU પર વડાપ્રધાન PM નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમને ભાજપ સાંસદ મનસુખ વસાવા, પૂર્વ મંત્રી શબ્દશરણ તડવી, નર્મદા જિલ્લા BJP પ્રમુખ ઘનશ્યામ પટેલ, ઉપપ્રમુખ અનિરુદ્ધસિંહ ગોહિલ, નર્મદા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ કિરણ વસાવા સહિત અન્ય કાર્યકરોએ નિહાળ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા પરેડમાં હાજર ના રહેવાના હોય મનકી બાતમાં એમણે સરદાર વલ્લભભાઈ પટેલને જન્મજયંતીની પુષ્પાંજલિ આપી હતી.
BJP MP મનસુખ વસાવાએ SOU પરિસરમાંથી જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત અન્ય પ્રવાસન સ્થળો પર વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના લોકોને રાહત મળવી જોઈએ. આ બાબતે અગાઉ રજૂઆતો કરી હતી અને આગામી સમયમાં પણ તેઓ રજુઆત કરવાના છે.
વધુમાં સાંસદે કહ્યું હતું કે, ગુજરાત અને ભરૂચ જિલ્લામાં મોટા ઉદ્યોગો છે પણ સ્થાનિક લોકોની ભરતી કરવામાં આવતી નથી. સેન્ટ્રલની પરીક્ષામાં ગુજરાતના યુવાઓ ખૂબ જ ઓછી સંખ્યામાં પાસ થતા હોય છે. શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે શેક્ષણિક સંસ્થાઓએ વધારે ધ્યાન આપવાની જરૂર વર્તાઈ રહી છે.
રાજ્યમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા શૈક્ષણિક સંસ્થાઓએ વધુ ધ્યાન આપવાની જરૂર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમ નર્મદા જિલ્લા BJP એ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નિહાળ્યો
[caption id="attachment_1418000" align="aligncenter" width="1600"] MP Mansukh Vasava From SOU[/caption]
WatchGujarat. કેવડિયા SOU ઉપર રવિવારે PM નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યકમને નિહાળવાનું આયોજન નર્મદા જિલ્લા BJP દ્વારા કરાયું હતું. પ્રધાનમંત્રીના મન કી બાત બાદ ભરૂચ-નર્મદા BJP સાંસદ મનસુખ વસાવાએ પોતાના મનની વાત મીડિયા સમક્ષ કહી હતી. MP એ નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના લોકો માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર રાહત દરે પ્રવેશ આપવાંની માંગ કરી છે. જે અંગે આગામી સમયમાં તેઓ રજુઆત પણ કરશે.
કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થયું ત્યારેથી નર્મદા જિલ્લાના લોકોને મફતમાં પ્રવેશ આપો એવી માંગો ઉઠી હતી. અગાઉ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવાએ પણ એવી માંગ કરી હતી કે, SOU ના નિર્માણ માટે સ્થાનિક આદિવાસીઓએ પોતાની મહામૂલી જમીનો આપી દીધી છે. એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત અન્ય પ્રવાસન સ્થળો પર સ્થાનિક આદિવાસીઓ અને એમની આવનારી પેઢી સહીત નર્મદા જિલ્લાના લોકોને મફત પ્રવેશ માટે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી CM વિજય રૂપાણીને લેખીત રજૂઆત કરી હતી.
હવે BJP સાંસદ મનસુખ વસાવાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નર્મદા, ભરૂચ અને વડોદરાના લોકોને રાહત દરે પ્રવેશ આપવાની માંગ કરી છે. રવિવારે SOU પર વડાપ્રધાન PM નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમને ભાજપ સાંસદ મનસુખ વસાવા, પૂર્વ મંત્રી શબ્દશરણ તડવી, નર્મદા જિલ્લા BJP પ્રમુખ ઘનશ્યામ પટેલ, ઉપપ્રમુખ અનિરુદ્ધસિંહ ગોહિલ, નર્મદા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ કિરણ વસાવા સહિત અન્ય કાર્યકરોએ નિહાળ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા પરેડમાં હાજર ના રહેવાના હોય મનકી બાતમાં એમણે સરદાર વલ્લભભાઈ પટેલને જન્મજયંતીની પુષ્પાંજલિ આપી હતી.
BJP MP મનસુખ વસાવાએ SOU પરિસરમાંથી જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત અન્ય પ્રવાસન સ્થળો પર વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના લોકોને રાહત મળવી જોઈએ. આ બાબતે અગાઉ રજૂઆતો કરી હતી અને આગામી સમયમાં પણ તેઓ રજુઆત કરવાના છે.
વધુમાં સાંસદે કહ્યું હતું કે, ગુજરાત અને ભરૂચ જિલ્લામાં મોટા ઉદ્યોગો છે પણ સ્થાનિક લોકોની ભરતી કરવામાં આવતી નથી. સેન્ટ્રલની પરીક્ષામાં ગુજરાતના યુવાઓ ખૂબ જ ઓછી સંખ્યામાં પાસ થતા હોય છે. શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે શેક્ષણિક સંસ્થાઓએ વધારે ધ્યાન આપવાની જરૂર વર્તાઈ રહી છે.