WatchGujarat. 1 ફેબ્રુઆરીના ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગર સ્થિત મુખ્યાલય કમલમ ખાતે પાર્લામેન્ટ્રી બોર્ડની મિટીંગ મળી હતી. જેમાં ભાજપા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિતના અગ્રણીઓ સામેલ થયા હતા. બોર્ડની મિટીંગ બાદ સીઆર પાટીલ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 60 થી વધું ઉંમર ધરાવતા ઉમેદવારોને ટીકીટ નહિ સહિતના મુદ્દે સહમતિ સધાઇ હતી.
[embed]https://twitter.com/CRPaatil/status/1356153242456121344?s=20[/embed]
આગામી સમયમાં રાજ્યમાં જિલ્લા પંચાયત અને સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ યોજાનાર છે. ઉમેદવારોની પસંદગી માટે 1 ફેબ્રુઆરીના રોજ કમલમ ખાતે પાર્લામેન્ટ્રી બોર્ડની મહત્વની મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મિટીંગમાં 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા દાવેવારોને ટીકીટ નહિ, ત્રણ ટર્મ સુધી ચુંટાયેલા ટીકીટના દાવેદારોને ટીકીટ નહિ, તથા આગેવાનોના સગાને ટીકીટ નહિ આપવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. પાર્લામેન્ટ્રી બોર્ડની મિટીંગ બાદ ભાજપા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આ અંગેની જાહેરાત કરી હતી. પાર્લામેન્ટ્રી બોર્ડના નિર્ણયને પગલે દાવેદારોમાં નિરાશા વ્યાપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ 55 વર્ષથી વધુ ઉંમરના દાવેદારોને ટીકીટ નહિ આપવાના નિર્ણયની આડકતરી જાહેરાત કરવામાં આવી હતી. સોમવારે સી આર પાટીલ દ્વારા જાહેર કરવામાં આવેલા નિર્ણયને પગલે ચુંટાયેલા પ્રતિનીધીઓમાં પણ રોષ જોવા મળી શકે તેમ છે.
WatchGujarat. 1 ફેબ્રુઆરીના ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગર સ્થિત મુખ્યાલય કમલમ ખાતે પાર્લામેન્ટ્રી બોર્ડની મિટીંગ મળી હતી. જેમાં ભાજપા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિતના અગ્રણીઓ સામેલ થયા હતા. બોર્ડની મિટીંગ બાદ સીઆર પાટીલ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 60 થી વધું ઉંમર ધરાવતા ઉમેદવારોને ટીકીટ નહિ સહિતના મુદ્દે સહમતિ સધાઇ હતી.
આગામી સમયમાં રાજ્યમાં જિલ્લા પંચાયત અને સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ યોજાનાર છે. ઉમેદવારોની પસંદગી માટે 1 ફેબ્રુઆરીના રોજ કમલમ ખાતે પાર્લામેન્ટ્રી બોર્ડની મહત્વની મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મિટીંગમાં 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા દાવેવારોને ટીકીટ નહિ, ત્રણ ટર્મ સુધી ચુંટાયેલા ટીકીટના દાવેદારોને ટીકીટ નહિ, તથા આગેવાનોના સગાને ટીકીટ નહિ આપવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. પાર્લામેન્ટ્રી બોર્ડની મિટીંગ બાદ ભાજપા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આ અંગેની જાહેરાત કરી હતી. પાર્લામેન્ટ્રી બોર્ડના નિર્ણયને પગલે દાવેદારોમાં નિરાશા વ્યાપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ 55 વર્ષથી વધુ ઉંમરના દાવેદારોને ટીકીટ નહિ આપવાના નિર્ણયની આડકતરી જાહેરાત કરવામાં આવી હતી. સોમવારે સી આર પાટીલ દ્વારા જાહેર કરવામાં આવેલા નિર્ણયને પગલે ચુંટાયેલા પ્રતિનીધીઓમાં પણ રોષ જોવા મળી શકે તેમ છે.